Site icon News Continuous Bureau | Mumbai

Arvind Kejriwal : સમાજ સેવાનો રસ્તો લીધો છે. જેલ જવા તૈયાર… કેજરીવાલનું ચોકાવનારું નિવેદન. જાણો વિગતે..

Arvind Kejriwal : દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે પોતાની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં કહ્યું હતું કે જો અમારી પાર્ટી સફળ ન થઈ હોત અને અમે કંઈ સારું કામ ન કર્યું હોત. તો અમારી પાર્ટીનો કોઈ નેતા જેલમાં ન ગયો હોત અને આજે અમારા પાર્ટીનો દરેક નેતા પોતાના પરિવાર સાથે ખુશ હોત.

Arvind Kejriwal Has taken the path of social service. Ready to go to jail... Kejriwal's shocking statement

Arvind Kejriwal Has taken the path of social service. Ready to go to jail... Kejriwal's shocking statement

News Continuous Bureau | Mumbai 

Arvind Kejriwal : દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના ( Aam Aadmi Party ) રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રવિવારે યોજાયેલી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં ( national executive meeting ) ભાગ લેતા કહ્યું હતું કે તેમની પાર્ટીના કાર્યકરો જેલ જવા માટે તૈયાર રહે. અરવિંદ કેજરીવાલે આગળ કહ્યું હતું કે તેમની પાર્ટીએ તેની ‘કામ કેન્દ્રિત રાજનીતિ’ માટે લોકપ્રિયતા મેળવી છે. તેમજ કાર્યકર્તાઓ સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે તેઓ અને તેમની પાર્ટી હંમેશા લોકોના કલ્યાણ માટે પસંદ કરેલા માર્ગ પર જ આગળ વધશે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ માર્ગ પર આગળ વધવા માટે પાર્ટી કાર્યકર્તાઓએ જેલ જવા માટે તૈયાર રહેવું જોઈએ. કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે તેણે લોક કલ્યાણનો માર્ગ પસંદ કર્યો છે, તેથી તેને જેલમાં જવું જ પડશે. 

Join Our WhatsApp Channel

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે યોજાયેલી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી અને 12મી રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં ( National Council meeting ) હાજરી આપી હતી. વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠકની અધ્યક્ષતા કરતા તેમણે કહ્યું હતું કે આ 10 વર્ષમાં આમ આદમી પાર્ટી 1,350 રાજકીય પક્ષોમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. તેમણે આગળ જણાવતા કહ્યું હતું કે, ‘જો અમારી પાર્ટી સફળ ન થઈ હોત અને અમે કંઈ સારું કામ ન કર્યું હોત. તો અમારી પાર્ટીનો કોઈ નેતા જેલમાં ન ગયો હોત અને આજે અમારા પાર્ટીનો દરેક નેતા પોતાના પરિવાર સાથે ખુશ હોત.’

બાળકોને સારું શિક્ષણ આપશો તો તમારે જેલમાં જવું પડશે: આપ સરકાર..

અરવિંદ કેજરીવાલની આ ટિપ્પણી એવા સમયે આવી છે, જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ( ED ) એ તેમને દિલ્હી એક્સાઇઝ પોલિસી ( Delhi Excise Policy )  સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 3 જાન્યુઆરીએ હાજર થવા માટે સમન્સ જારી કર્યા છે. તેમણે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા વધુમાં કહ્યું હતું કે, જો તમે બાળકોને સારું શિક્ષણ આપશો તો તમારે જેલમાં જવું પડશે. ગરીબોને મફત સારવાર આપશો તો તમારે જેલ જવું પડશે. અમે જનતાના ભલા માટે જે રસ્તો પસંદ કર્યો છે તેના માટે અમારે જેલમાં જવું પડશે.”

આ સમાચાર પણ વાંચો : Indonesia: 90% મુસ્લિમ વસ્તી ધરાવતા આ દેશમાં કેમ ખૂણે ખૂણે હિન્દુ દેવી દેવતાઓ વસે છે? જાણો શું છે આ રસપ્રદ ઈતિહાસ..

રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં, કેજરીવાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે AAPએ દેશને ચૂંટણીના રાજકારણમાં એક સક્ષમ વિકલ્પ આપ્યો છે અને તેની કાર્યલક્ષી રાજનીતિ માટે લોકપ્રિયતા મેળવી છે. તેમણે પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનની રાજ્યમાં નોંધપાત્ર પ્રગતિ માટે પણ પ્રશંસા કરી હતી. તેમજ તેમણે વધુમાં કહ્યું હતું કે મને લાગે છે કે આપણી આગળ આ એક સંઘર્ષનો સમય છે, પરંતુ આપણે ઉદાસ થવાની જરૂર નથી. જેલમાં રહેલા આપણા પાંચ નેતાઓ આજે આપણા હીરો છે. અમને તે બધા પર ખૂબ ગર્વ છે. આ સમગ્ર કેસ નકલી છે અને મારી લડાઈ આગળ પણ આમ જ ચાલુ રહેશે.

PM Modi on US Iran Deal અમેરિકાઈરાન શાંતિ કરાર પર વડાપ્રધાન મોદીનું ટ્વીટ ‘આ સમજૂતીથી વિશ્વમાં શાંતિ અને સ્થિરતા બહાલ થશે’
Safety Advisory for Indian Seafarers ભારત સરકારનું કડક પગલું હોર્મુઝ સંકટ વચ્ચે ભારતીય નાવિકોની સુરક્ષા માટે નવી ભરતી સ્થગિત
Monsoon Delay Challenges દરિયામાં ભેજ હોવા છતાં ચોમાસું સુસ્ત પવનોની ખેંચતાણ વચ્ચે અટવાઈ ‘મોનસૂન એક્સપ્રેસ’
Impact of US Iran Deal on Fuel Prices અમેરિકાઈરાન સમજૂતીની અસર ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, શું ભારતમાં ઘટશે પેટ્રોલડીઝલના ભાવ?
Exit mobile version