Site icon

Aditya L1 Mission : ભારત રચશે વધુ એક ઇતિહાસ, મિશન આદિત્ય અંતિમ તબક્કા તરફ, જાન્યુઆરીનો આ દિવસ ખૂબ મહત્વપૂર્ણ..

Aditya L1 Mission : ભારતીય અવકાશ એજન્સી (ISRO) એ તેના સૂર્ય મિશન આદિત્ય L1 વિશે મોટી માહિતી શેર કરી છે. ISRO ચીફ એસ સોમનાથે જણાવ્યું હતું કે સૂર્યનો અભ્યાસ કરવા માટે ભારતના પ્રથમ અવકાશ મિશનના ભાગ રૂપે લોન્ચ કરાયેલ આદિત્ય L1 અવકાશયાન તેના અંતિમ તબક્કામાં છે અને L1 બિંદુમાં પ્રવેશવાની પ્રક્રિયા 7 જાન્યુઆરી, 2024 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.

Aditya L1 Mission Aditya L-1 Spacecraft Nearing Final Phase ISRO Chief S Somanath On India’s Sun Mission

Aditya L1 Mission Aditya L-1 Spacecraft Nearing Final Phase ISRO Chief S Somanath On India’s Sun Mission

News Continuous Bureau | Mumbai

Aditya L1 Mission : સૂર્યનો અભ્યાસ કરવા માટે મોકલવામાં આવેલ ભારતનું પ્રથમ અવકાશ મિશન ( space mission ) આદિત્ય L1 તેના અંતિમ તબક્કામાં ( Final Phase ) છે અને ટૂંક સમયમાં તેના લક્ષ્ય બિંદુ સુધી પહોંચશે. ઈસરોના ( ISRO ) ચીફ એસ સોમનાથે ( S Somnath ) આ જાણકારી આપી છે. ઈસરોના વડાએ કહ્યું કે આદિત્ય સાચા માર્ગ પર છે અને મને લાગે છે કે તે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. તેમણે કહ્યું કે શક્ય છે કે 7 જાન્યુઆરીએ આદિત્ય L1 તેના અંતિમ દાવપેચને પૂર્ણ કરી L1 પોઈન્ટમાં પ્રવેશ કરશે.

Join Our WhatsApp Community

તાપમાનની પેટર્નને સમજવાનો પ્રયાસ કરશે

નોંધનીય છે કે આદિત્ય L1 ગત 2 સપ્ટેમ્બર 2023 ના રોજ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં સતીષ ધવન સ્પેસ સેન્ટરથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. આદિત્ય L1 અવકાશયાન ( Spacecraft ) લગભગ 15 લાખ કિલોમીટરનું અંતર કાપશે અને 125 દિવસમાં સૂર્યની સૌથી નજીકના લેગ્રાંગિયન બિંદુ સુધી પહોંચશે. આદિત્ય L1 લેગ્રાંગિયન બિંદુ પરથી સૂર્યની તસવીરો લેશે અને તેને પૃથ્વી પર મોકલશે. આદિત્ય L1 ની મદદથી, ISRO સૂર્યની કિનારીઓ પર થતી ગરમીનો અભ્યાસ કરશે અને સૂર્યની કિનારે ઉદ્ભવતા વાવાઝોડાની ઝડપ અને તાપમાનની પેટર્નને સમજવાનો પ્રયાસ કરશે.

આ સમાચાર પણ વાંચોઃ Sandwich : લ્યો બોલો, મહિલાએ 628 રૂપિયાની સેન્ડવિચ ખાધી, ટીપમાં આપ્યા અધધ 6 લાખ રૂપિયા! હવે માંગી રહી છે પરત.. જાણો શું કારણ

લેગ્રેન્જિયન પોઈન્ટ શું છે

લેગ્રેન્જિયન પોઈન્ટનું નામ ઈટાલિયન-ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી જોસેફી લુઈસ લેગ્રેન્જના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ L1 તરીકે ઓળખાય છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચે પાંચ બિંદુઓ છે, જ્યાં સૂર્ય અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ નિયંત્રિત થાય છે. જો કોઈપણ વસ્તુને આ બિંદુઓ પર મૂકવામાં આવે છે, તો તે સરળતાથી તે બિંદુની આસપાસ ફરવાનું શરૂ કરે છે. આ બિંદુઓ પરથી સૂર્યનો અભ્યાસ કરવો શક્ય છે. ખાસ વાત એ છે કે L1 પોઈન્ટથી સૂર્ય કોઈપણ ગ્રહણ વિના સતત જોઈ શકાય છે અને અહીંથી રિયલ ટાઈમમાં સૌર ગતિવિધિઓ પર નજર રાખી શકાય છે.

Ram Temple: ઐતિહાસિક ક્ષણ: પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે ‘ધ્વજારોહણ’, PM મોદી રામ મંદિરના શિખર પર ફરકાવશે ૨૨ ફૂટનો ભવ્ય ધર્મ ધ્વજ, જાણો કાર્યક્રમની સંપૂર્ણ વિગતો
Wada police action: વાડા પોલીસ સ્ટેશનની મોટી કાર્યવાહી; ઝારખંડના ડ્રાઇવરની ધરપકડ, પ્રતિબંધિત માલની હેરાફેરીનો પર્દાફાશ
Omar Abdullah: ‘ઉમર અબ્દુલ્લાનો આક્રોશ,રાજ્યસભા ચૂંટણીમાં BJPને મળેલા 4 વોટ પર ઉઠાવ્યો સવાલ, ‘કોણે કર્યો દગો?’
Cyclonic Storm: વરસાદ અને ઠંડીનું ડબલ એટેક,દેશના આ રાજ્યોમાં ચક્રવાતી તોફાનની ચેતવણી, UPમાં પારો ગગડશે.
Exit mobile version