Site icon

તમારું આધાર કાર્ડ રદ તો નથી થયું ને- UIDAIએ દેશમાં આટલા આધાર કાર્ડ રદ કર્યા છે- જાણો શું છે કારણ

શું તમે આધારથી જોડાયેલી સમસ્યાઓથી પરેશાન છો? તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, તરત જ મળી જશે સમાધાન

શું તમે આધારથી જોડાયેલી સમસ્યાઓથી પરેશાન છો? તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, તરત જ મળી જશે સમાધાન

News Continuous Bureau | Mumbai

યુનીક આઈડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઈંડિયા (UIDAI)એ દેશમાં લગભગ 6 લાખ જેટલા આધાર કાર્ડ(Aadhar card) રદ(cancelled) કર્યા હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. કેન્દ્ર સરકારે(Central govt) ચોમાસા અધિવેશનમાં વિરોધ પક્ષના સવાલ પર આ માહિતી જાહેર કરી છે.

Join Our WhatsApp Community

આધાર કાર્ડ એ શ્રીમંતથી લઈને ગરીબ લોકોના જીવનનો મહત્વનો ભાગ છે. અત્યંત મહત્વનો દસ્તાવેજ ગણાતા આધાર કાર્ડના ડુપ્લીકેટ કાર્ડ બની રહ્યા હોવાની અનેક ફરિયાદ આવી હતી. તેની સામે પગલાં લેતા આધાર કાર્ડ ઈશ્યુ કરનારી સંસ્થા UIDAIએ દેશભરમાં લગભગ 5,98,999 આધાર કાર્ડ રદ કર્યા છે.

આ સમાચાર પણ વાંચો : ભારતમાં કોરોના ગ્રાફ નીચે આવ્યો- ગત 24 કલાકમાં 14 હજારથી વધુ નવા કેસ આવ્યો સામે- જાણો તાજા આંકડા

જાન્યુઆરી 2022થી સરકારે 11 વેબસાઈટને આધાર કાર્ડ સેવા આપવા પર પ્રતિબંધ મૂક્યો છે. ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈર્ન્ફોમેશન રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે લોકસભામાં વિરોધી પક્ષ નેતાના પ્રશ્નનો જવાબ આપતા આ માહિતી આપી હતી.

સરકારના કહેવા મુજબ કોઈ પણ નાગરિકના આધાર કાર્ડની નોંધણી, કોઈપણ બાયોમેટ્રિક(Biometric) માં ફેરફાર કરવાનો અને મોબાઈલ નંબર બદલવાનો અધિકાર માત્ર સરકારને રહેશે. અન્ય કોઈ વેબસાઈટ(Website)ને આ અધિકારી નહીં હોય.

Indian Railways Luggage Rules: ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા સાવધાન! 40 કિલોથી વધુ સામાન હશે તો ભરવો પડશે મસમોટો દંડ, જાણી લો રેલવેનો નવો નિયમ
Ram Sutar passes away: કલા જગતનો સૂર્ય અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન, દેશભરમાં શોકનું મોજું
Delhi Pollution: યા તો BS6 અથવા U-Turn: દિલ્હી પોલીસે બોર્ડર પરથી હજારો ગાડીઓ પાછી વાળી, VIP કાર સામે પણ કડક કાર્યવાહી
Fog Hits Delhi-NCR:દિલ્હી-NCRમાં ધુમ્મસનો કહેર: વિઝિબિલિટી ઝીરો થતા 22 ટ્રેનોના પૈડાં થંભ્યા, ફ્લાઈટના શિડ્યુલ ખોરવાતા મુસાફરો અટવાયા
Exit mobile version