Site icon News Continuous Bureau | Mumbai

અજબ કહેવાય.. પાક.સરહદ નજીક આવેલા 3 ગામમાં વીજળી પહોંચતાં 73 વર્ષ લાગ્યાં… જાણો વિગત

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

10 ઓગસ્ટ 2020

ભારત પાકિસ્તાન સરહદ નજીક આવેલા ત્રણ ગામોમાં આઝાદીનાં 75 વર્ષ બાદ છેક હવે વીજળી પહોંચી છે. ભારે બરફવર્ષા અને કોરોનાને કારણે કુપવાડા જિલ્લા વહીવટીતંત્ર એ એલ.ઓ.સી પરના જમ્મુ-કાશ્મીરના કેરાન વિસ્તારમાં ત્રણ ગામોમાં વિજળી પહોંચાડી છે. છેક આઝાદીથી રાહ જોઈ રહેલા ગ્રામજનોના ઘરમાં, કલમ 370 હટયા બાદ રોશની ફેલાઇ છે. 

વીજ સંચાલન કંપની સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે કેરાન વિસ્તારમાં વિજળી પહોંચાડવાનું કામ સરળ ન હતું. કલમ 370 રદ થવાથી અને કોવિડ 19 જેવા રોગચાળાને કારણે લાદવામાં આવેલા પ્રતિબંધોને લઈ કર્મચારીઓની ખુબ અછત પડી હતી. પાછું આ સરહદી વિસ્તારમાં ઉંચાઈએ આવેલા ગામ સુધી પહોંચવાની યાત્રા પણ ખૂબ કઠિન હતી. એક તો ભારે હિમવર્ષાને કારણે આ વિસ્તાર લગભગ છ મહિના, અન્ય ભાગોથી વિખૂટું રહે છે અને તે દરમિયાન 9 થી 12 ફુટ સુધી બરફ જામી ગયેલો હોય છે. આમ છતાં જમ્મૂ-કાશ્મીરના કુપવાડાના વહીવટી તંત્રએ 31 જુલાઇની સમય સીમા સુધીમાં પાવર સબ સેન્ટર નું ઉદઘાટન કરી દીધું હતું. હવે કુપવાડા પ્રશાસન નું ધ્યાન સરહદી વિસ્તારના બીજા નાના નાના ગામોને પાવરગ્રીડ થી જોડવાનું છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Pawan Khera: કોંગ્રેસ નેતા પવન ખેડાને રાહત કે આફત? સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટનો નિર્ણય પલટાવ્યો, નોટિસ પાઠવી માંગ્યો ખુલાસો
ED Raid :આમ આદમી પાર્ટીને મોટો ફટકો: સાંસદ અશોક મિત્તલ અને તેમના પુત્રના ઠેકાણે EDના દરોડા, કરોડોના વ્યવહારની તપાસ.
Jag Vikram: દરિયામાં ભારતની દાદાગીરી! હોર્મુઝની ખાડીમાંથી પસાર થયું ‘જગ વિક્રમ’, ડ્રેગન અને પાકિસ્તાનના તમામ પ્લાન થયા ફેલ
Tragic Accident in Punjab: પંજાબમાં કાળમુખો અકસ્માત: ફતેહગઢ સાહિબમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પલટી, 6 ના મોતથી ચીસયારીઓ ગુંજી!
Exit mobile version