Site icon News Continuous Bureau | Mumbai

તો હવે કોવીશિલ્ડનો બીજો ડોઝ લેવાની મુદત ૯૦ દિવસની થશે?

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૭ મે 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

સીરમ ઇન્સ્ટીટયુટ અને ઓક્ષ્ફર્ડ એસ્ટ્રાજેનેકા સાથે બનાવેલી કોરોનાની વેક્સીન કોવીશિલ્ડનો બીજો ડોઝ લેવાની મુદત વિષે હજી પણ ચર્ચાવિચારના ચાલુ છે. હાલમાં આ મુદત ૨૮ દિવસથી ૪૫ દિવસની છે. તે વધારીને ૧૨ અઠવાડિયાની કરવામાં આવે તેવી શક્યતા છે. કેન્દ્ર સરકારે નીમેલી તજજ્ઞોની સમિતિ આ બાબતે સંશોધન કરી રહી છે.

રસી ઉપર અભ્યાસ કરી રહેલી સમિતિનું તારણ છે કે ૬ અઠવાડિયા બાદ જો બીજો ડોઝ આપવામાં આવે તો તેનું અસરકારતા ૫૫.૧% અને જો ૧૨ અઠવાડિયા બાદ આપવામાં આવે તો તેની અસરકારતા ૮૧.3% છે. જો આ અંતર વધારવામાં આવે તો મુખ્યત્વે બે ફાયદા થશે. પહેલો કે જો અંતર વધે તો કંપનીને વેક્સીનનો પુરવઠો તૈયાર કરવા માટે વધુ સમય મળશે અને બીજો કે પ્રથમ ડોઝ માટે વધુ રસી ઉપલબ્ધ થશે.

અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને કોરોના ભરખી ગયો. એઇમ્સમાં લીધા અંતિમ શ્વાસ.
 

ઉલ્લેખનીય છે કે આની પહેલા ભારત બાયોટેકની કોવેક્સીનનો બીજો ડોઝ આપવાની મુદત પણ વધારવામાં આવી હતી. હવે લોકોમાં શું સરકાર વેક્સીનની વધતી માગને પહોંચીવળવા તો આમ નથી કરી રહી?

Political Crisis in West Bengal।પશ્ચિમ બંગાળમાં રાજકીય સંકટ, મમતા સરકાર સામે ૫૯ ધારાસભ્યોએ બળવો કર્યો
Chardham Yatra 2026| કેદારનાથમાં ભીડ બેકાબૂ થતાં સરકાર કડક! યાત્રાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, નવા નિયમો લાગુ
Patna Coaching Clash| ફાયરિંગના દાવા પર ખાન સરનું મોટું નિવેદન, કહી આ ચોંકાવનારી વાત ‘
CBSE Reevaluation Portal| CBSE ના સર્વરમાં મોટા ધાંધિયા શરૂ થતાં જ પોર્ટલ ક્રેશ થતાં ૧૨માના વિદ્યાર્થીઓ અટવાયા; ઇન્ટરનેટ પર ફૂટ્યો ગુસ્સો
Exit mobile version