Site icon News Continuous Bureau | Mumbai

કોરોનાની જેમ જ H3N2 વાયરસનો કરવામાં આવશે સામનો, આ કંપની બનાવી રહી છે રસી…

Amid rising viral cases, Bharat Biotech working on H3N2 vaccine

કોરોનાની જેમ જ H3N2 વાયરસનો કરવામાં આવશે સામનો, આ કંપની બનાવી રહી છે રસી…

News Continuous Bureau | Mumbai

દેશમાં H3N2 એવિયન ઈન્ફલ્યુએન્ઝાના કેસ વધી રહ્યા છે. ઘણી જગ્યાએથી આ ખતરનાક વાયરસથી મોતના અહેવાલો પણ સામે આવ્યા છે. આ વાયરસનો સામનો કરવા માટે, હવે હૈદરાબાદની રસી ઉત્પાદક ભારત બાયોટેકે રસી બનાવવાનું કામ શરૂ કરી દીધું છે. કંપનીના ફાઉન્ડર પ્રેસિડેન્ટ ડૉ. કૃષ્ણા ઈલાએ રસી બનાવવાની પુષ્ટિ કરી છે. ભારત બાયોટેકે અગાઉ જીવલેણ કોરોના વાયરસની કોવેક્સીન અને ઇન્ટ્રાનાસલ વેક્સીન iNCOVACC વિકસાવી હતી.

ઘણા ભાગોમાં મોટી સંખ્યામાં કેસ નોંધાયા હતા

આ વખતે દેશના ઘણા ભાગોમાં મોટી સંખ્યામાં કેસ સામે આવ્યા છે. સરકાર સાવચેતીનાં પગલાં લેવા પર ભાર મૂકી રહી છે જેમ કે માસ્ક પહેરવું, જાહેર સ્થળોએ જવાનું ટાળવું અને વારંવાર હાથ ધોવા વગેરે. આ વાયરસના કારણે ઘણા દર્દીઓના મોત પણ થયા છે. આવી સ્થિતિમાં આ અંગે ચિંતા વધી રહી છે. સૌથી મોટી વાત એ છે કે આ વાયરસ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ગંભીર લક્ષણોનું કારણ બની શકે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : દેશમાં અહીં પેટ્રોલ 58 પૈસા મોંઘુ થયું, ડીઝલના ભાવ પણ વધ્યા; મુંબઈમાં શું છે ઇંધણના દરો.. અહીં ચેક કરો

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) કહે છે કે ઈન્ફલ્યુએન્ઝા A ના H3N2 પેટા પ્રકારને કારણે ભારતમાં ઈન્ફલ્યુએન્ઝાના કેસ વધી રહ્યા છે. H3N2 ધરાવતા લોકોમાં ઈન્ફલ્યુએન્ઝા A ના અન્ય પેટાપ્રકાર કરતાં વધુ હોસ્પિટલમાં દાખલ થવાનો દર હોય છે. તેના લક્ષણોમાં વહેતું નાક, સતત ઉધરસ અને તાવનો સમાવેશ થાય છે.

Pahalgam Attack। સેનાનો પાકિસ્તાનને કરારો જવાબ ‘પહેલગામના શહીદોને ન્યાય મળી ગયો છે’, હુમલાની વરસી પહેલા ભારતનો આકરો સંદેશ
Russian Oil। રશિયન ઓઈલ પર ભારતનો મોટો દાવ ૨૦૩૦ સુધી તેલની અછત થશે ખતમ, જાણો શું છે ભારતની ખાસ યોજના
Strait of Hormuz। સંઘર્ષના પડછાયા માં ભારતીય નૌકાદળ હોર્મુઝમાં ફસાયેલા ૧૪ જહાજોને છોડાવવા ભારતની કૂટનીતિક કવાયત તેજ
Heatwave Alert। આકરા તાપમાં તપ્યું ભારત, પારો ૪૨ ડિગ્રીને વટાવતા જનજીવન પ્રભાવિત.
Exit mobile version