Site icon

શરદ પવારનો બળાપો: મહાવિકાસ આઘાડી સરકારને ઉથલાવવામાં ભાજપ નિષ્ફળ ગયું એટલે અમારા પરિવારના સભ્યો પર દરોડા પાડી વેર લઈ રહ્યું છે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 13 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Community

બુધવાર

મહાવિકાસ આઘાડી સરકારના મંત્રીઓના કથિત ભ્રષ્ટાચાર ખુલ્લા પાડવામાં ભાજપ કામે લાગ્યું છે. ત્યારે શરદ પવારે ફરી પોતાનો બળાપો ઠાલવ્યો છે.ભાજપે રાજ્યમાં મહાવિકાસ આઘાડી સરકારને ઉથલાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ થયું નહીં. સરકારને ઉથલાવવા માટે ઘણી ઓફર કરવામાં આવી હતી, મને પણ ઓફરો મળી હતી, જોકે કોઈ પ્રતિસાદ ન મળવાની નિરાશાને કારણે વેરની રાજનીતિ શરૂ થઈ છે, એમ કહી એનસીપીના અધ્યક્ષ શરદ પવારે આ ધડાકો કર્યો છે.

તો શું મહારાષ્ટ્રમાં વીજપુરવઠો ખંડિત થશે? મહારાષ્ટ્ર સહિત ચાર રાજ્યોએ કોલસાના આટલા કરોડ રૂપિયા કેન્દ્ર સરકારને ચૂકવવાના બાકી.. જાણો વિગત.

યશવંતરાવ ચવ્હાણ પ્રતિષ્ઠાન ખાતે એનસીપીની બેઠક યોજાઈ ત્યારે શરદ પવારે ભાજપ પર પ્રહાર કર્યા હતા. વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નામનો સીધો ઉલ્લેખ કર્યા વગર કેન્દ્રમાં 'નંબર 1' અને 'નંબર 2' આ બન્ને એનસીપીના નેતાઓને નિશાન બનાવી રહ્યા છે. અજીત પવાર અને અમારા પરિવારના સભ્યોના ઘરો પર દરોડા એનો જ એક ભાગ છે. પછીના વર્ષોમાં, આવી છાપે મારી વધવાની શક્યતા છે. ભલે કોઈ ગમે તેટલો ટાર્ગેટ રાખે, ગભરાવાનું કોઈ કારણ નથી, અમે પૂરી તાકાતથી લડીશું, એમ શરદ પવારે જણાવ્યું હતું.

Solan Fire Incident: હિમાચલના સોલનમાં ભીષણ આગનો તાંડવ; 7 વર્ષના બાળકનું કરૂણ મોત, 9 લોકો હજુ પણ ફસાયા.
ISRO PSLV-C62 Mission Failure: ઈસરોને નવા વર્ષનો મોટો ઝટકો: PSLV-C62 મિશન ત્રીજા તબક્કામાં ટેકનિકલ ખામીને કારણે નિષ્ફળ.
Vande Bharat Sleeper Fare: એરપોર્ટ જેવી સુવિધા અને કડક નિયમો: વંદે ભારત સ્લીપરમાં નો-વેઈટિંગ પોલિસી, જાણો કેટલું ખર્ચવું પડશે ભાડું
Gulshan Kumar Murder Case: ‘કેસેટ કિંગ’ ગુલશન કુમારની હત્યા કરનાર શાર્પ શૂટર અબ્દુલ મર્ચન્ટનું જેલમાં મોત, જાણો શું છે મૃત્યુનું આંચકાજનક કારણ
Exit mobile version