Site icon News Continuous Bureau | Mumbai

વર્લ્ડ બેંકે કોરોના મહામારીમાં ગરીબોની અસાધારણ મદદ માટે મોદી સરકારની કરી પ્રશંસા- અન્ય દેશોને આપી આ સલાહ

News Continuous Bureau | Mumbai

કોરોનામાં(Corona) ભારતે ગરીબોને અનેક પ્રકારની સહાયતા આપીને તેમને ટકાવી રાખ્યાં હતા. જોકે આ દરમિયાન ઓક્સિજનના અભાવે(Lack of oxygen) ઘણા લોકોના મોત પણ થયા હતા તે વાત પણ સાચી છે, પરંતુ હવે ભારતના આ પ્રયાસની ઈન્ટરનેશનલ સ્તરે(Internationally) નોંધ લેવાઈ છે. વિશ્વ બેંકના(World Bank) પ્રમુખ ડેવિડ માલપાસે(David Malpass) કહ્યું કે કોવિડ -૧૯ રોગચાળા(The Covid-19 pandemic) દરમિયાન ભારતની ગરીબ અને જરૂરિયાતમંદોને(poor and needy) મદદ કરવી અત્યંત અનોખી છે. અન્ય દેશોએ પણ ભારત જેવી વ્યાપક સબસિડી આપવાને બદલે ડાયરેક્ટ કેશ ટ્રાન્સફરનો(Direct Cash Transfer) વિકલ્પ અપનાવવો જોઈએ.

Join Our WhatsApp Channel

વિશ્વ બેંક વતી 'પોવર્ટી એન્ડ શેર્ડ પ્રોસ્પેરિટી(Poverty and Shared Prosperity)' રિપોર્ટ જાહેર કરતા માલપાસે જણાવ્યું હતું કે, ગરીબી ઘટાડાના વૈશ્વિક પ્રગતિના(global progress) સમયગાળાના અંત આવ્યો છે. વર્લ્ડ બેન્કના પ્રમુખ માલપાસે કહ્યું કે ભારતે ડિજિટલ કેશ ટ્રાન્સફર(Digital Cash Transfer) દ્વારા ૮૫ ટકા ગ્રામીણ પરિવારોને ભોજન(Food to rural families) કે રોકડ આપીને ઉલ્લેખનીય મદદ કરી હતી. ભારતે આ સુવિધા ૬૯ ટકા આર્થિક રીતે નબળા શહેરી વર્ગોને આપી હતી. વર્લ્ડ બેન્કના પ્રમુખે કહ્યું કે છેલ્લા ત્રણ દાયકામાં એક અબજથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. સૌથી ગરીબ દેશોની આવકને પણ મજબૂત આધાર મળ્યો. પરંતુ વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ને(Global pandemic covid) કારણે સૌથી ગરીબ લોકોને સૌથી વધુ કિંમત ચૂકવવી પડી હતી. માલ્પાસે જણાવ્યું હતું કે બ્રાઝિલ(Brazil) આર્થિક સંકોચન છતાં ૨૦૨૦ માં ગરીબી ઘટાડવામાં સફળ રહ્યું હતું. બ્રાઝિલે આ માટે મુખ્યત્વે પરિવાર આધારિત ડિજિટલ કેશ ટ્રાન્સફર સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. કોરોના રોગચાળાએ રેખાંકિત કર્યું છે કે કેવી રીતે દાયકાઓથી પ્રાપ્ત પ્રગતિ અચાનક અદ્રશ્ય થઈ શકે છે. શિક્ષણ, સંશોધન, વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્‌સમાં રોકાણ કરવું જાેઈએ. સરકારોએ આગામી કટોકટી માટે સજ્જતામાં સુધારો કરવાની જરૂર છે.

આ સમાચાર પણ વાંચો :  WHO ચેતવણી- 66 બાળકોના મૃત્યુ સાથે સંકળાયેલા 4 ભારતીય કફ સિરપ જીવલેણ જણાયા

PM Modi Uzbekistan Kyrgyzstan Visit ૨૯ ઓગસ્ટથી ઉઝબેકિસ્તાનકિર્ગિઝસ્તાન પ્રવાસે PM મોદી, SCO સમિટમાં વૈશ્વિક નેતાઓ સાથે થશે મંથન
Delimitation 543 Seats Freeze સંસદમાં ફરી રાજકીય ગરમાવો ખડગેએ PM મોદીને પત્ર લખીને કરી લોકસભાની ૫૪૩ બેઠકો ૨૫ વર્ષ સુધી યથાવત રાખવાની માંગ
Nepal Floods MEA Update નેપાળ પૂર સંકટ પર MEA નું સત્તાવાર નિવેદન ૨૮૮ ભારતીયો સંપર્કવિહોણા, ૨૧ ને સુરક્ષિત બચાવાયા
National Law School Convocation Cancelled CJI અને BCI અધ્યક્ષના વિરોધનું પરિણામ? નેશનલ લો સ્કૂલે ૩૪મો દીક્ષાંત સમારોહ કેમ પડતો મૂક્યો?
Exit mobile version