Site icon

શશી થરુરે ફરી લોચો માર્યો. આ જીવતા નેતાને મૃત ઘોષિત કરી દીધાં. પછી માફી માંગી…

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ , 23 એપ્રિલ 2021.
શુક્રવાર.
         ગુરુવારે રાત્રે ભૂતપૂર્વ લોકસભા અધ્ય્ક્ષ સુમિત્રા મહાજનના નિધનની અફવાથી ગોટાળો નિર્માણ થયો હતો. જયારે આ ગોટાળો કોંગ્રેસ પાર્ટીના ખાસદાર શશી થરૂરના એક ટ્વિટ દ્વારા થયો હતો.


     વાત જાણે એમ છે કે, સુમિત્રા મહાજનને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત હોવાની શંકાથી દાખલ કરાયા હતા. જ્યાં એમનો ઈલાજ ચાલી રહ્યો છે. એ સમાચારના આધારે વાતની સચ્ચાઈ જાણ્યા વગર કોંગ્રેસના નેતા શશી થરૂરે સુમિત્રા મહાજનનને શ્રદ્ધાંજલિ આપતું એક ટ્વિટ કયું. જે પછીથી સોશ્યિલ મીડિયા પર ખુબ વાયરલ થયુ હતું. ત્યારબાદ સ્થાનિક નેતા અને સુમિત્રા મહાજનના નિકટજનો દ્વારા થયેલા ખુલાસાને કારણે તેમના મૃત્યુની વાત એક અફવા પુરવાર થઇ હતી. જોકે શશી થરૂરના આ ટ્વિટ બાદ ટોળામાંના ઘેંટાની જેમ એકપછી પછી એક નેતાએ રિટ્વિટ કરીને સુમિત્રા મહાજનને શ્રદ્ધાંજલિ આપી હતી. પરંતુ ભાજપના નેતાઓએ આ સમાચારને ન માનતા ટ્વિટ
ડિલીટ કરવાની માંગણી કરી હતી. ભાજપના નેતાઓની આ માંગણી બાદ શશી થરુરે ટ્વિટ ડિલીટ કર્યું હતું.

Join Our WhatsApp Community

ભારત માટે બે વખત ઓલિમ્પિકમાં મેડલ જીતનાર કુસ્તીબાજ સુશીલ કુમાર ઓલમ્પિક માં નહીં જઈ શકે. કેમ? જાણો અહીં….

       ઉલ્લેખનીય છે કે, ગુરુવારે કોરોના સંક્રમિત હોવાની શંકાથી હોસ્પિટલમાં એડમિટ કરાયેલા સુમિત્રા મહાજનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું.

Vijay Kumar Malhotra: BJP નેતા વિજય કુમાર મલ્હોત્રા નું ૯૪ વર્ષની ઉંમરે નિધન, શિક્ષણ અને ખેલ પ્રશાસનમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન.
BSNL 4G launch: વડાપ્રધાનશ્રીએ નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં ગુજરાત સહિત દેશવાસીઓને સ્વદેશી 4G નેટવર્કની ભેટ આપી – મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ
African Swine Fever: કેરળના ત્રિશૂર જિલ્લામાં આફ્રિકન સ્વાઇન ફિવરની પુષ્ટિ; અગાઉ અરુણાચલ પ્રદેશમાં પણ પ્રકોપ, જાણો આ રોગ કેટલો જોખમી છે
Cheapest AIDS drug: ભારતે બનાવ્યું એઇડ્સ પરનું સૌથી સસ્તું ઔષધ; અગાઉ સારવારનો ખર્ચ ૩૫ લાખ થતો, હવે માત્ર આટલા જ રૂપિયા માં થશે ઉપલબ્ધ
Exit mobile version