Site icon News Continuous Bureau | Mumbai

Uttarkashi Cloudburst: 35 વર્ષ પછી બન્યો હતો ફરવાનો પ્લાન, પુણેથી ચારધામ યાત્રા પર ગયેલા 24 મિત્રોનું ગ્રુપ થયું ગુમ

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં આવેલા વાદળ ફાટવાને કારણે સર્જાયેલી આફતમાં મહારાષ્ટ્રના પુણેના 24 મિત્રોનું એક જૂથ ગુમ થયું છે, જેઓ 35 વર્ષ પછી ચારધામ યાત્રા માટે ભેગા થયા હતા.

35 વર્ષ પછીની ચારધામ યાત્રા પુણેથી ગયેલા 24 મિત્રોનું ગ્રુપ થયું ગુમ

35 વર્ષ પછીની ચારધામ યાત્રા પુણેથી ગયેલા 24 મિત્રોનું ગ્રુપ થયું ગુમ

News Continuous Bureau | Mumbai
ઉત્તરાખંડના (Uttarakhand) ઉત્તરકાશી (Uttarkashi) જિલ્લામાં વાદળ ફાટવા (Cloudburst)ને કારણે થયેલી તબાહી બાદ ઘણા લોકો ગુમ છે, જેમાં મહારાષ્ટ્ર ના ઘણા પ્રવાસીઓ પણ સામેલ છે. મહારાષ્ટ્રના 149 પ્રવાસીઓમાંથી લગભગ 75 લોકોના ફોન હજી પણ બંધ છે અને નેટવર્કની બહાર છે. જલગાંવના 16 લોકો બાદ હવે પુણેના 24 મિત્રોનું એક ગ્રુપ ગુમ થયાના મોટા સમાચાર સામે આવ્યા છે. આ ગ્રુપ પુણેની એક સ્કૂલના 1990 બેચના મિત્રોનું છે, જેઓ 35 વર્ષ પછી ચારધામ યાત્રા માટે ભેગા થયા હતા.

35 વર્ષ પછી ભેગા થયેલા મિત્રોનું ગ્રુપ

પુણેના મંચર ગામના અશોક ભોર અને તેમના 23 મિત્રો 35 વર્ષ પછી ચારધામ યાત્રા માટે ભેગા થયા હતા. મુંબઈ અને અન્ય જગ્યાએ રહેતા આ ગ્રુપના લોકોએ 1 ઓગસ્ટે પોતાની યાત્રા શરૂ કરી હતી. આ 24 મિત્રોનું જૂથ 75 પ્રવાસીઓના મોટા સમૂહનો એક ભાગ હતું. આ 24 મિત્રોનું જૂથ બુધવારે ગંગોત્રી પાસે આવેલા ધરાલી ગામમાં આવેલા પૂરમાં ફસાયા બાદથી ગુમ છે. આ સિવાય મહારાષ્ટ્રના અન્ય 74 પ્રવાસીઓ પણ ઉત્તરાખંડમાં ફસાયેલા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Amit Shah: અમિત શાહ આજે બિહારમાં સીતા જન્મસ્થળના વિકાસનો શિલાન્યાસ કરશે,આટલા કરોડ સાથે પૂરી થશે પરિયોજના

પરિવારજનો સાથેનો છેલ્લો સંપર્ક

અશોક ભોરના પુત્ર આદિત્ય એ જણાવ્યું કે તેણે તેના પિતા સાથે છેલ્લીવાર 4 ઓગસ્ટે વાત કરી હતી. તેના પિતાએ ફોન પર જણાવ્યું હતું કે તેઓ ગંગોત્રીથી લગભગ 10 કિલોમીટર દૂર છે. તેમણે એ પણ જણાવ્યું કે રસ્તામાં એક ઝાડ પડવા અને નાના ભૂસ્ખલનને કારણે તેઓ ફસાયેલા છે. આદિત્ય એ જણાવ્યું કે તે પછીથી તેમના કે તેમના ગ્રુપના કોઈ અન્ય સભ્યનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી.

સરકારી સ્તરે થઈ રહેલા પ્રયાસો

બારામતીના (Baramati) સાંસદ સુપ્રિયા સુલેએ (Supriya Sule) બુધવારે સોશિયલ મીડિયા (Social Media) પર આ પ્રવાસી જૂથની માહિતી શેર કરી અને રાજ્ય સરકાર (State Government) અને ઉત્તરાખંડના (Uttarakhand) મુખ્યમંત્રીને તેમની સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરવા અપીલ કરી છે. આ અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે (Ajit Pawar) જણાવ્યું કે ફસાયેલા પ્રવાસીઓને બહાર કાઢવા અને તેમની સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરવાના પ્રયાસો ચાલુ છે. મહારાષ્ટ્રના એક આપત્તિ વ્યવસ્થાપન અધિકારીએ જણાવ્યું કે ફસાયેલા પ્રવાસીઓનો સંપર્ક કરવો મુશ્કેલ છે, પરંતુ તેઓ ઉત્તરાખંડ પ્રશાસન ના સંપર્કમાં છે.

Onion Price Hike ખિસ્સા પર ભારે પડી રહી છે મોંઘવારી… કાંદાશાકભાજીના આસમાને પહોંચેલા ભાવથી રસોડાનું ગણિત બગડ્યું, ગૃહિણીઓ પરેશાન!
Narcotics Control Bureau Heroin Seizure NCBનું મેગા ઓપરેશન ‘બ્લેક હોક’! આંતરરાજ્ય હેરોઈન સિન્ડિકેટનો પર્દાફાશ, ૧૮.૬ કિલોથી વધુ ક્રૂડ હેરોઈન જપ્ત
UPI completes 10 years દુનિયા ભારતની ડિજિટલ તાકાત સામે નમી ગઈ! UPI એ ડિજિટલ પેમેન્ટ જગતમાં વગાડ્યો ડંકો, પૂરો થયો ૧ દાયકો..
National Teachers Award 2026 “દેશના અગ્રેસર શિક્ષકોને સલામ” શિક્ષક દિવસે રાષ્ટ્રપતિના હસ્તે 21 ટેલેન્ટેડ એજ્યુકેટરને મળશે રાષ્ટ્રીય એવોર્ડ્સ!
Exit mobile version