Site icon

Air India crash: એર ઇન્ડિયાના વિમાન ક્રેશ: અમેરિકી રિપોર્ટમાં ચોંકાવનારો દાવો, શું પાયલટે જ ફ્યુઅલ બંધ કર્યું હતું?

Air India crash: વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટમાં કોકપિટ રેકોર્ડિંગનો હવાલો, ભારતીય ઉડ્ડયન મંત્રીએ પ્રારંભિક નિષ્કર્ષ પર આધારિત ગણાવ્યો.

Air India crash Pilots' body objects amid new US report on 'role' of Captain in Air India crash

Air India crash Pilots' body objects amid new US report on 'role' of Captain in Air India crash

News Continuous Bureau | Mumbai

Air India crash:  એક અમેરિકી મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ક્રેશ થયેલા એર ઇન્ડિયા વિમાનના એક પાયલટે પ્લેનનું ફ્યુઅલ બંધ કર્યું હતું. વોલ સ્ટ્રીટ જર્નલની આ રિપોર્ટ કોકપિટ રેકોર્ડિંગને ટાંકે છે, પરંતુ ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ તેને પ્રારંભિક નિષ્કર્ષ ગણાવી અંતિમ નિર્ણય પર ન પહોંચવાની અપીલ કરી છે. દરમિયાન પાયલટ એસોસિયેશન ( Pilot Association ) એ  પણ આ રિપોર્ટ પર નારાજગી વ્યક્ત કરી છે.

Join Our WhatsApp Community

Air India crash: અમેરિકી મીડિયા રિપોર્ટમાં ચોંકાવનારો દાવો

અમેરિકી મીડિયા હાઉસ વોલ સ્ટ્રીટ જર્નલની (Wall Street Journal) રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બોઇંગ 787 ડ્રીમલાઇનર (Boeing 787 Dreamliner) ઉડાવી રહેલા ફર્સ્ટ ઓફિસરે વધુ અનુભવી કેપ્ટનને પૂછ્યું કે તેમણે રનવે પરથી ઉડાન ભર્યા પછી તરત જ સ્વીચને કટઓફ સ્થિતિમાં શા માટે કરી દીધી. રિપોર્ટ અનુસાર, આ પછી ફર્સ્ટ ઓફિસરે ગભરાટ વ્યક્ત કર્યો, જ્યારે કેપ્ટન શાંત રહ્યા.

  Air India crash: વિમાન દુર્ઘટના અને રિપોર્ટના દાવા

વિમાન ક્રેશમાં કેપ્ટન સુમિત સભરવાલ (Sumit Sabharwal) અને ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદર (Clive Cundar) નો પણ જીવ ગયો, જેમને કુલ 15,638 કલાક અને 3,403 કલાક ઉડાનનો અનુભવ હતો. વોલ સ્ટ્રીટ જર્નલે વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો (AIIP) ની એક પ્રારંભિક રિપોર્ટનો હવાલો આપ્યો, જેમાં જણાવવામાં આવ્યું છે કે બંને એન્જિનોના ફ્યુઅલ કટઓફ સ્વીચ ઉડાન ભર્યાના થોડી જ સેંકડ બાદ એક પછી એક કટઓફ સ્થિતિમાં પહોંચી ગયા હતા. રિપોર્ટ અનુસાર, ઉડાન ભરવા અને દુર્ઘટના વચ્ચેનો સમય ફક્ત 32 સેકન્ડ હતો.

વોલ સ્ટ્રીટ જર્નલે આ મામલાના જાણકારો, અમેરિકી પાયલટો અને તપાસ પર નજર રાખી રહેલા સુરક્ષા નિષ્ણાતોના હવાલે જણાવ્યું છે કે પ્રારંભિક રિપોર્ટમાં આપેલા વિવરણો દર્શાવે છે કે કેપ્ટને જ સ્વીચ બંધ કરી હતી. આગળ કહેવામાં આવ્યું, “રિપોર્ટમાં એ નથી જણાવવામાં આવ્યું કે સ્વીચ બંધ કરવી ભૂલથી થયું હતું કે ઇરાદાપૂર્વક.”

 Air India crash: નાગરિક ઉડ્ડયન મંત્રીનો જવાબ અને પાયલટ એસોસિયેશનનો વિરોધ

નાગરિક ઉડ્ડયન મંત્રીએ શું કહ્યું?

નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામ મોહન નાયડુએ (Kinjurapu Ram Mohan Naidu) ગયા અઠવાડિયે કહ્યું હતું કે રિપોર્ટ ફક્ત પ્રારંભિક નિષ્કર્ષો પર આધારિત છે અને અંતિમ રિપોર્ટ જારી થાય ત્યાં સુધી કોઈ પણ અંતિમ નિષ્કર્ષ પર પહોંચવું ન જોઈએ.

આ સમાચાર પણ વાંચો : Air India 171 crash probe: અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના પહેલા પાયલોટ વચ્ચે શું વાતચીત; કોકપીટમાં શું થયું? કેવી રીતે થયો મોટો અકસ્માત; કારણ આવ્યું સામે…

ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલટ્સે વિરોધ નોંધાવ્યો:

ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલટ્સ (FIP) ના અધ્યક્ષ સી.એસ. રંધાવાએ (C.S. Randhawa) ગુરુવારે વોલ સ્ટ્રીટ જર્નલની નિરાધાર રિપોર્ટની સખત ટીકા કરી અને કાર્યવાહીની વાત પણ કરી. રંધાવાએ ભારપૂર્વક કહ્યું કે AIIP ની પ્રારંભિક રિપોર્ટમાં પાયલટો દ્વારા એન્જિનોમાં ઇંધણના પ્રવાહને નિયંત્રિત કરતા સ્વીચ બંધ કરવાનો કોઈ ઉલ્લેખ નથી. તેમણે કહ્યું કે અંતિમ રિપોર્ટ આવે તે પહેલાં લોકોએ કોઈ નિષ્કર્ષ ન કાઢવો જોઈએ. આ સમગ્ર મામલો વિમાન સુરક્ષા અને તપાસની પારદર્શિતા પર નવા પ્રશ્નો ઉભા કરી રહ્યો છે.

Indian Navy in Hormuz: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ભારતનો માસ્ટરપ્લાન; ૭ યુદ્ધજહાજો કરશે તેલના ટેન્કરોનું રક્ષણ, જાણો કેવી છે દરિયાઈ વ્યૂહરચના.
Badrinath Snowfall 2026: બદ્રીનાથ ધામ બરફની ચાદરથી ઢંકાયું! ૩ દિવસની સતત હિમવર્ષા બાદ જોવા મળ્યો અદભૂત નજારો; જુઓ વીડિયો
Indian Ocean Security Crisis: હોર્મુઝ બાદ હવે હિંદ મહાસાગરમાં મિસાઈલ વર્ષા! ભારતની ‘લાઈફલાઈન’ પર ગંભીર ખતરો; ઈરાન-અમેરિકાના જંગથી દરિયાઈ વેપારમાં મચ્યો ખળભળાટ.
LPG Gas Price: ભારતના ૨ ગેસ ટેન્કરો હોર્મુઝની સામુદ્રધુની પાર કરવા સજ્જ; શું હવે ગેસ સિલિન્ડરના ભાવ ઘટશે? જાણો લેટેસ્ટ અપડેટ
Exit mobile version