Site icon News Continuous Bureau | Mumbai

આંતર ધર્મ/જાતિમાં વિવાહ કરવા માટે અને નિભાવી રાખવા માટે આ રાજ્ય દ્વારા યુગલ દંપતિઓને પુરસ્કારિત કરવામાં આવ્યાં; જાણો વિગતે

ગજબ કે’વાય.. લગ્નના દિવસે જ થયો વરરાજાના પ્રેમ પ્રકરણનો ખુલાસો, પરિવારના લોકોએ કન્યાની નાની બહેન સાથે કરાવી દીધા લગ્ન..

ગજબ કે’વાય.. લગ્નના દિવસે જ થયો વરરાજાના પ્રેમ પ્રકરણનો ખુલાસો, પરિવારના લોકોએ કન્યાની નાની બહેન સાથે કરાવી દીધા લગ્ન..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 ઑક્ટોબર, 2021 

Join Our WhatsApp Channel

બુધવાર

ઉત્તરાખંડની રચનાથી લઈને જાન્યુઆરી 2021 સુધી, કુલ 389 યુગલો જેમણે 46 બીજા ધર્મ (આંતરધાર્મિક) અને 343 બીજી જાતિ (આંતર જાતિ) સાથે લગ્ન કર્યા છે તેમને ઉત્તરાખંડ સરકારે પુરસ્કાર આપ્યો છે.

ઉત્તરાખંડની રચના પહેલા 1976 થી અમલમાં આવેલા નિયમો હેઠળ આપવામાં આવેલા પુરસ્કારો પાછળ રૂ. 1.01 કરોડની રકમ ખર્ચવામાં આવી છે. આ ખુલાસો સમાજ કલ્યાણ નિયામક દ્વારા માહિતી અધિકાર કાર્યકર્તા નદીમ ઉદ્દીનને આપવામાં આવેલી માહિતીમાંથી થયો છે.

કાશીપુરના રહેવાસી માહિતી અધિકાર કાર્યકર્તા નદીમ ઉદ્દીને આંતર-ધાર્મિક અને આંતર-જાતિ લગ્ન પ્રોત્સાહક રકમ સંબંધિત વર્ષવાર અને જિલ્લાવાર માહિતી માગી હતી. તેના જવાબમાં, સમાજ કલ્યાણ વિભાગ, ઉત્તરાખંડ સરકારના લોક સૂચના અધિકારી જે.પી. બેરી એ સંબંધિત નિયમો બનાવ્યા, જાહેર માહિતી અધિકારી સમાજ કલ્યાણ ઉત્તરાખંડ હલ્દવાનીના વરિષ્ઠ વહીવટી અધિકારી  પ્રદીપકુમાર પાંડેને  2000-01 થી જાન્યુઆરી 2021 સુધીના લાભાર્થીઓની સંખ્યા અને ખર્ચ કરેલી રકમની વિગતો પ્રદાન કરવા નિર્દેશ આપ્યો હતો.

ઉપલબ્ધ માહિતી અનુસાર, ઉત્તરપ્રદેશ આંતરજાતિ, આંતરધાર્મિક વિવાહિત યુગલો નિયમો, 1976 ના નિયમ 6 હેઠળ, આવા લગ્ન કરનાર યુગલોને પચાસ હજાર રૂપિયા સુધીનું ઈનામ આપવાની જોગવાઈ છે.

આ દેશથી આવતા પ્રવાસીઓ માટે રાહતના સમાચાર, ભારત સરકારે પરત લીધી ટ્રાવેલ એડવાઇઝરી; જાણો વિગતે

27 જાન્યુઆરી, 2014 સુધી આ રકમ 10 હજાર હતી. આ નિયમના નિયમ 4 ની પાત્રતા અનુસાર, આંતર-જાતિના લગ્નમાં, લગ્નના પક્ષોમાંથી એક અનુસૂચિત જાતિનો હોવો જોઈએ. નિયમ 5 મુજબ,  જો કોઈ સભ્ય ન્યાયિક અલગતા, છૂટાછેડા અથવા લગ્ન તોડવા અથવા પાંચ વર્ષ પહેલાં વિના કારણે લગ્ન તોડશે તો પુરસ્કારની સંપૂર્ણ રકમ સરકાર દ્વારા જમીન મહેસૂલ તરીકે વસૂલ કરવામાં આવશે.

સમાજ કલ્યાણ નિદેશાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ઉત્તરાખંડ સરકારે 389 આંતર-જાતિ અને આંતર-ધાર્મિક લગ્ન પર 1 કરોડ 01 લાખ 03 હજાર રૂપિયાના પુરસ્કારો આપ્યા છે. જેમાં નૈનીતાલ જિલ્લામાં મહત્તમ 172 પુરસ્કારો, ઉત્તરકાશી જિલ્લામાં બીજા સ્થાને 39 પુરસ્કારો અને હરિદ્વાર જિલ્લામાં ત્રીજા સ્થાને 33 પુરસ્કારો આપવામાં આવ્યા છે.

Mumbai PM Modi Event Security Breach મુંબઈમાં પીએમ મોદીના કાર્યક્રમ સ્થળ નજીક સુરક્ષામાં મોટી ચૂક પોલીસે ૨ શંકાસ્પદોને બંદૂક સાથે ઝડપી પાડ્યા
PM Modi In Vadodara ‘ફાઇલો લટકાવવાનો દૌર પૂરો થયો, હવે વિકાસ દોડે છે’ વડોદરામાં મેગા પ્રોજેક્ટ્સ વચ્ચે પીએમ મોદીનું મોટું સંબોધન
Akhilesh Yadav Big Strategy માત્ર ફેશન નહીં, પાક્કી પોલિટિક્સ લાલ અને વાદળીના સંગમથી અખિલેશ યાદવ કયા મોટા મિશન પર નીકળ્યા છે?
Rahul Gandhi Congress Future Team કોંગ્રેસની ફ્યુચર ટીમ માટે રાહુલ ગાંધી પોતે લઈ રહ્યા છે ઇન્ટરવ્યુ ૧૨૦ યુવા નેતાઓ થયા શોર્ટલિસ્ટ, સંગઠનમાં મળશે મોટી જવાબદારી
Exit mobile version