Site icon News Continuous Bureau | Mumbai

ઘઉં બાદ હવે આ ભારતીય ઉત્પાદનને વિદેશના દેશોએ પાછું કર્યું, નિકાસને પડશે ફટકો- જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai 

અગાઉ તુર્કી(Turkey)એ ભારત(India)થી નિકાસ કરવામાં આવેલા ઘઉં(wheat supply)ના જથ્થાને પાછો મોકલી દીધો હતો હવે ચા(tea supply)નો વારો આવ્યો છે. નક્કી કરેલા માપદંડથી વધારે જંતુનાશકો અને રસાયણોનું પ્રમાણ હોવાનું કારણ આગળ કરીને અનેક દેશો અને ડોમેસ્ટિક ખરીદી કરનારાઓએ ભારતીય ચા(Indian tea)નો મોટો જથ્થો પરત કરી દીધો હોવાનું ઇન્ડિયન ટી એક્સપોટર્સ એસોસિએશન -આઇટીઇએ(Indian tea exporters association)ના ચેરમેન અંશુમાન કાનોરિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે.

Join Our WhatsApp Channel

ભારતની ચા પુરા વિશ્વમાં વખણાય છે. તેમાં પાછું હાલ વૈશ્વિક બજારમાં કટોકટીગ્રસ્ત શ્રીલંકા(sri lanka)ની સ્થિતિ નબળી પડી છે, ત્યારે તેનો લાભ લેવા માટે ઇન્ડિયન ટી બોર્ડ(indian Tea Board) ચાની નિકાસ વધારવા માગતું હતું પણ અનેક દેશોએ ચાનો મોટો જથ્થો પરત કરતા નિકાસમાં ઘટાડો થઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : પાટીદાર સમાજને અસામાજિક તત્વ ગણાવનારા આ ગજાવર પાટીદાર નેતાને મળી ધમકીઓ- જાહેરમાં ધુલાઈ થવાનો ડર- જાણો વિગતે

અંશુમાન કાનોરિયાએ તાજેતરમાં પત્રકારોને જણાવ્યું હતું કે દેશમાં વેચાતી ચા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા – એફએસએસએઆઇ(Food Safety and Standards Authority of India)ના માપદંડને અનુરૂપ હોવી જોઇએ. જો કે મોટા ભાગના ખરીદનારા(buyers)ઓ એવી ચા ખરીદે છે જેમાં રસાયણનું પ્રમાણ વધારે હોય છે.

અહીં ઉલ્લેખનીય છે કે ૨૦૨૧માં ભારતે ૧૯.૫૯૦ કરોડ કિલો ચાની નિકાસ(Tea export) કરી હતી. ભારત પાસેથી ચા ખરીદનારા દેશોમાં કોમનવેલ્થના દેશો અને ઇરાનનો સમાવેશ થાય છે. 

બોર્ડે ચાલુ વર્ષે ૩૦ કરોડ કિલો ચાની નિકાસ કરવાનો લક્ષ્‍યાંક નક્કી કર્યો છે. ભારતે ૨૦૨૧માં કુલ ૫૨૪૬ કરોડ રૂપિયાની ચાની નિકાસ કરી હતી.

 

Gen Z Outreach Team Gen Z સાથે જોડવા માટે BJPએ બનાવી ‘સૂપર ૫’ સ્પેશિયલ ટીમ, સ્મૃતિ ઈરાની ઉપરાંત કોણકોણ સામેલ? જાણો
Air Travel Update એર ટ્રેવલ થશે વધુ સરળ આ તારીખથી ભારતીય એરપોર્ટ પર બંધ થશે પાસપોર્ટ પર ફિઝિકલ સ્ટેમ્પ લગાવવાની પ્રથા.
Vande Mataram Controversy વંદે માતરમ વિવાદ પર રાજકારણ ગરમાયું કોંગ્રેસના નિર્ણય સામે ભાજપે ભડકીને પાસ કર્યો મોટો પ્રસ્તાવ!
INS Mangrool Delivery કોચીન શિપયાર્ડ દ્વારા નિર્મિત ત્રીજું એન્ટિસબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ ‘માંગરોળ’ ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું
Exit mobile version