Site icon News Continuous Bureau | Mumbai

પ્રામાણિકતાની કસોટીમાં મુંબઈના નાગરિકોનો વિશ્વમાં બીજો નંબર આવ્યો, આ રીતે થઈ હતી મુંબઈવાસીઓની પરીક્ષા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 18 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

પ્રાચીનકાળથી ભારત તેના પ્રામાણિકતાના ગુણ માટે ઓળખાય છે. આધુનિક સમયમાં પણ દેશના લોકોએ આ ગુણ જાળવીને રાખ્યો છે. મુંબઈના નાગરિકો એનો પુરાવો છે. આખા વિશ્વમાં મુંબઈને પ્રામાણિકતાના ગુણમાં બીજો ક્રમાંક મળ્યો છે. જેના માટે મુંબઈવાસીઓએ એક કસોટીમાંથી પસાર થવું પડ્યું હતું. 

એક સમાચાર સંસ્થા જાણવા માગતી હતી કે દુનિયાનું કયું શહેર વધુ ઇમાનદાર છે. એથી તેણે વોલેટ એક્સપિરિયન્સ નામનો એક પ્રયોગ કર્યો. આ પ્રયોગ હેઠળ વિશ્વનાં 16 મોટાં શહેરોમાં કુલ 192 પાકીટ એટલે કે દરેક શહેરમાં 12 પાકીટ જાણીજોઈને રસ્તા ઉપર ફેંકવામાં આવ્યાં હતાં. આ બધાં જ પાકીટમાં એક વ્યક્તિનું નામ, સરનામું, ફોન-નંબર પરિવારનો ફોટો, બિઝનેસ કાર્ડ સાથે જ લોકોને લલચાવવા તેમાં 3600 રૂપિયા પણ મુકાયા હતા.

જૂની પરંપરા નિભાવવા માટે આ ટાપુ પર 1,428 ડોલ્ફિનનો ખાત્મો, સમુદ્રકિનારો બન્યો રક્તરંજિત; જાણો વિગત

  રસ્તાઓ પર ફેંકાયેલાં આ પાકીટોમાંથી કેટલાં પાકીટ પાછાં આવે છે તે જોવા માટે આ પ્રયોગ કરાયો હતો. આશ્ચર્યજનક વાત એ છે કે ન્યૂ યોર્ક, બર્લિન, લંડન, મૉસ્કો, વર્સેલ્સ જેવાં શહેરોના નાગરિકોને ઇમાનદારીની રેસમાં હરાવીને મુંબઈ વિશ્વનું બીજું સૌથી પ્રામાણિક શહેર બન્યું. મુંબઈમાં ફેંકાયેલાં 12 પાકીટમાંથી 9 પાકીટ પાછાં આવ્યાં હતાં.  લંડન અને વર્સેલ્સમાં 5 જ પાકીટ પાછાં આવ્યાં હતાં. લિસ્બન શહેરમાંથી માત્ર એક જ પાકીટ પાછું આવ્યું હતું. ફિનલૅન્ડના હેલસિંકી શહેરમાં 12માંથી 11 પાકીટ સુરક્ષિત પાછાં આવ્યાં હતાં. આ શહેરે ઇમાનદારીમાં પહેલું સ્થાન મેળવ્યું છે.

 મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રાના પ્રમુખ આનંદ મહિન્દ્રાએ મુંબઈ માટે ગર્વ વ્યક્ત કરતાં આ માહિતી ટ્વિટર પર શૅર કરી હતી. 

Air Marshal Jitendra Mishra રામ મંદિર ટ્રસ્ટના નવા CEO કોણ છે રિટાયર્ડ એર માર્શલ જીતેન્દ્ર મિશ્રા? જેમણે ‘ઓપરેશન સિંદૂર’માં આતંકીઓના ઉડાડી દીધા હતા પરખચ્ચા
Shakti Sharma Air Vice Marshal ભારતીય વાયુસેનામાં ઐતિહાસિક સિદ્ધિ શક્તિ શર્મા બન્યાં દેશના પ્રથમ મહિલા એર વાઇસ માર્શલ, સંભાળ્યો મહત્વનો હોદ્દો
Ram Mandir First CEO રામ મંદિરને મળ્યા પ્રથમ CEO, નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા સંભાળશે આ મોટી જવાબદારીઓ
Ram Mandir Trust New Trustees રામ મંદિર ટ્રસ્ટમાં ત્રણ નવા ટ્રસ્ટીઓની વરણી, આ નામો પર લાગી અંતિમ મહોર; જુઓ સંપૂર્ણ વિગત
Exit mobile version