Site icon News Continuous Bureau | Mumbai

કોરોનાની દવાને લઈ આશાનું કિરણ જાગ્યું : એઇમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ રસીને લઈ આપ્યું મોટું નિવેદન.. વાંચો તેમના જ શબ્દોમાં.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

03 ડિસેમ્બર 2020 

બ્રિટનમાં કોરોના વેક્સિન ફાઇઝરને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઈ છે અને તે આગામી સપ્તાહે ઉપલબ્ધ થશે. ભારતમાં પણ ડિસેમ્બરના અંત કે આગામી વર્ષના શરૂઆતી મહિનામાં દેશી વેક્સિન મળવાની આશા છે એમ એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યુ છે. 

ગુલેરિયાએ કહ્યુ કે, અમારી પાસે એવી વેક્સિન છે જે ટ્રાયલના અંતિમ તબક્કામાં છે. આશા છે કે ભારતીય નિયામક તેના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપશે. ત્યારબાદ અમે લોકોને રસી આપવાનું શરૂ કરીશું. તેમણે કહ્યુ, 'અમારી પાસે તે વાતને સાબિત કરવા માટે વધુ ડેટા છે કે આ વેક્સિન સેફ છે. વેક્સિન સેફ્ટીમાં કોઈ સમજુતી કરવામાં આવી નથી.' 

મહત્વનું છે કે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા  (SII)ની કોવિશીલ્ડ વેક્સિન પર ચેન્નઈના એક વોલેન્ટિયરે સાઇડ ઇફેક્ટનો આરોપ લગાવતા 5 કરોડ રૂપિયાની માગ કરી હતી. પરંતુ કંપનીએ તેનો ઇનકાર કરી દીધો હતો. ગુલેરિયાએ જણાવ્યુ કે, 70-80 હજાર વોલેન્ટિયર્સને આ વેક્સિન આપવામાં આવી છે અને કોઈ પર આ વેક્સિનના ગંભીર પરિણામ જોવા મળ્યા નથી અને વેક્સિન સેફ છે.  

ગુલેરિયા એ વધુમાં કહ્યું છે કે, કોરોના વાયરસનાના વધતા પ્રકોર બાદ આપણે એક એવી સ્થિતિમાં પહોંચી જઈશું કે જ્યારે હર્ડ ઈમ્યુનિટી આવી જશે અને ત્યારે રસીની પણ જરૂર નહીં પડે. 

ઉલ્લેખનીય છે કે, શિયાળાની શરૂઆત સાથે જ અમેરિકા સહિત ભારતમાં કોરોના વાયરસના કેસમાં ભારે વધારો નોંધાયો છે. દુનિયાભરમાં કોરોનાની વેક્સીનની કાગડોળે રાહ જોવાઈ રહી છે. ત્યારે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ(AIIMS) ના ડાઈરેક્ટર રણદીપ ગુલેરિયાએ આજે ઉપરોક્ત વાત કહી છે..

Dharmendra Pradhan Meets Om Birla શું કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપશે? ઓમ બિરલા સાથે કરી મુલાકાત..
Dharmendra Pradhan Meets Om Birla શું કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપશે? ઓમ બિરલા સાથે કરી મુલાકાત..
Cockroach Jantar Mantar Demand શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે આંદોલન તેજ, દેશભરના વિદ્યાર્થીઓના મુદ્દે આરપારની લડાઈની ચેતવણી
Sharad Pawar Meets PM Narendra Modi જંતરમંતર આંદોલન વચ્ચે મોટો ઘટનાક્રમ, શરદ પવારે પીએમ મોદી સાથે કરી મુલાકાત, જંતરમંતર આંદોલન પર મંથન
Exit mobile version