Site icon News Continuous Bureau | Mumbai

Aryavarta: આર્યાવર્તનું નામ ભારત કઈ રીતે પડ્યું , શું છે તેની પાછળનો ઐતિહાસિક ઈતિહાસ.. જાણો પુરાણોના સંદર્ભે..

Aryavarta: મેનકાના આકર્ષણમાં ફસાઈ જવાથી વિશ્વામિત્રને નુકસાન થયું અને મેનકાએ તેની કિંમત પણ ચૂકવી. મેનકા ખરેખર વિશ્વામિત્રના પ્રેમમાં પડી ગઈ હતી. વિશ્વામિત્રએ મેનકાને લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. વિશ્વામિત્રની તપસ્યા ભંગ કર્યા પછી, મેનકાએ દેવલોકમાં પાછા ફરવું જોઈતું હતું, પરંતુ તેને ડર હતો કે જો વિશ્વામિત્ર ગુસ્સે થશે તો…

Aryavarta How did Bharat get the name of Aryavarta, what is the historical history behind it.. know about Puranas..

Aryavarta How did Bharat get the name of Aryavarta, what is the historical history behind it.. know about Puranas..

News Continuous Bureau | Mumbai 

Aryavarta: આપણા દેશને પ્રાચીન સમયથી અલગ અલગ નામો મળતા આવ્યા છે. પ્રાચીન ગ્રંથોમાં દેશના વિવિધ નામો લખવામાં આવ્યા હતા – જેમ કે જંબુદ્વીપ, ભરતખંડ, હિમવર્ષ, અજનભ વર્ષ, આર્યાવર્ત. તે પછીના સમયગાળામાં ઇતિહાસકારોએ હિંદ, હિન્દુસ્તાન, ભારતવર્ષ, ભારત ( Bharat ) જેવા નામો આપ્યા હતા. પરંતુ આમાં ભારત સૌથી વધુ લોકપ્રિય હતું. આનો ઉલ્લેખ વિવિધ પુરાણો કરવામાં આવ્યો છે. તેમજ મહાભારતમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો. જેની વાર્તા ઘણી જ રસપ્રદ છે. તો ચાલો જાણીએ કે આર્યાવર્તનું ભારત કઈ રીતે પડ્યું.

Join Our WhatsApp Channel

મહર્ષિ વિશ્વામિત્ર ( Maharishi Vishwamitra ) દૈવી શક્તિઓ પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્યથી કઠોર તપસ્યા કરી રહ્યા હતા. તેમની તપસ્યાનો પ્રભાવ ધીમે ધીમે દેવલોક ( Devlok ) સુધી પહોંચ્યો હતો. જેથી દેવરાજ ઈન્દ્રનું ( Devaraj Indra ) સિંહાસન ડગમગવા લાગ્યું હતું. જો કે વિશ્વામિત્રની તપસ્યાનો હેતુ કંઈક બીજો હતો, તેમ છતાં ઈન્દ્રને લાગ્યું કે વિશ્વામિત્ર સ્વર્ગીય વિશ્વનું શાસન પ્રાપ્ત કરવા માંગે છે. તેથી, તેની વિશ્વમિત્રની તપસ્યા તોડવી ફરજિયાત બની ગઈ હતી. તેથી તપસ્યા તોડવા ઈન્દ્રએ મેનકા ( Menka ) નામની એક ખૂબ જ સુંદર અપ્સરા મોકલી હતી.

જ્યારે મેનકા તપના સ્થળે પહોંચી હતી. તે સમયે વિશ્વામિત્ર નદીમાં સ્નાન કરી રહ્યા હતા. ઋષિ નદીમાંથી બહાર આવ્યા કે તરત જ તેમની નજર કામુક અને મોહક મેનકા પર પડી હતી. વિશ્વામિત્રે મેનકા જોતાં જ તેના પર સંમોહિત થઈ ગયા હતા. વિશ્વામિત્રે મેનકા તરફ ન જોવાની ઘણી કોશિશ કરી, પણ ઋષિનું મન મેનકાની સુંદરતામાં ફસાઈ ગયું હતું. મેનકાની સુંદરતાએ ઋષિની બુદ્ધિને અસ્થિર કરી દીધી હતી. કઠોર તપસ્યાના પરિણામે તેની ચમકતી આભાની ચમક પણ મેનકાના આકર્ષણની સામે નિસ્તેજ થઈ ગઈ હતી. અચાનક મેનકા આગળ આવી અને વિશ્વામિત્રનો હાથ પકડી લીધો. તપસ્યા ભાંગી. પણ વાર્તા અહીં પૂરી નથી થતી!

મેનકાના આકર્ષણમાં ફસાઈ જવાથી વિશ્વામિત્રને નુકસાન થયું અને મેનકાએ તેની કિંમત પણ ચૂકવી પડી હતી. મેનકા ખરેખર વિશ્વામિત્રના પ્રેમમાં પડી ગઈ હતી. વિશ્વામિત્રએ મેનકાને લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. વિશ્વામિત્રની તપસ્યા ભંગ કર્યા પછી, મેનકાએ દેવલોકમાં પાછા ફરવું જોઈતું હતું, પરંતુ તેને ડર હતો કે જો વિશ્વામિત્ર ગુસ્સે થશે, તો તે તેણીને શાપ આપશે. તેથી તે વિશ્વામિત્ર સાથે લગ્ન કરવા સંમત થઈ. ઋષિના ક્રોધથી બચવાનો અને તેને ફરીથી તપસ્યા કરતા અટકાવવાનો આ એકમાત્ર રસ્તો હતો. વિશ્વામિત્ર અને મેનકાના લગ્ન થયા. હવે ઋષિ વિશ્વામિત્ર સાધુમાંથી ગૃહસ્થ અને મેનકા અપ્સરામાંથી ગૃહિણી બન્યા.

