ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 ડિસેમ્બર 2021
બુધવાર.
કોરોનાના નવા સ્વરૂપ ઓમિક્રોનના વધતા સંક્રમણને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક્શન મોડમાં આવી ગયા છે.
મળતી માહિતી પ્રમાણે ઓમિક્રોનના વધતા કેસને ધ્યાનમાં રાખીને પીએમ મોદી આજે મંત્રી પરિષદ સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે.
આ બેઠક સાંજે 4:00 વાગ્યે થવાની સંભાવના છે, જેમાં બધા મંત્રી સામેલ થશે.
કહેવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં પીએમ આગામી વર્ષમાં ઉત્તર પ્રદેશ અને પંજાબમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ અંગે ચર્ચા કરશે અને ઓમિક્રોનના સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરશે.
લો બોલો, ભરશિયાળામાં મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં પૂરનું જોખમ, આ છે કારણ; જાણો વિગત
