Site icon

અફઘાનિસ્તાન સંકટ પર વડાપ્રધાન મોદીએ કરી બેઠક, અધિકારીઓને આપ્યા આ આદેશ ; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 18 ઓગસ્ટ, 2021

Join Our WhatsApp Community

બુધવાર

અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા સત્તા આંચકી લીધાં બાદ સર્જાયેલી સંકટપૂર્ણ સ્થિતિ વચ્ચે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતા હેઠળ સલામતી અંગેની કેબિનેટ કમિટીની બેઠક યોજાઈ હતી.

સૂત્રોના જણાવ્યાં અનુસાર પીએમ મોદીએ અધિકારીઓને અફઘાનિસ્તાનમાંથી તમામ ભારતીય નાગરિકોને સલામત રીતે પરત લાવવાનો નિર્દેશ આપ્યો છે. 

સાથે જ ત્યાંથી ભારત આવવા ઈચ્છતા શીખ તથા હિન્દુ અલ્પસંખ્યકોને આશ્રય આપવાનો નિર્દેશ આપ્યો છે. 

આ ઉપરાંત વડાપ્રધાને અધિકારીઓને ભારત પાસેથી મદદની અપેક્ષા રાખી રહેલા અફઘાન નાગરિકોની પણ શક્ય તમામ મદદ કરવા જણાવ્યું છે.

આ સર્વોચ્ચ સમિતિમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, નાણાંમંત્રી નિર્મલા સીતારામન, વિદેશ સચિવ હર્ષ વર્ધન શ્રુંગલા તથા એનએસએના ચીફ અજિત દોવાલ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી. 

સવાર સવારમાં આમ આદમી માટે રાહતના સમાચાર, સરકારી તેલ કંપનીઓએ આજે ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો ; જાણો કેટલું સસ્તું થયું ડીઝલ

Narendra Modi: PM મોદી અને તેમના દિવંગત માતાના ડીપફેક વીડિયો મામલે કોંગ્રેસ સામે દિલ્હી પોલીસે કરી મોટી કાર્યવાહી
ITR Deadline: શું ખરેખર આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવાઈ? વિભાગે કરદાતાઓને આપ્યું મોટું અપડેટ
Air India: અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના કેસમાં થયો નવો ખુલાસો, તદ્દન નવું કારણ આવ્યું સામે
IND vs PAK: ‘નો હેન્ડશેક’ પર બોખલાયું પાકિસ્તાન, ટીમ ઈન્ડિયા સામે લીધું આ પગલું
Exit mobile version