Site icon

હવે કોરોના ટેસ્ટ વિના પણ આંતરરાજ્ય મુસાફરી કરી શકાશે; કેન્દ્ર સરકારે બહાર પાડી આ નવી માર્ગદર્શિકા, જાણો વિગત…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૬ મે ૨૦૨૧
ગુરુવાર
ભારતમાં દિવસે-દિવસે કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. તેનાથી દેશમાં આવેલી ૨૫૦૦ લેબોરેટરી પર કામનું ભારણ વધ્યું છે. તેને પગલે કેન્દ્ર સરકારે હવે તમામ રાજ્ય સરકારોને નવું પરીપત્ર પાઠવ્યું છે. કેન્દ્ર સરકારે આંતરરાજ્ય મુસાફરી માટે નિયમનું ભારણ ઓછું કર્યું છે.
હવે આંતરરાજ્ય મુસાફરી માટે સ્વસ્થ વ્યક્તિએ આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાની જરૂર નથી. તે ઉપરાંત હવે કોરોના દર્દીને હોસ્પીટલે ડિસ્ચાર્જ આપ્યા બાદ ફરી કોરોના ટેસ્ટ કરાવવાની આવશ્યકતા નથી. પરિપત્રમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે રેપીડ અથવા આરટીપીસીઆર ટેસ્ટ એકવાર પોઝિટિવ આવ્યા બાદ ફરી ટેસ્ટ કરવાની જરૂર નથી.
ઉલ્લેખનીય છે કે ગુજરાત અને બીજા રાજ્યોએ પોતાની બોર્ડર સીલ કરી હતી અને કોરોનાનો રિપોર્ટ નેગેટિવ હોય તેવી જ વ્યક્તિને રાજ્યમાં પ્રવેશ આપવાની અનુમતિ હતી.

Join Our WhatsApp Community
Dharmendra Update: ધર્મેન્દ્ર નું 89 મી વર્ષે થયું નિધન; આમિર-અમિતાભ સહિત દિગ્ગજો પહોંચ્યા સ્મશાન ઘાટ
India Gate protest: દેશની રાજધાનીમાં ખળભળાટ: ઇન્ડિયા ગેટ પર ‘હિડમા’ (નક્સલી નેતા)ના સમર્થનમાં સૂત્રોચ્ચાર, પોલીસે ૧૫ યુવાનોને પકડ્યા.
INS Mahe Launch: નૌસેનાને મળ્યો ‘મૌન શિકારી’: મુંબઈમાં સ્વદેશી યુદ્ધપોત INS માહેનું જલાવતરણ, થલ સેના પ્રમુખ બન્યા ઐતિહાસિક ક્ષણના સાક્ષી
Justice Suryakant: જસ્ટિસ સૂર્યકાંતે ભારતના ૫૩મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા, કયા પૂર્વ CJIનું સ્થાન લીધું?
Exit mobile version