Site icon News Continuous Bureau | Mumbai

રામદેવ બાબાએ હવે IMA પર આ નવો આરોપ લગાવ્યો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૮ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

શુક્રવાર

યોગ ગુરુ બાબા રામદેવ છેલ્લા કેટલાક દિવસોથી તેમનાં નિવેદનોને લીધે વિવાદમાં છે. બાબા રામદેવ અને ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન (IMA)વચ્ચે આરોપ-પ્રત્યારોપનો સમય હજી પૂરો થયો નથી. બાબા રામદેવે IMA પર નવો આરોપ લગાવતાં કહ્યું છે કે તેના પદાધિકારીઓના તાર ધર્મપરિવર્તન કરાવનારા લોકો સાથે જોડાયેલા છે.

એક મીડિયા હાઉસને આપેલા ઇન્ટરવ્યૂમાં રામદેવે કહ્યું હતું કે “ડૉક્ટરો મને દેશદ્રોહી કહી રહ્યા છે. જો હું દેશદ્રોહી છું તો પછી જેમના તાર ધર્મપરિવર્તન સાથે જોડાયેલા છે, શું તેઓ દેશભક્ત છે? આવા કન્વર્ઝન, અંધવિશ્વાસ પર ભરોસો કરનારા લોકો જ IMAના અધ્યક્ષ બની બેઠા છે.”

દેશમાં કોરોનાના વળતા પાણી, જાણો દૈનિક કેસ ઘટીને કેટલા થયા

ઉલ્લેખનીય છે કે બાબા રામદેવે કુંભને સુપર સ્પ્રેડર ગણાવનારા લોકોને હિન્દુવિરોધી અને ભારતવિરોધી કહ્યા છે. રામદેવે દાવો કર્યો છે કે અખાડામાં માત્ર ૧,૦૦૦ જેટલા સાધુઓ હતા અને કુંભના ૯૯% ટકા તંબુ ખાલી હતા. રામદેવે એમ પણ કહ્યું હતું કે IMAમાં અમારી સામે ઝંડો ઉઠાવનારા લોકો પણ ઘેરબેસીને કપાલભાતિ કરે છે.

Ghaziabad Train Derailment ટ્રેન અકસ્માત સાહિબાબાદ પાસે માલગાડીના ડબ્બા ખડી પડ્યા, દિલ્હી તરફ જતો વાહનવ્યવહાર પ્રભાવિત
Govt On Ethanol Blended Petrol એન્જિન ખરાબ થવાની વાતો અફવા? ઈથેનોલથી નુકસાનના કોઈ પુરાવા નથી – પાર્લામેન્ટમાં સરકારનો મોટો ખુલાસો
Cockroach Movement Parliament March દિલ્હીમાં મોટો સંગ્રામ, સોમવારે મોડી રાતથી જંતરમંતર પર ધામા, તણાવપૂર્ણ માહોલ
Cockroach Protest Farmer March Delhi ‘કોકરોચ આંદોલન’ વચ્ચે ખેડૂતોની દિલ્હી કૂચ શંભુ બોર્ડર પર ભારે તંગદિલી, સુરક્ષાચક્ર મજબૂત કરાયું
Exit mobile version