Site icon News Continuous Bureau | Mumbai

Madvi Hidma: આંધ્ર પ્રદેશ પોલીસની મોટી સફળતા: માડવી હિડમાનું નેટવર્ક તબાહ, 7 માઓવાદી ઠાર, આટલા ની ધરપકડ

પોલીસ અને માઓવાદીઓ વચ્ચેની ગોળીબારમાં ત્રણ મહિલા સહિત સાત માઓવાદીઓ માર્યા ગયા; દક્ષિણ બસ્તર અને દંડકારણ્ય નેટવર્કને મોટો ફટકો; પકડાયેલાઓમાં હિડમાના નજીકના સભ્યોનો સમાવેશ.

Madvi Hidma આંધ્ર પ્રદેશ પોલીસની મોટી સફળતા માડવી હિડમાનું નેટવર્ક

Madvi Hidma આંધ્ર પ્રદેશ પોલીસની મોટી સફળતા માડવી હિડમાનું નેટવર્ક

News Continuous Bureau | Mumbai

Madvi Hidma આંધ્ર પ્રદેશ પોલીસે માઓવાદીઓ વિરુદ્ધ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં સાત માઓવાદીઓ માર્યા ગયા છે અને 50 ની ધરપકડ કરવામાં આવી છે. માર્યા ગયેલા માઓવાદીઓમાં ત્રણ મહિલાઓ પણ સામેલ છે. ધરપકડ કરાયેલાઓમાં ઘણા વરિષ્ઠ માઓવાદી નેતાઓ અને CPI (માઓવાદી)ના સેન્ટ્રલ કમિટી મેમ્બર માડવી હિડમાના નજીકના સભ્યોનો સમાવેશ થાય છે. આંધ્ર પ્રદેશ પોલીસે કૃષ્ણા, એલુરુ, NTR વિજયવાડા, કાકીનાડા અને ડો. બી. આર. આંબેડકર કોનાસીમા જિલ્લાઓમાંથી 50 CPI (માઓવાદી) ઓપરેટિવ્સને પકડ્યા છે, જેના કારણે સંગઠનના દક્ષિણ બસ્તર અને દંડકારણ્ય નેટવર્કને મોટો આંચકો લાગ્યો છે.

Join Our WhatsApp Channel

ગોળીબારમાં સાત માઓવાદીઓ ઠાર; AP પોલીસનું મોટું નિવેદન

અમરાવતી પોલીસે જણાવ્યું કે આંધ્ર પ્રદેશના મારેદુમિલ્લીમાં થયેલા ગોળીબારમાં સાત માઓવાદીઓ માર્યા ગયા હતા. AP ઇન્ટેલિજન્સના ADG મહેશ ચંદ્ર લડ્ઢાએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે મંગળવારના ઓપરેશન દરમિયાન અત્યાર સુધીમાં સાત માઓવાદીઓ ઠાર થયા છે. મૃતકોમાં ત્રણ મહિલા માઓવાદીઓ પણ સામેલ છે. તેમણે કહ્યું કે એક વ્યક્તિની ઓળખ મેતુરી જોખા રાવ ઉર્ફે શંકર તરીકે થઈ છે. બાકીના માર્યા ગયેલા માઓવાદીઓની ઓળખ કરવાનું કામ ચાલી રહ્યું છે.

પકડાયેલા માઓવાદીઓમાં કોનો કોનો સમાવેશ થાય છે? હિડમા સાથેના નજીકના સંબંધો

આંધ્ર પ્રદેશ પોલીસે માહિતી આપી હતી કે કસ્ટડીમાં લેવામાં આવેલા 50 માઓવાદીઓમાંથી ઘણા વરિષ્ઠ માઓવાદી નેતાઓ, લોજિસ્ટિક્સ એક્સપર્ટ્સ, કોમ્યુનિકેશન ઓપરેટિવ્સ અને હથિયારબંધ પ્લાટૂન મેમ્બર્સ, તેમજ પાર્ટી મેમ્બર્સ સામેલ છે. તેમાંના ઘણા CPI (માઓવાદી) પાર્ટીના સેન્ટ્રલ કમિટી મેમ્બર માડવી હિડમા સાથે ગાઢ રીતે જોડાયેલા હતા. આ ધરપકડથી આ સંગઠનની કામગીરી પર ગંભીર અસર પડી શકે છે.

આ સમાચાર પણ વાંચો : Bihar Government: બિહારના નવા મંત્રીમંડળની સંભવિત યાદી તૈયાર: જુઓ નીતિશ કેબિનેટમાં કોણ-કોણ બની શકે છે મંત્રી?

ઠાર કરાયેલ શંકર કોણ હતો? આંધ્ર-ઓડિશા બોર્ડરનો મુખ્ય ઇન્ચાર્જ

અધિકારીએ પ્રાથમિક માહિતીના આધારે જણાવ્યું હતું કે શ્રીકાકુલમનો રહેવાસી શંકર આંધ્ર ઓડિશા બોર્ડર (AOB) નો મુખ્ય ઇન્ચાર્જ (ACM) હતો. તે ટેક્નિકલ બાબતોમાં, હથિયારો બનાવવામાં અને કોમ્યુનિકેશનમાં નિષ્ણાત હતો. તેની સાથેના અન્ય માર્યા ગયેલા માઓવાદીઓની ઓળખની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. પોલીસની આ કાર્યવાહીને સુરક્ષા એજન્સીઓ માટે મોટી સફળતા માનવામાં આવે છે.

Hafiz Saeed Wanted આતંકના આકા પર સકંજો પહલગામ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ સામે બિનજામીનપાત્ર વોરંટ જારી! NIA ની ચાર્જશીટમાં થયા મોટા ખુલાસા
India’s HighAltitude Airship ભારત બનાવશે ‘હાઇ ઑલ્ટિટ્યુડ એરશિપ’, ડ્રેગનની ગતિવિધિઓ પર રાખશે બાજ નજર
Samay Raina Fined Samay Raina Fined સુપ્રીમ કોર્ટે સમય રૈનાને ફટકારી ફટકાર, 3 લાખ રૂપિયાનો દંડ કર્યો
Sea Drones સમુદ્રી ડ્રોનથી અમેરિકાએ પહેલીવાર ઈરાનમાં મચાવી તબાહી, પાકિસ્તાન પણ બનાવી રહ્યું છે, શું ભારત પાસે છે તેનો તોડ?
Exit mobile version