Site icon

અંગ્રેજો સામે ભારતે લીધો બદલો, યુકેથી આવતા લોકો પર હવે લાગુ થશે આ કડક નિયમો; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 01 ઓક્ટોબર, 2021 

Join Our WhatsApp Community

શુક્રવાર

વૈશ્વિક મહામારી કોરોનાએ હાહાકાર મચાવ્યો છે હજી પણ કોરોના નાબૂદ થયો નથી પરંતુ કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે. આ સ્થિતિમાં આવતા મહિને તહેવાર આવી રહ્યા છે ત્યારે ભારત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ભારતે યુકે સાથે જેવા સાથે તેવા જેવી નીતિ અપનાવી છે. 

ભારત સરકાર દ્વારા કોરોના ના ફેલાય તે માટે અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, યુકેથી આવતા તમામ પ્રવાસીઓએ કોવિડ-19ના નિયમોનું કડક રીતે પાલન કરવું પડશે, યુકેથી આવનાર તમામ મુસાફરોએ 10 દિવસ સુધી ક્વોરન્ટીન થવુ પડશે તે પણ ફજિયાત પણે. મુસાફરોને ભલે જે પણ રસી આપવામાં આવી હોય પણ તેમણે 72 કલાક પહેલા RTPCR ટેસ્ટ કરાવીને આવવું પડશે. પછી ભારતમાં આવ્યા બાદ પણ કોરોના ટેસ્ટ કરાવવો પડશે.  

આપને જણાવી દઈએ કે આ નવા નિયમો 4 ઓક્ટોબરથી અમલમાં આવશે. આ નિયમ યુકેથી આવતા તમામ નાગરિકોને લાગુ પડશે. 

પંજાબ બાદ હવે આ રાજ્યમાં કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ, પૂર્વ સીએમ સહિતના 12 ધારાસભ્યો TMCમાં જોડાશે; જાણો વિગતે 

ઉલ્લેખનીય છે કે બ્રિટેન સરકારે કોરોનાને પગલે યાત્રાને લઈને તેમણે જુદા જુદા નિયમો બનાવ્યા હતા. જેમા શરૂઆતમાં તેમણે કોવિશીલ્ડ વેક્સિનને મંજૂરી પણ નહોતી આપી. પરંતુ બાદમાં ભારતના દબાણમાં આવીને તેમણે વેક્સિનને મંજૂરી આપી હતી. 

Bullet Train: બાંદ્રા કુર્લા બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું કામ અંતિમ તબક્કામાં,NHSRCL એ કરી જાહેરાત
Viral Video: ‘દીકરી લંડન જઈને ભૂલી ગઈ’, 80 વર્ષના માતા-પિતા ને કરવું પડે છે આવું કામ, વૃદ્ધ દાદા નો સંઘર્ષ જોઈને આંખમાં આવશે પાણી.
SSK Bharat: ‘આત્મનિર્ભર’ અને ‘વિશ્વગુરુ’ ભારતનું નિર્માણ એક નવીન બિઝનેસ મોડેલ સાથે આગળ વધી રહેલી કંપની
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Exit mobile version