Site icon

વિદેશ જતા લોકોએ હવે રસીના બીજા ડોઝ માટે નહીં જોવી પડે રાહ; કેન્દ્ર સરકારે જાહેર કરી આ નવી ગાઇડલાઇન, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૧ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

શુક્રવાર

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ફરી એક વખત કોવિશીલ્ડ પહેલા અને બીજા ડોઝ વચ્ચેના અંતરને લઈ ફેરફાર કર્યા છે. હવે વિદેશ જતા લોકોએ કોવિશીલ્ડના બીજા ડોઝ માટે ૮૪ દિવસ સુધી રાહ નહીં જોવી પડે. કોવિશીલ્ડનો બીજો ડોઝ ૨૮ દિવસ પછી પણ લઈ શકાશે. જોકેકોવેક્સિન માટે બે ડોઝ વચ્ચે અંતર 28 દિવસ જ છે, એમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી.

સ્વાસ્થ્ય મંત્રાલયની નવી ગાઇડલાઇન તેમની માટે છે, જેમણે કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ લઈ લીધો છે અને તેમણે વિદેશયાત્રા પર જવાનું છે. આ વિદેશયાત્રા અભ્યાસ, રોજગાર અને ઑલિમ્પિક હેતુ હોઈ શકે છે. જોકેઆ પહેલાં પંજાબ વિદેશ જતા લોકોને કોવિશીલ્ડના પ્રથમ ડોઝ આપ્યાના 28 દિવસ બાદ બીજો ડોઝ આપશે. જિલ્લા તંત્રના અધિકારી દ્વારા 84 દિવસ નક્કી સમય પહેલાં બીજા ડોઝ લેવા માટે પરવાનગી મેળવવા પહેલાં તપાસ કરાશે.

એઇમ્સ પ્રવેશ પરીક્ષા અંગે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, INI CET-2021 પરીક્ષા એક મહિના સુધી મુલતવી રખાઈ 

ઉલ્લેખનીય છે કે કોવિશીલ્ડના બીજા ડોઝ માટે આ ત્રીજી વખત ફેરફાર કર્યા છે. જોકેઅગાઉ બંને વખત બીજો ડોઝ લેવાની મુદત વધારવામાં આવી હતી અને આ વખતે અમુક શરતો સહિત આ નિયમમાં અપવાદ આપવામાં આવ્યો છે.

March 1 Rule Changes 2026: ટ્રેન ટિકિટથી લઈને WhatsApp અને UPI સુધી; તમારા ખિસ્સા પર પડશે સીધી અસર.
Delhi Liquor Scam: દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલ-સિસોદિયાને ક્લીન ચીટ, કોર્ટે તમામ ૨૩ આરોપીઓને મુક્ત કર્યા; CBI ની ઊંઘ ઉડી ગઈ!.
Bandhavgarh Tiger Deaths 2026: બાંધવગઢમાં વાઘના મોતે વધારી ચિંતા, ૨૦૨૫ માં ૫૪ અને ૨૦૨૬ ના પ્રારંભે ૧૦ મોત; હાઈકોર્ટે આપ્યો આ આદેશ .
Vayu Shakti 2026: સરહદ પર ભારતીય વાયુસેનાનો દબદબો! ૧૨,૦૦૦ કિલોના બોમ્બ ફેંકી દુશ્મન દેશોને અપાયો કડક સંદેશ
Exit mobile version