Site icon

ભારતમાં આટલા કરોડ રખડતા કૂતરા અને બિલાડીઓ; ઓલ પેટ્સ વોન્ટેડ ઇન્ડેક્સમાં ભારત સહુથી પાછળ; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 29 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

સામાન્ય રીતે કુતરા અને બિલાડી જેવા પ્રાણીઓ વધુ લોકોને પ્રિય હોય છે. આ પ્રાણીઓને લોકો ઘરમાં પાળવાનું પસંદ કરે છે. બીજી બાજુ રખડતા કૂતરા અને બિલાડીઓની સંખ્યા પણ દેશમાં વધુ છે. કૂતરા અને બિલાડી જેવા પાલતુ પ્રાણીઓની સંભાળ માટે દેશમાં ઘણી સંસ્થાઓ કામ કરી રહી છે. કલાકારો, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પાલતુ પ્રાણીઓની સંભાળ રાખવા માટે સતત અપીલ કરી રહ્યા છે, પરંતુ રખડતા પ્રાણીઓની વધતી સંખ્યાને કારણે ભારતને 'ઓલ પેટ્સ વોન્ટેડ' ઈન્ડેક્સમાં ઓછા માર્ક્સ મળ્યા છે. ભારતમાં લગભગ 6.2 કરોડ રખડતા કૂતરા અને 91 લાખ રખડતી બિલાડીઓ છે. 

રિપોર્ટ 'ધ સ્ટેટ ઓફ પેટ હોમલેસનેસ ઈન્ડેક્સ'માં ભારતમાં રખડતા કૂતરાઓની વધતી સંખ્યા જાહેર થઈ છે. ભારત 'ઓલ પેટ્સ વોન્ટેડ' ઈન્ડેક્સમાં 10 માંથી માત્ર 2.4 માર્ક જ મેળવી શક્યું છે. દેશમાં અંદાજે 7 કરોડ રખડતા કૂતરા અને બિલાડીઓ છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતના 85% પાલતુ પ્રાણીઓ તેમના માલિકો દ્વારા ત્યજી દેવામાં આવે છે. નિષ્ણાતો કહે છે કે આ સ્થિતિ ચિંતાજનક છે.

મહારાષ્ટ્રમાં ચિંતાના વાદળો, મુંબઈને અડીને આવેલા આ વિસ્તારના વૃદ્ધાશ્રમમાં 69 લોકોને થયો કોરોના; જાણો વિગતે

ઉપરાંત ચીનમાં 75 લાખ રખડતા કૂતરા છે. જ્યારે અમેરિકામાં 48 લાખ, જર્મનીમાં 2.06 કરોડ ગ્રીસમાં 20 લાખ અને બ્રિટનમાં 11 લાખ રખડતા કૂતરા છે. આ બધા આંકડાની સરખામણીમાં ભારતમાં રખડતા કૂતરાઓની સંખ્યા વધારે છે.

Tejas Crash: મોટો ખુલાસો: ‘બ્લેકઆઉટ’ના કારણે થયું તેજસનું ક્રેશ? ડિફેન્સ એક્સપર્ટે ક્રેશ પાછળના રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો.
Red Fort Blast: નાટકીય વળાંક: લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં પકડાયેલા આતંકીએ કોર્ટમાં જજ સમક્ષ શું માગ્યું? જાણો હાઈ-પ્રોફાઈલ કેસ નું નવું અપડેટ
Operation Sindoor: મ્મુ-કાશ્મીર એલર્ટ: ‘ઓપરેશન સિંદૂર’ના વળતા પ્રહારમાં પાકિસ્તાની આતંકીઓ વધુ સક્રિય! સામે આવી ચોંકાવનારી ગુપ્ત જાણકારી
Delhi Blast: લાલ કિલ્લા ધમાકાનું ષડયંત્ર: ફરીદાબાદમાં કેબ ડ્રાઈવરના ઘરમાં બનાવાયો હતો વિસ્ફોટક, તપાસ એજન્સીઓને મોટો પુરાવો મળ્યો
Exit mobile version