Site icon News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન મોદીએ અગ્નિપથ યોજનાને ગણાવી ‘ગેમ ચેન્જર’, અગ્નિવીરોને કહી આ વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અગ્નિવીરોની પ્રથમ બેચ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે યુવાનોના જુસ્સાની પણ પ્રશંસા કરી હતી. વડાપ્રધાને લગભગ 5-6 મિનિટ સુધી અગ્નિવીરોને સંદેશો આપ્યો

Agneepath scheme will prove to be a milestone-PM Modi

વડાપ્રધાન મોદીએ અગ્નિપથ યોજનાને ગણાવી 'ગેમ ચેન્જર', અગ્નિવીરોને કહી આ વાત

News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અગ્નિવીરોની પ્રથમ બેચ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે યુવાનોના જુસ્સાની પણ પ્રશંસા કરી હતી. વડાપ્રધાને લગભગ 5-6 મિનિટ સુધી અગ્નિવીરોને સંદેશો આપ્યો. તેમણે કહ્યું, “મેં રેજિમેન્ટલ સેન્ટરમાંથી આવતા અગ્નિવીરોના વીડિયો જોયા છે અને તે જોઈને આનંદ થાય છે કે આ તમામ અગ્નિવીરો દેશ માટે આ અગ્નિપથ યોજનામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે.” દેશ પ્રત્યે અગ્નિવીરોના જુસ્સાની પ્રશંસા કરતા વડાપ્રધાને કહ્યું, “આધુનિક ટેક્નોલોજીની મદદ અને અગ્નિવીરોની તાલીમમાં વધુ સુધારો કરવામાં આવી રહ્યો છે, જેથી તમે લોકો દેશ માટે સર્વોચ્ચ કાર્ય કરી શકો.”

Join Our WhatsApp Channel

આ યોજના મહિલાઓને વધુ સશક્ત બનાવશે

અગ્નિવીરોની ક્ષમતાની પ્રશંસા કરતા વડાપ્રધાને કહ્યું કે તેમની ભાવના સશસ્ત્ર દળોની બહાદુરીને પ્રતિબિંબિત કરે છે, જેમણે હંમેશા રાષ્ટ્રના ધ્વજને ઉંચો રાખ્યો છે. તેમણે કહ્યું, “આ તક દ્વારા તેઓ જે અનુભવ મેળવશે તે જીવન માટે ગૌરવનો સ્ત્રોત બની રહેશે.” પીએમ મોદીએ કહ્યું કે આ યોજના મહિલાઓને વધુ સશક્ત બનાવશે.

આ સમાચાર પણ વાંચો: ભાજપની કાર્યકારિણીની બેઠકમાં પીરસવામાં આવશે પીએમ મોદીનું મનપસંદ ભોજન, આ છે ખાસ મેનુ

સિયાચીનમાં તૈનાત મહિલા સૈનિકોનું આપ્યું ઉદાહરણ

સિયાચીનમાં તૈનાત મહિલા સૈનિકો અને આધુનિક ફાઈટર એરક્રાફ્ટ ઉડાડનાર મહિલાઓના ઉદાહરણો ટાંકીને પીએમ મોદીએ અગ્નિવીરોને જણાવ્યું કે કેવી રીતે મહિલાઓ વિવિધ મોરચે સશસ્ત્ર દળોનું નેતૃત્વ કરી રહી છે. આ સંવાદ કાર્યક્રમમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ ભાગ લીધો હતો. જણાવી દઈએ કે ગયા વર્ષે 14 જૂને સરકારે આ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના 17 ½ વર્ષથી 21 વર્ષના યુવાનોને 4 વર્ષ સુધી સશસ્ત્ર દળોમાં સેવા કરવાની તક આપે છે.

 

Rahul Gandhi Overnight Protest PM Residence PM આવાસ બહાર રાહુલ ગાંધીના આખી રાત ધામા? મોદી, શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગથી રાજકારણ ગરમાયું!
Education Budget Share In Modi Govt દેશના ભવિષ્ય કરતા રોડરસ્તા વધુ મહત્વના? છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણ મંત્રાલયની ફાળવણીમાં મોટો કાપ
CJP Sacks Spokesperson Vijeta Dahiya આંદોલન દરમિયાન બર્ગર ખાવું ભારે પડ્યું CJP એ પ્રવક્તા વિજેતા દહિયાને પદ પરથી હટાવ્યા
CJP Leader Abhijeet Dipke Allegations સરકારે વાતચીતના બહાને બોલાવી નજરકેદ કર્યા લાઠીચાર્જ અને પોલીસ બર્બરતા મુદ્દે અભિજીત દીપકેનો ગંભીર આરોપ
Exit mobile version