Site icon News Continuous Bureau | Mumbai

કોરોનાનો કહેર ઓસરી ગયો- મહામારીના કેસ ઘટતા સ્વાસ્થ્ય મંત્રાલયે ભર્યું આ મોટું પગલું

News Continuous Bureau | Mumbai

દેશમાં કોરોનાના(Corona Cases) ઘટતા કેસ અને રસીકરણના(vaccination) વધતા પર્સન્ટેજ જાેતા સ્વાસ્થ્ય મંત્રાલયે(Ministry of Health) એક મોટું પગલું ભર્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે નક્કી કર્યું છે કે હવે તેઓ વધુ કોવિડ રસી(Covid vaccine) ખરીદશે નહીં. એટલું જ નહીં સ્વાસ્થ્ય મંત્રાલયે રસીકરણ માટે ફાળવવામાં આવેલા ૪,૨૩૭ કરોડ રૂપિયા નાણા મંત્રાલયને(Ministry of Finance) પરત પણ કર્યા છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ૧.૮ કરોડથી વધુ રસી હજુ પણ સરકારના સ્ટોકમાં છે. જે છ મહિનાના રસીકરણ અભિયાન(Vaccination campaign) માટે પૂરતી છે. 

Join Our WhatsApp Channel

વાત જાણે એમ છે કે કોવિડ-૧૯ના કેસ ઘટવાના કારણે રસી લેનારાની સંખ્યામાં ઘટાડો થયો છે. હવે રસીકરણને લઈને લોકોમાં ઉત્સાહ પણ જાેવા નથી મળતો. આ વર્ષે સરકારે પણ તમામ વયસ્કોને મફતમાં બુસ્ટર ડોઝ (booster dose) આપવા માટે અમૃત મહોત્સવ નામથી ૭૫ દિવસનું કોવિડ રસીકરણ અભિયાન ચલાવ્યું હતું. પરંતુ રસીની વધુ માંગ જાેવા મળી નહી. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકાર(Central govt and state govt) પાસે ઘણા પ્રમાણમાં રસીનો સ્ટોક (Vaccine stock)પડ્યો છે. જેમાંથી  કેટલીક તો આગળના ગણતરીના મહિનાઓમાં એક્સપાયર પણ થઈ જશે. હવે આ બધા  કારણો જાેતા સરકારે હવે રસી ન ખરીદવાનો ર્નિણય લીધો છે. સરકારનું કહેવું છે કે ૬ મહિના બાદ હાલાત પ્રમાણે આગળ નિર્ણય લેવાશે. 

આ સમાચાર પણ વાંચો : પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીની મોટી જાહેરાત- ભારતમાં આ દિવસે સસ્તુ થશે પેટ્રોલ-ડીઝલ – જાણો શું છે સરકારની યોજના 

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ગત વર્ષ ૧૬ જાન્યુઆરીથી સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન શરૂ કર્યું હતું. જે હેઠળ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની(States and Union Territories) મદદ માટે તેમને કોવિડ-૧૯ રસી મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ૧૬ ઓક્ટોબર ૨૦૨૨ સુધીમાં દેશમાં ૨૧૯.૩૨ કરોડથી વધુ લોકો કોરોનાની રસી મૂકાવી ચૂક્યા હતા. 

અધિકૃત સૂત્રોએ જણાવ્યું કે દેશની ૯૮ ટકા વયસ્ક વસ્તી કોવિડ-૧૯ રસીના ઓછામાં ઓછા એક ડોઝ લઈ ચૂકી છે. જ્યારે ૯૨ ટકા લોકોનું પૂર્ણ રસીકરણ થઈ ચૂક્યું છે. આ ઉપરાંત દેશના ૧૫ થી ૧૮ વર્ષના ૯૩.૭ ટકા કિશોરોને પણ રસીનો એક ડોઝ મળી ચૂક્યો છે. જ્યારે ૭૨ ટકા કિશોર બંને ડોઝ લઈ ચૂક્યા છે. ૧૨થી ૧૪ વર્ષના વર્ગમાં ૮૭.૩ ટકા લોકોને પહેલો ડોઝ મળી ચૂક્યો છે. જ્યારે ૬૮.૧ ટકા લોકોને બંને ડોઝ મળી ચૂક્યા છે. ૧૮ વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકોમાંથી ૨૭ ટકા લોકોને બુસ્ટર ડોઝ મળી ચૂક્યો છે.

Gen Z Outreach Team Gen Z સાથે જોડવા માટે BJPએ બનાવી ‘સૂપર ૫’ સ્પેશિયલ ટીમ, સ્મૃતિ ઈરાની ઉપરાંત કોણકોણ સામેલ? જાણો
Air Travel Update એર ટ્રેવલ થશે વધુ સરળ આ તારીખથી ભારતીય એરપોર્ટ પર બંધ થશે પાસપોર્ટ પર ફિઝિકલ સ્ટેમ્પ લગાવવાની પ્રથા.
Vande Mataram Controversy વંદે માતરમ વિવાદ પર રાજકારણ ગરમાયું કોંગ્રેસના નિર્ણય સામે ભાજપે ભડકીને પાસ કર્યો મોટો પ્રસ્તાવ!
INS Mangrool Delivery કોચીન શિપયાર્ડ દ્વારા નિર્મિત ત્રીજું એન્ટિસબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ ‘માંગરોળ’ ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું
Exit mobile version