Site icon

હાક થૂં…. !!! લોકોની થૂંક સાફ કરવા પાછળ 12000 કરોડ રૂપિયાનો ખર્ચ. ભારતીય રેલવેની વિસામણ. જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 12 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

સ્વચ્છ ભારત પહેલ વ્યાપકપણે પ્રસિદ્ધ થતી જોવા મળી હોવા છતાં પાન-ગુટખા ખાઈને જાહેરમાં થૂંકનારા કેટલાક લોકોની આદત સુધરી નથી. તેમને કદાચ ખ્યાલ નથી કે તેઓ થૂંકીને કેટલું નુકસાન કરી રહ્યા છે. જાણીને આશ્ચર્ય થશે કે ભારતીય રેલવે માત્ર 'ગુટખાના ડાઘ' સાફ કરવા માટે દર વર્ષે લગભગ 12,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે.

કોવિડ -19 માર્ગદર્શિકામાં વ્યક્તિગત સ્વચ્છતા અને આસપાસની સ્વચ્છતા જાળવવા પર ભાર મુકાયો છે. છતાં આદતથી મજબૂર લોકો સુધરતા નથી અને ગુટખા ખાઈને જ્યાં ત્યાં ગંદકી ફેલાવે છે. રેલવે પરિસરમાં બધી જગ્યાએ ગુટખાના ડાઘ પડેલા હોય છે.

જોકે હવે રેલવેએ આવા લોકો સાથે વ્યવહાર કરવા માટે એક નવો ઉકેલ શોધી કાઢ્યો છે. સ્ટેશન પરિસરમાં સ્પિટર કિઓસ્ક સ્થાપિત કરવાની યોજના છે.

કિંગ ખાન ના દીકરા ની ધરપકડ કરનારા બાહોશ NCB અધિકારીની ફરિયાદ, મુંબઈ પોલીસ પીછો કરે છે; આપ્યા આ પુરાવા

રેલવે દેશભરનાં 42 સ્ટેશનોમાં આવા કિઓસ્ક સ્થાપિત કરવા જઈ રહી છે. આ કિઓસ્કમાં થૂંકવા માટેના પાઉચનો સંગ્રહ કરવામાં આવશે. જેની કિંમત 5થી 10 રૂપિયા હશે. આ પાઉચને સરળતાથી ખિસ્સામાં રાખી શકાશે. જેનો 15થી 20 વાર ઉપયોગ કરી શકાશે. આ બાયોડિગ્રેડેબલ પાઉચ થૂંકને ઠોસ પદાર્થમાં ફેરવી દેશે. એક વખત પૂર્ણ રીતે ઉપયોગ કર્યા બાદ પાઉચને માટીમાં નાખી દેવાથી સરળતાથી એનું વિઘટન થઈ જશે.

રેલવેને આશા છે કે લોકો થૂંકવા માટે આ પાઉચનો ઉપયોગ કરશે. જે રેલવેના ડાઘ-સફાઈ ખર્ચને ઘટાડવામાં મદદ કરશે અને રેલવે પરિસરમાં સ્વચ્છતા પણ જળવાઇ રહેશે.

Gajendra Chauhan: મહાભારતના ‘ધર્મરાજ’ સાથે થઈ છેતરપિંડી! ગજેન્દ્ર ચૌહાણના ખાતામાંથી ₹98 હજાર સાફ, જાણો કેવી રીતે ફસાયા.
Indian Railways Luggage Rules: ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા સાવધાન! 40 કિલોથી વધુ સામાન હશે તો ભરવો પડશે મસમોટો દંડ, જાણી લો રેલવેનો નવો નિયમ
Ram Sutar passes away: કલા જગતનો સૂર્ય અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન, દેશભરમાં શોકનું મોજું
Delhi Pollution: યા તો BS6 અથવા U-Turn: દિલ્હી પોલીસે બોર્ડર પરથી હજારો ગાડીઓ પાછી વાળી, VIP કાર સામે પણ કડક કાર્યવાહી
Exit mobile version