Site icon News Continuous Bureau | Mumbai

Adhir Ranjan Chowdhury : અધીર રંજન ચૌધરી લોકસભામાંથી સસ્પેન્ડ, મામલો વિશેષાધિકાર સમિતિને મોકલવામાં આવ્યો, જાણો શું છે કારણ..

Adhir Ranjan Chowdhury : પ્રસ્તાવને આગળ વધારતા સંસદીય બાબતોના મંત્રીએ કહ્યું, તેમની આ આદત બની ગઈ છે. વારંવારની ચેતવણી બાદ પણ તેમનામાં કોઈ સુધારો નથી. તેઓ હંમેશા ચર્ચાઓમાં પાયાવિહોણા આરોપો લગાવે છે.

Adhir Ranjan Chowdhury: Irked by his jibes at Modi, House suspends Adhir Chowdhury citing 'unruly’ conduct

Adhir Ranjan Chowdhury: Irked by his jibes at Modi, House suspends Adhir Chowdhury citing 'unruly’ conduct

News Continuous Bureau | Mumbai 

Adhir Ranjan Chowdhury : લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના(congress leader) સાંસદ અધીર રંજન ચૌધરીને ‘અનિયમિત’ વર્તન બદલ લોકસભામાંથી(lok sabha) સસ્પેન્ડ(suspend) કરવામાં આવ્યા છે. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી દ્વારા સસ્પેન્શનની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. લોકસભાએ તેમના વ્યવહાર(behaviour) અને મર્યાદા વિરૂદ્ધના વર્તનને ધ્યાનમાં રાખીને મામલો વિશેષાધિકાર સમિતિને તપાસ માટે મોકલવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં સમિતિનો નિર્ણય ન આવે ત્યાં સુધી તેમને લોકસભામાંથી સસ્પેન્ડ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.

Join Our WhatsApp Channel

તેમના પ્રસ્તાવમાં, પ્રહલાદ જોશીએ(Prahlad joshi) અધીર રંજન ચૌધરી પર સંસદની કાર્યવાહી દરમિયાન સતત વિક્ષેપ ઉભો કરવાનો અને દેશ અને તેની છબીને બદનામ કરવાનો આરોપ મૂક્યો. જ્યાં સુધી વિશેષાધિકાર સમિતિ આ બાબતે પોતાનો અહેવાલ રજૂ નહીં કરે ત્યાં સુધી તેઓ સસ્પેન્ડ રહેશે.

આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે 11 ઓગસ્ટ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

પ્રસ્તાવને આગળ વધારતા સંસદીય બાબતોના મંત્રીએ કહ્યું, “તેઓ હંમેશા તેમના નિવેદનોથી પાયાવિહોણા આક્ષેપો કરે છે. આ અંગે તેને વારંવાર ચેતવણી આપવામાં આવી છે, પરંતુ તેની આદતમાં કોઈ સુધારો થયો નથી. તેઓ આ માટે માફી પણ માગતા નથી. લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવનો જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અધીર રંજન ચૌધરી પર કટાક્ષ કર્યો હતો. પીએમ મોદીના સંબોધન દરમિયાન વિપક્ષના સાંસદોએ લોકસભામાંથી વોકઆઉટ કર્યું હતું.તે

મંત્રીએ કહ્યું કે બુધવારે જ્યારે ગૃહમંત્રી અમિત શાહ લોકસભામાં બોલી રહ્યા હતા ત્યારે પણ તેમણે આવું જ વર્તન કર્યું હતું. જોશીએ પછી અધિરનો કેસ વિશેષાધિકાર સમિતિને મોકલવાની દરખાસ્ત દાખલ કરી અને માંગણી કરી કે જ્યાં સુધી સમિતિ તેનો અહેવાલ રજૂ ન કરે ત્યાં સુધી તેમને સસ્પેન્ડ કરવામાં આવે. આ પ્રસ્તાવને સંસદે સ્વીકારી લીધો હતો.

Nitin Gadkari। નિતિન ગડકરીનો પ્લાન ૧૦૦% ઈથેનોલ પર ચાલશે ભારતની કાર, ઓટોમોબાઈલ કંપનીઓ સામે છે આ ખાસ ટેકનિકલ પડકારો
El Nino Effect| ખેતી માટે કટોકટીનો સમય ‘એલ નિનો’ના પડકાર અને કમોસમી વરસાદની બેવડી માર સામે સીએમ ફડણવીસે આપ્યા ખાસ નિર્દેશો
LPG Crisis| LPG ગ્રાહકો માટે એલર્ટ સિલિન્ડર લેતા સમયે આ કોડ આપવો ફરજિયાત, જાણો શું છે આખો મામલો
Pahalgam Terror Attack। આતંકવાદીઓના પ્લાન વિશે જાણતા હતા બે કાશ્મીરીઓ? સુરક્ષા વ્યવસ્થામાં રહી ગયેલી મોટી ચૂકનો ખુલાસો
Exit mobile version