Site icon

અફઘાનિસ્તાન સંકટ પર વડાપ્રધાન મોદીએ કરી બેઠક, અધિકારીઓને આપ્યા આ આદેશ ; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 18 ઓગસ્ટ, 2021

Join Our WhatsApp Community

બુધવાર

અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા સત્તા આંચકી લીધાં બાદ સર્જાયેલી સંકટપૂર્ણ સ્થિતિ વચ્ચે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતા હેઠળ સલામતી અંગેની કેબિનેટ કમિટીની બેઠક યોજાઈ હતી.

સૂત્રોના જણાવ્યાં અનુસાર પીએમ મોદીએ અધિકારીઓને અફઘાનિસ્તાનમાંથી તમામ ભારતીય નાગરિકોને સલામત રીતે પરત લાવવાનો નિર્દેશ આપ્યો છે. 

સાથે જ ત્યાંથી ભારત આવવા ઈચ્છતા શીખ તથા હિન્દુ અલ્પસંખ્યકોને આશ્રય આપવાનો નિર્દેશ આપ્યો છે. 

આ ઉપરાંત વડાપ્રધાને અધિકારીઓને ભારત પાસેથી મદદની અપેક્ષા રાખી રહેલા અફઘાન નાગરિકોની પણ શક્ય તમામ મદદ કરવા જણાવ્યું છે.

આ સર્વોચ્ચ સમિતિમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, નાણાંમંત્રી નિર્મલા સીતારામન, વિદેશ સચિવ હર્ષ વર્ધન શ્રુંગલા તથા એનએસએના ચીફ અજિત દોવાલ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી. 

સવાર સવારમાં આમ આદમી માટે રાહતના સમાચાર, સરકારી તેલ કંપનીઓએ આજે ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો ; જાણો કેટલું સસ્તું થયું ડીઝલ

New Traffic Challan Rules: ચલણ ભરતા પહેલા આ સમાચાર જરૂર વાંચજો! ટ્રાફિક દંડને ઓનલાઇન પડકારવાની સુવિધા શરૂ; જાણો પુરાવા તરીકે કયા ડોક્યુમેન્ટ્સ રાખવા પડશે સાથે.
PM Narendra Modi: બાળાસાહેબ ઠાકરે એટલે અણનમ નેતૃત્વ! જન્મ શતાબ્દી પર PM મોદીએ મરાઠીમાં પોસ્ટ શેર કરી વધાર્યું મહારાષ્ટ્રનું માન; જાણો આખી વિગત
IMD Weather Alert:વરસાદ અને કરાનો ડબલ એટેક! દિલ્હી-યુપીમાં બદલાયો મિજાજ, વાવાઝોડા સાથે ત્રાટકશે આફત; જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી.
Republic Day 2026 Security Alert: ૨૬ જાન્યુઆરી પૂર્વે દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર; આતંકી રેહાનના પોસ્ટર જાહેર કરી લોકોને સાવધ રહેવા અપીલ
Exit mobile version