Site icon

ઈકોનોમીના અચ્છે દિન! મોદી સરકાર માટે રાહતના સમાચાર; ચાલુ નાણાકીય વર્ષમાં GDP આટલા ટકા રહેવાનો અંદાજ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 નવેમ્બર  2021 

Join Our WhatsApp Community

મંગળવાર.

કોરોના મહામારીનું જોખમ ઘટતાની સાથે જ ભારતના અર્થતંત્રની ગાડી પાટે ચડી રહી છે.

પ્રાપ્ત જાણકારી મુજબ રેટિંગ એજન્સીના આકલન પ્રમાણે આગામી ક્વાર્ટરમાં જો ત્રીજી લહેરની બિલકુલ શક્યતા નહીં હોય તો જીડીપી નોંધપાત્ર વધશે.

ક્રેડિટ રેટિંગ એજન્સી બ્રિકવર્કના નવા આકલન પ્રમાણે 2021-22માં જીડીપી 10.50 ટકા રહે તેવી શક્યતા છે. 

અગાઉ 2021-22માં જીડીપી નવ ટકા રહેવાની શક્યતા વ્યક્ત થઈ હતી, પરંતુ છેલ્લા ક્વાર્ટરનું પરિણામ જોતાં હવે 10.50 ટકા સુધી જીડીપી જશે એવું ગણિત મંડાયું છે. 

જોકે, રિપોર્ટમાં જોખમો અંગે પણ કહેવાયું છે ખાસ કરીને કાચા તેલના ભાવમાં ધરખમ વધારો. 

સાથે જ ખનીજ ઉત્પાદન, કાચા તેલની પડતર કિંમતમાં વધારો, કોલસાની અછત જેવા મુદ્દા જીડીપીની ગતિને બ્રેક ન મારે તે જોવું પડશે એવી સલાહ અહેવાલમાં આપવામાં આવી છે.

ઉલેખનીય છે કે લોકડાઉનના કારણે ઉત્પાદન ક્ષમતા ઘટી ગઈ હોવાથી દેશના અર્થતંત્રને ફટકો પડયો હતો. 

CAIT એ સરકાર પાસે  ક્રેડિટ-ડેબિટ કાર્ડના ઉપયોગ પર લગાતા બેન્ક ચાર્જને લઈને કરી આ માગણી; જાણો વિગત 

PM Modi Mizoram 2025: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના આઈઝોલમાં 9,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો
Vrindavan: વૃંદાવન જ નહીં, પાકિસ્તાન સુધી છે બાંકેબિહારીજીની સંપત્તિ,મંદિર પ્રબંધન કમિટી કરી રહી છે આ કામ
Rafale Fighter Jet: ભારતીય વાયુસેના રાફેલ ફાઇટર જેટ નર લઈને સરકારને કરી આવી ડિમાન્ડ, શું ભારતમાં જ થશે તૈયાર?
PM Modi Manipur visit: મણિપુર હિંસા બાદ PM મોદીની પ્રથમ મુલાકાત, આ શહેર થી શરૂ થશે તેમનો પ્રવાસ
Exit mobile version