Site icon

ભારતીય સેનામાં અગ્નિપથ યોજના અન્વયે અગ્નિવીર તરીકે ભરતી અંગેની જાહેરાત

આર્મી રીક્રુટીંગ ઓફીસ,અમદાવાદ દ્વારા અગ્નિપથ યોજના અન્વયે અગ્નિવીર તરીકે વિવિધ પદો માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં અગ્નીવીર જનરલ ડયુટી,ટેકનીકલ,ક્લાર્ક,ટ્રેડસમેન જેવા વિવિધ જગ્યાઓ માટે મોટા પ્રમાણમાં ભરતી થનાર છે.

Indian Army Galvan conflict: 68 thousand soldiers air lift, 90 tanks on the front! After China's betrayal in Galvan, India had made up its mind

Indian Army Galvan conflict: 68 thousand soldiers air lift, 90 tanks on the front! After China's betrayal in Galvan, India had made up its mind

News Continuous Bureau | Mumbai

આર્મી રીક્રુટીંગ ઓફીસ,અમદાવાદ દ્વારા અગ્નિપથ યોજના અન્વયે અગ્નિવીર તરીકે વિવિધ પદો માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં અગ્નીવીર જનરલ ડયુટી,ટેકનીકલ,ક્લાર્ક,ટ્રેડસમેન જેવા વિવિધ જગ્યાઓ માટે મોટા પ્રમાણમાં ભરતી થનાર છે.

Join Our WhatsApp Community

તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ જાહેરાત મુજબ નવી પદ્ધતિ પ્રમાણે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જે અંતર્ગત સમગ્ર ભરતી પ્રક્રિયા બે ફેજમાં યોજાશે જેમાં પ્રથમ ફેજમાં ઓનલાઈન કોમ્પ્યુટર બેઝ MCQ પદ્ધતિથી લેખિત કસોટી લેવામાં આવશે. ત્યારબાદ શારીરિક માપદંડો અનુસાર ભરતી રેલી કરવામાં આવશે. અગ્નીવીર તરીકે વિવિધ જગ્યાઓમાં ૮ પાસ થી ૧૨ પાસ સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતા તથા ૧૭.૫ થી ૨૧ વર્ષની વય ધરાવતા અપરણિત પુરુષ ઉમેદવારો ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકશે. ઓનલાઈન અરજી www.joinindianarmy.nic.in ઉપર તા.૧૬ ફેબ્રુઆરી ૨૦૨૩ થી ૧૫ માર્ચ ૨૦૨૩ દરમ્યાન કરી શકાશે.

આ સમાચાર પણ વાંચો : મુચકુંદ ગુફા ખાતે ૨૫ જેટલા ગુ સંસાર ત્યાગી સન્યાસીઓ બન્યા .

ઓનલાઈન પરીક્ષા ૧૭ એપ્રિલ ૨૦૨૩ ના રોજ લેવાશે. આથી જીલ્લાના ઉપરોક્ત મુજબની લાયકાત ધરાવતા તમામ ઉમેદવારોને અરજી કરવા જણાવવામાં આવે છે, વધુ માહિતી માટે આર્મી રીક્રુટીંગ ઓફીસ દ્વારા તા.૧૫/૦૨/૨૦૨૩ના રોજ પ્રસિદ્ધ થયેલ ઓફિસિયલ નોટીફીકેશન જોઈ લેવા સલાહ આપવામાં આવે છે, વધુ માહિતી માટે આર્મી રીક્રુટીંગ ઓફીસના હેલ્પલાઈન નંબર-૯૯૯૮૫૫૩૯૨૪ અને ૦૭૯-૨૨૮૬૧૩૩૮ તથા રોજગાર હેલ્પલાઇન નંબર- ૬૩૫૭૩૯૦૩૯૦ પર ફોન કરી માહિતી મેળવી શકાશે, તેવું જિલ્લા રોજગાર અઘિકારીએ જણાવ્યું

Indian Railways: ભારતીય રેલવેએ મુખ્ય કોરિડોર પર ટ્રેક્શન અપગ્રેડ અને ડિજિટલ કોમ્યુનિકેશન ઓવરહોલ માટે ₹765 કરોડથી વધુ રકમ મંજૂર કરી
Supreme Court Order: શિક્ષણ જગતમાં મોટી હલચલ: NCERT એ ધોરણ 8 ના અભ્યાસક્રમમાં કર્યો મોટો ફેરફાર! વિવાદિત પાઠ હટાવ્યો, સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ પુસ્તક પર પ્રતિબંધ
Gold and Silver Prices Today: ક્યાં જઈને અટકશે સોનાની કિંમત? એક જ દિવસમાં ચાંદી ₹૮,૭૪૦ ઉછળી, સોનું ₹૧.૬૧ લાખને પાર; જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ.
PM Modi: ઈરાન-ઈઝરાયેલ જંગ વચ્ચે સૌથી મોટો દાવો! “માત્ર પીએમ મોદી જ કરાવી શકે છે યુદ્ધવિરામ”, જાણો કેમ પૂર્વ રાજદૂતે ભારતને ગણાવ્યું શાંતિનું દૂત
Exit mobile version