આ સમાચાર પણ વાંચો : Most Expensive Election In World: 2024ની લોકસભા ચૂંટણી વિશ્વની સૌથી મોંઘી ચૂંટણીમાંની એક હશે, જાણો કેટલો ખર્ચ થશે?

 મેનકા તેના પરિવારને છોડવા માંગતી ન હતી…

થોડા સમય પછી, મેનકા ગર્ભવતી થઈ અને તેણે ખૂબ જ સુંદર છોકરીને જન્મ આપ્યો. વિશ્વામિત્ર એ છોકરીનું નામ ‘શકુંતલા’ રાખ્યું. દરમિયાન મેનકા ભૂલી ગઈ કે તે અપ્સરા છે. પણ દેવરાજ ઈન્દ્રને આ વાત યાદ આવી ગઈ. એક દિવસ ઈન્દ્રએ તક જોઈને મેનકા પાસે આવીને કહ્યું, ‘મેનકા! જે કામ માટે મેં તને મોકલી હતી તે કામ ઘણા સમય પહેલા પૂરું થઈ ગયુ હતું! હવે તારે તરત જ સ્વર્ગમાં પાછા ફરવું જોઈએ. અપ્સરા મેનકા હવે ગૃહિણી બની ગઈ હતી. તેથી તેણે ઈન્દ્રને કહ્યું હતું કે, દેવરાજ, મારો પોતાનો પરિવાર છે. જો હું મારા પતિ અને પુત્રીને છોડીને સ્વર્ગમાં પાછી જાઉં તો મારા પરિવારનું શું થશે?’

આ સાંભળીને ઈન્દ્રને ગુસ્સો આવ્યો. તેમણે ગર્જના કરી હતી કે અપ્સરાને કોઈ કુટુંબ ન હોઈ શકે! તું કેવી રીતે ભૂલી ગઈ કે તું એક અપ્સરા છો અને અપ્સરાઓને પોતાનું કોઈ કુટુંબ નથી હોતું. તારું કામ માત્ર દેવતાઓનું મનોરંજન કરવાનું છે! જો તું દેવલોકમાં પાછી નહીં ફરીશ તો હું તને શ્રાપ આપીશ અને તને પથ્થર બનાવી દઈશ. કારણ કે, કોઈ પણ સંજોગોમાં અપ્સરા ક્યારેય, કુટુંબ નથી વસાવી શકતી

મેનકા તેના પરિવારને છોડવા માંગતી ન હતી, પરંતુ ઇન્દ્રએ તેની પાસે કોઈ વિકલ્પ છોડ્યો ન હતો. તે જાણતી હતી કે વિશ્વામિત્ર અને શકુંતલા બંને તેના જવાથી દુઃખી થશે. તેણે વિશ્વામિત્રને આખી વાત કહી. જે સાંભળીને વિશ્વામિત્ર ને ખૂબ દુ:ખ થયું, પણ તેમણે મેનકાને પરત જવાથી રોકી નહી. આખરે મેનકાને દેવલોક પરત ફરવું પડ્યું. મેનકા ગયા પછી, વિશ્વામિત્રએ ફરીથી તપસ્યા કરવાનો સંકલ્પ કર્યો. તે પોતાની પુત્રી શકુંતલાને કણ્વ ઋષિ ના રક્ષણમાં છોડી તપસ્યા કરવા ચાલ્યા ગયા. સમય જતાં, શકુંતલા એ સમ્રાટ દુષ્યંત સાથે લગ્ન કર્યા અને એક પ્રતિષ્ઠિત બાળકને જન્મ આપ્યો, જે મોટો થયો અને રાજા ભરત તરીકે ઓળખાયો. તેમના નામ પરથી આપણા દેશનું નામ ‘ભારત’ પડ્યું.

આ સમાચાર પણ વાંચો : NCP Candidates List: મહાયુતીમાં નાશિક અને ધારાશિવ બેઠક પરનો પેચ ઉકેલાયો, અજિત પવાર આજે જારી કરી શકે છે ઉમેદવારોની યાદીઃ અહેવાલ.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Maharashtra Auto Marathi Rule। પરપ્રાંતીય રિક્ષા ચાલકોની મુશ્કેલી વધશે? મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા ફરજિયાત થતા ઉત્તર ભારતના નેતાઓ લાલઘૂમ, જાણો વિગત
RBI Gold Reserves Return 2026। ૧૯૯૧ જેવી સ્થિતિ હવે ભૂતકાળ સોનાના ભંડાર મામલે ભારતનો મોટો નિર્ણય, વિદેશી બેંકોમાંથી ભારત કેમ ખસેડી રહ્યું છે પોતાનું ગોલ્ડ?
LPG Cylinder Delivery Record 2026। ગેસ પુરવઠો સામાન્ય હોવા છતાં દેશભરમાં ફફડાટ એક જ દિવસમાં અધધ આટલા લાખ સિલિન્ડરનું વિતરણ
West Bengal Election Repolling 2026। પશ્ચિમ બંગાળમાં ૧૫ મતદાન કેન્દ્રો પર પુનર્મતદાન શરૂ EVM પર ટેપ લગાવી ભાજપનું નિશાન છુપાવ્યાનો હતો આરોપ, ચૂંટણી પંચ એક્શનમાં
Exit mobile version