Site icon News Continuous Bureau | Mumbai

હવે કોરોના ટેસ્ટ વિના પણ આંતરરાજ્ય મુસાફરી કરી શકાશે; કેન્દ્ર સરકારે બહાર પાડી આ નવી માર્ગદર્શિકા, જાણો વિગત…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૬ મે ૨૦૨૧
ગુરુવાર
ભારતમાં દિવસે-દિવસે કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. તેનાથી દેશમાં આવેલી ૨૫૦૦ લેબોરેટરી પર કામનું ભારણ વધ્યું છે. તેને પગલે કેન્દ્ર સરકારે હવે તમામ રાજ્ય સરકારોને નવું પરીપત્ર પાઠવ્યું છે. કેન્દ્ર સરકારે આંતરરાજ્ય મુસાફરી માટે નિયમનું ભારણ ઓછું કર્યું છે.
હવે આંતરરાજ્ય મુસાફરી માટે સ્વસ્થ વ્યક્તિએ આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાની જરૂર નથી. તે ઉપરાંત હવે કોરોના દર્દીને હોસ્પીટલે ડિસ્ચાર્જ આપ્યા બાદ ફરી કોરોના ટેસ્ટ કરાવવાની આવશ્યકતા નથી. પરિપત્રમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે રેપીડ અથવા આરટીપીસીઆર ટેસ્ટ એકવાર પોઝિટિવ આવ્યા બાદ ફરી ટેસ્ટ કરવાની જરૂર નથી.
ઉલ્લેખનીય છે કે ગુજરાત અને બીજા રાજ્યોએ પોતાની બોર્ડર સીલ કરી હતી અને કોરોનાનો રિપોર્ટ નેગેટિવ હોય તેવી જ વ્યક્તિને રાજ્યમાં પ્રવેશ આપવાની અનુમતિ હતી.

Join Our WhatsApp Channel
PM Modi IIT Delhi Convocation પીએમ મોદીએ સંબોધ્યો IIT દિલ્હીનો કોન્વોકેશન સમારોહ, યુવાનોને આપી મોટી પ્રેરણા
Kiren Rijiju praises Rahul Gandhi ભાજપના મંત્રીએ કરી રાહુલ ગાંધીની પ્રશંસા, કોંગ્રેસ નેતાના આ વીડિયો પર ફિદા થયા મંત્રી કિરેન રિજિજુ
US Russia Energy Sanctions Impact India ચીન કે ભારત? રશિયન ઓઈલ અને ગેસનો સૌથી મોટો ખરીદદાર કોણ? જાણો નવું અમેરિકી બિલ કેવી રીતે બદલશે ખેલ
2027 Political Game Changer Gen Z ૨૦૨૭ માં મોદી સરકાર, વિપક્ષ અને ‘GenZ’… દેશના રાજકારણની રમતમાં કોણ સાબિત થશે ‘ગેમ ચેન્જર’?
Exit mobile version