Site icon

નિવેદન આપીને બાબા રામદેવ ફસાયા : હવે આરોગ્ય વિભાગે આંખો કાઢી; જાણો શું છે મામલો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૪ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

યોગગુરુ બાબા રામદેવનું ઍલૉપથી સંદર્ભેનું નિવેદન હવે તેમને આડું આવી રહ્યું છે. સૌપ્રથમ ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલે બાબા રામદેવની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધવાની રાવ મૂકી હતી. હવે આરોગ્યપ્રધાન ડૉક્ટર હર્ષવર્ધને બાબા રામદેવને પત્ર લખ્યો છે અને જણાવ્યું છે કે તેઓ ઍલૉપથી સંદર્ભે આપેલા પોતાના નિવેદનને પરત લે.

ઉલ્લેખનીય છે કે બાબા રામદેવ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ઍલૉપથીને કારણે કોઈ જ ફાયદો થતો નથી.

બાબા રામદેવ આયુર્વેદ અને યોગના ચુસ્ત સમર્થક છે તેમ જ આજની તારીખમાં ઍલૉપેથીની વિરુદ્ધમાં મેદાને ઊતરેલા એકમાત્ર પહેલવાન છે. આ ઉપરાંત તેઓ યોગના માધ્યમથી અનેક લોકોને રોગ અને ઍલૉપથીની દવાથી દૂર લઈ ગયા છે, પરંતુ હાલ ભારતમાં કોરોનાનો સમયગાળો ચાલી રહ્યો હોવાને કારણે બાબા રામદેવ પર ચારે તરફથી માફી માગવાનું દબાણ છે.

હવે જોવાનું એ રહે છે કે યોગગુરુ શરણે થાય છે કે નહીં.

Solan Fire Incident: હિમાચલના સોલનમાં ભીષણ આગનો તાંડવ; 7 વર્ષના બાળકનું કરૂણ મોત, 9 લોકો હજુ પણ ફસાયા.
ISRO PSLV-C62 Mission Failure: ઈસરોને નવા વર્ષનો મોટો ઝટકો: PSLV-C62 મિશન ત્રીજા તબક્કામાં ટેકનિકલ ખામીને કારણે નિષ્ફળ.
Vande Bharat Sleeper Fare: એરપોર્ટ જેવી સુવિધા અને કડક નિયમો: વંદે ભારત સ્લીપરમાં નો-વેઈટિંગ પોલિસી, જાણો કેટલું ખર્ચવું પડશે ભાડું
Gulshan Kumar Murder Case: ‘કેસેટ કિંગ’ ગુલશન કુમારની હત્યા કરનાર શાર્પ શૂટર અબ્દુલ મર્ચન્ટનું જેલમાં મોત, જાણો શું છે મૃત્યુનું આંચકાજનક કારણ
Exit mobile version