Site icon News Continuous Bureau | Mumbai

સુપ્રીમ કોર્ટે તપાસ એજન્સી CBIની કાઢી ઝાટકણી, પેન્ડીંગ કેસ અને ચુકાદા થયેલા કેસનું માગ્યું લિસ્ટ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 04 સપ્ટેમ્બર, 2021 

Join Our WhatsApp Channel

શનિવાર

ભારતની સૌથી જૂની તપાસ એજન્સી સીબીઆઈ હંમેશા રાજકીય પક્ષોના નિશાના પર રહે છે. 

દરરોજ વિપક્ષી પાર્ટીઓ આ તપાસ એજન્સી પર નિષ્પક્ષ ન હોવાનો આરોપ લગાવે છે. 

હવે સુપ્રીમ કોર્ટે ની કામગીરીનું મૂલ્યાંકન કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે, દેશની સૌથી મોટી અદાલત એ મૂલ્યાંકન કરશે કે સીબીઆઈની સફળતાનો દર કેટલો છે. 

આ સાથે, આ ડેટાનું મૂલ્યાંકન પણ કરવામાં આવશે કે સીબીઆઈ લોજીકલ કનકલુઝન' એટલે કે કુલ કેસોની તાર્કિક નિષ્કર્ષ પર પહોંચી છે.

આ અંતર્ગત તેમણે એ પણ જણાવવું પડશે કે તપાસ એજન્સી ટ્રાયલ કોર્ટ અને હાઇકોર્ટમાં આરોપીઓને સજા અપાવવામાં કેટલા કિસ્સામાં સફળ રહી હતી. 

ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ અને ન્યાયમૂર્તિ એમએમ સુદ્રેંશની ખંડપીઠે એમ પણ કહ્યું હતું કે સીબીઆઈ માટે કેસ નોંધવા અને તપાસ કરવા માટે પૂરતું નથી, પરંતુ તેમણે એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે દોષિતોને સજા થાય.  

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટ સમયાંતરે સીબીઆઈ વિદ્ધ કઠોર ટિપ્પણીઓ કરતી આવી છે. વર્ષ 2013 માં કોલસા કૌભાંડની સુનાવણી કરતી વખતે, એવું કહેવામાં આવ્યું હતું કે સીબીઆઈ એક પીંજરામાં બંધ પોપટ છે જે ફકત તેના માસ્ટરનું જ સાંભળે છે અને તે જ કહે છે. આ વર્ષે 6 ઓગસ્ટે પણ સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશોને ધમકી આપવાના કેસમાં સીબીઆઈ સામે નારાજગી વ્યકત કરી હતી

મહારાષ્ટ્રના આ વિસ્તારમાં સ્થિત કાપડ ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ લાગી ભીષણ આગ, એકનું મોત આટલા લોકો ગંભીર રીતે ઘાયલ; જાણો વિગતે 

Political Crisis in West Bengal।પશ્ચિમ બંગાળમાં રાજકીય સંકટ, મમતા સરકાર સામે ૫૯ ધારાસભ્યોએ બળવો કર્યો
Chardham Yatra 2026| કેદારનાથમાં ભીડ બેકાબૂ થતાં સરકાર કડક! યાત્રાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, નવા નિયમો લાગુ
Patna Coaching Clash| ફાયરિંગના દાવા પર ખાન સરનું મોટું નિવેદન, કહી આ ચોંકાવનારી વાત ‘
CBSE Reevaluation Portal| CBSE ના સર્વરમાં મોટા ધાંધિયા શરૂ થતાં જ પોર્ટલ ક્રેશ થતાં ૧૨માના વિદ્યાર્થીઓ અટવાયા; ઇન્ટરનેટ પર ફૂટ્યો ગુસ્સો
Exit mobile version