Site icon News Continuous Bureau | Mumbai

ભારતમાં કોરોના કેસ ઘટતા દેશના આ રાજ્યો આજથી લોકડાઉનના પ્રતિબંધમાં વધુ છૂટ અપાશે ; જાણો શું ખુલશે અને શું રહેશે બંધ 

દેશમાં ઘટતા જતા કોરોનાના સંક્રમણ પગલે અનેક રાજ્યોએ ધીમે ધીમે લોકડાઉનને અનલોક કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. 

આજે જે રાજ્યોને અનલોક કરવાની પ્રક્રિયા શરૂ થઈ રહી છે તે છે દિલ્હી, રાજસ્થાન, કર્ણાટક અને તમિલનાડુ.

Join Our WhatsApp Channel

આજથી દિલ્હીમાં અનલોકનો પાંચમો તબક્કો શરૂ થઈ રહ્યો છે, ત્યારે રાજસ્થાન સરકારે કોરોના કેસોમાં ઘટાડાને કારણે લોકડાઉનમાં વધુ રાહત આપવાનો નિર્ણય લીધો છે.

કર્ણાટકમાં આજ થી મેરેજ હોલ્સ, હોટલો, રિસોર્ટ્સ અને ફંક્શન હોલમાં લગ્ન સમારોહને મંજૂરી આપીને COVID પ્રતિબંધોને વધુ હળવા કરી દીધા છે. 

તમિળનાડુ સરકારે પ્રતિબંધ હળવા કરવાના ભાગરૂપે, ચાર જિલ્લાઓમાં પ્રાર્થના સ્થળોને ફરીથી ખોલવાની મંજૂરી આપી છે અને અન્ય 27 જિલ્લાઓમાં, જીમ, યોગ કેન્દ્રો, સંગ્રહાલયો અને સંરક્ષિત સ્મારકો સવારે 10 થી સાંજના 5 સુધી ખોલવાની મંજૂરી આપી છે.

ઉલ્લેખનીય છે કે હજી પણ દરરોજ આવતા નવા કેસોની સંખ્યા 50 હજારની નજીક છે. આ સાથે દેશમાં ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ્સનો ખતરો પણ યથાવત છે.

આજ સાંજે 4:00 પછી આખું મહારાષ્ટ્ર બંધ

Centre Creamy Layer SC Plea ક્રીમી લેયર મામલો સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની અરજી દાખલ, આ પ્રકરણમાં કોઈ પણ પ્રકારનો અંતરિમ આદેશ ન જારી કરવા માંગ
Supreme Court Quashes Student Protest FIR સરકારે વચન પાળ્યું, જંતર મંતર પ્રદર્શન સંબંધિત તમામ ફોજદારી કેસો અને એફઆઈઆર સુપ્રીમ કોર્ટે કરી રદ્દ
Ayodhya Ram Mandir CEO Selection નવા ટ્રસ્ટીઓની પસંદગી પ્રક્રિયા તેજ સર્ચ કમિટી દ્વારા શોર્ટલિસ્ટ કરાયેલા 3 નામો પર હવે ટ્રસ્ટની બેઠકમાં લેવાશે આખરી નિર્ણય
INS Nipun Commissioned ‘આત્મનિર્ભર ભારત’ તરફ વધુ એક મજબૂત કદમ, ભારતીય નૌકાદળમાં ‘આઈએનએસ નિપુણ’ સત્તાવાર રીતે સામેલ
Exit mobile version