Site icon News Continuous Bureau | Mumbai

Air India Announces Special Flights: એર ઈન્ડિયાએ આ ત્રણ શહેરો માટે જાહેર કરી વિશેષ ફ્લાઈટ્સ! મિડલ ઈસ્ટમાં તણાવ વધતા વિદેશમાં રહેતા ભારતીયો માટે લેવાયો મોટો નિર્ણય.

પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે વધેલી માંગને પહોંચી વળવા ટાટા ગ્રુપની એરલાઈને લીધો નિર્ણય, અકાસા એર પણ જેદ્દાહ અને અબુ ધાબી માટે ઉડાન શરૂ કરશે.

Air India Announces Special Flights to Toronto, Frankfurt, and Paris Amid Middle East Crisis; Akasa Air Resumes Selected Routes.

Air India Announces Special Flights to Toronto, Frankfurt, and Paris Amid Middle East Crisis; Akasa Air Resumes Selected Routes.

News Continuous Bureau | Mumbai

Air India Announces Special Flights પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને હવાઈ ક્ષેત્ર પરના પ્રતિબંધોને કારણે આંતરરાષ્ટ્રીય પ્રવાસમાં પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં લેતા એર ઈન્ડિયાએ મુસાફરોને મોટી રાહત આપી છે. એરલાઈને બુધવારે જાહેરાત કરી હતી કે તે ટોર્નેટો, ફ્રેન્કફર્ટ અને પેરિસ (ચાર્લ્સ ડી ગોલ) જેવા મુખ્ય વૈશ્વિક શહેરો માટે વધારાની ફ્લાઈટ્સ ઓપરેટ કરશે. આ નિર્ણય યુદ્ધની સ્થિતિને કારણે પ્રભાવિત થયેલા હવાઈ માર્ગો અને મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

આ તારીખે ચાલશે વધારાની ફ્લાઈટ્સ

એર ઈન્ડિયાએ માહિતી આપી છે કે 5 થી 11 માર્ચ દરમિયાન દિલ્હી અને ટોર્નેટો વચ્ચે ત્રણ વધારાની ફ્લાઈટ્સ ચલાવવામાં આવશે. આ ઉપરાંત, 7 થી 10 માર્ચ સુધી દિલ્હી-ફ્રેન્કફર્ટ રૂટ પર ત્રણ અને દિલ્હી-પેરિસ રૂટ પર એક વધારાની ઉડાન સંચાલિત કરવામાં આવશે. આ સેવાઓથી માત્ર આંતરરાષ્ટ્રીય મુસાફરોને વિકલ્પો જ નહીં મળે, પરંતુ દિલ્હી દ્વારા દક્ષિણ-પૂર્વ એશિયા અને ભારતના ઘરેલું નેટવર્ક સાથે જોડાતા મુસાફરોને પણ સુવિધા રહેશે. એરલાઈન 11 માર્ચ પછી સ્થિતિનું મૂલ્યાંકન કરીને ફ્લાઈટ્સની સંખ્યા વધારવા પર વિચાર કરી શકે છે.

એર ઈન્ડિયા એક્સપ્રેસ અને અકાસા એરની તૈયારી

એર ઈન્ડિયાની પેટા કંપની એર ઈન્ડિયા એક્સપ્રેસે પણ મસ્કત માટે પોતાની સેવાઓ ચાલુ રાખવાની અને દિલ્હી-મુંબઈ માટે વધારાની ફ્લાઈટ્સ ચલાવવાની જાહેરાત કરી છે. સાથે જ, 7 માર્ચ સુધી રાસ અલ ખૈમાહથી દિલ્હી, કોચી અને મુંબઈ માટે વિશેષ ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી રહી છે. બીજી તરફ, અકાસા એરે પણ સુરક્ષા સમીક્ષા બાદ અબુ ધાબી અને જેદ્દાહ માટે પસંદગીની ફ્લાઈટ્સ ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જોકે, દોહા, કુવૈત અને રિયાધ માટે અકાસા એરની સેવાઓ 5 માર્ચ સુધી સ્થગિત રહેશે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Traffic Alert!: સેમીફાઈનલના જંગને લીધે દક્ષિણ મુંબઈના રસ્તાઓ થશે જામ; વાનખેડે જતાં પહેલાં જાણી લો કયા રસ્તાઓ રહેશે બંધ..

હવાઈ ક્ષેત્ર પ્રતિબંધોની અસર

અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે 28 ફેબ્રુઆરીથી મિડલ ઈસ્ટનું હવાઈ ક્ષેત્ર મોટાભાગે પ્રતિબંધિત છે, જેનાથી વૈશ્વિક વિમાન સેવાઓ પર માઠી અસર પડી છે. ઘણી એરલાઈન્સે પોતાના રૂટ બદલવા પડ્યા છે અથવા ફ્લાઈટ્સ રદ કરવી પડી છે. આવા સમયે ભારતીય એરલાઈન્સ દ્વારા સુરક્ષિત અને વૈકલ્પિક માર્ગો દ્વારા ઉડાન સંચાલિત કરવી એ મુસાફરો માટે મોટી રાહત છે જેઓ મિડલ ઈસ્ટના તણાવગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા છે.

NEET Exam। સિસ્ટમના પાપે વધુ એક માસૂમનો જીવ લીધો! પેપર લીક કૌભાંડથી કંટાળી હોનહાર આકાંક્ષાએ કરી આત્મહત્યા
Cockroach Janta Party। સોશિયલ મીડિયાના ૩ ધુરંધરો જેમના મીમ્સે મચાવ્યો હોબાળો! જાણો ‘કોકરોચ જનતા પાર્ટી’ ના પ્રવક્તાઓ વિશે
Malviya Nagar Hotel Fire। દિલ્હીના માલવીય નગરમાં ભીષણ અગ્નિકાંડ ૧૧ વિદેશીઓ સહિત ૨૧ લોકોના કરુણ મોત, ગેરકાયદે હોટલો સામે MCD ની મોટી કાર્યવાહી!
Muzaffarpur Hospital Fire| માનવતા મરી પરવારી! હોસ્પિટલમાં આગ લાગતા જ દર્દીઓને તડપતા છોડી ભાગ્યો સ્ટાફ; વાંચો કેવી રીતે બચ્યો લોકોનો જીવ
Exit mobile version