Site icon News Continuous Bureau | Mumbai

કોવિશિલ્ડનો બીજો ડોઝ લેવાની મુદત વધારવા વધુ એક સરકારી પેનલે ભલામણ કરી. તો શું હવે બીજો ડોઝ પણ લાંબા સમય પછી મળશે? જાણો ક્યારે મળશે?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૩ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

ગુરુવાર

દેશમાં ચાલતા રસીકરણ અભિયાનમાં દરરોજ કંઈક ને કંઈક નવા બદલાવ થઈ રહ્યા છે. સરકારે કોવિશિલ્ડનો બીજો ડોઝ લેવાની મુદત ૨૮ દિવસથી વધારી અને ૪૨ દિવસ કરવામાં આવી. હવે વધુ એક સરકારી પેનલે કોવિશિલ્ડનો બીજો ડોઝ લેવાની મુદત વધારી ૧૨થી ૧૬ અઠવાડિયાં કરવાની ભલામણ કરી છે.

નેશનલ ટેક્નિકલ એડ્વાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશન (એનટીએજીઆઇ)એ સરકારને કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચે ૧૨થી ૧૬ અઠવાડિયાંનું અંતર રાખવાની ભલામણ કરી છે. જોકેકોવાક્સિનના ડોઝ માટે ફેરફારોની ભલામણ કરવામાં આવી નથી. કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેનું અંતર વધારવાનો આગ્રહ ત્યારે  થઈ રહ્યો છે જ્યારે રસી બનાવતી સિરમ ઇન્સ્ટિટ્યુટ રસીના ઉત્પાદનમાં સંઘર્ષ કરી રહી છે અને માગ પ્રમાણે ઉત્પાદન થઈ રહ્યું નથી.

બંગાળમાં ભાજપના બે ધારાસભ્યોએ આપ્યું રાજીનામું; વિધાનસભામાં સંખ્યાબળ ૭૫ પર પહોંચ્યું, જાણો વિગત…

ઉલ્લેખનીય છે કે આ અગાઉ કેન્દ્ર સરકારે નીમેલી તજ્જ્ઞોની સમિતિ કોવિશિલ્ડના બીજા ડોઝની મુદત બાબતે સંશોધન કરી રહી હતી. સમિતિનું તારણ હતું કે છ અઠવાડિયાં બાદ જો બીજો ડોઝ આપવામાં આવે તો તેની અસરકારતા ૫૫.૧% અને જો ૧૨ અઠવાડિયાં બાદ આપવામાં આવે તો તેની અસરકારતા ૮૧.3% થઈ જાય છે.

E20 Ethanol Fuel E20 ઈથેનોલ પેટ્રોલને લઈને સોશિયલ મીડિયા પર ફેલાયેલા ભ્રમનો અંત, સરકાર અને ઓટો કંપનીઓએ આપી સ્પષ્ટતા
Kedarnath Mule Operators કેદારનાથમાં શ્રદ્ધાળુઓ સાથે ગેરવર્તન, ખચ્ચર ચાલકો સામે વહીવટીતંત્ર લાલઘૂમ, લેવાશે કડક પગલાં!
Global Energy Crisis મોટા મોટા દેશો ઓઈલ સંકટમાં ફસાયા, પણ ભારત નહીં; જનતાને બચાવવા સરકારે નુકસાન વેઠ્યું PM મોદી
Consumer court penalty on shoe brand ૬૦૦૦ના બ્રાન્ડેડ શૂઝનું ૧ મહિનામાં ઉખડી ગયું સોલ, કોર્ટે કંપનીને ફટકાર્યો મસમોટો દંડ
Exit mobile version