Site icon News Continuous Bureau | Mumbai

નોર્થ ઈસ્ટના આ બે રાજ્યોનો 50 વર્ષનો સરહદીય વિવાદ ઉકેલાયો, ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં થયો આ કરાર; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

આસામ અને મેઘાલય વચ્ચે 50 વર્ષ જૂનો સરહદી વિવાદ ઉકેલાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. 

Join Our WhatsApp Channel

બંને રાજ્યો વચ્ચે ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. 

દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં બંને રાજ્યોના મુખ્યમંત્રીઓએ સમજૂતી પર સહમતિ દર્શાવી છે.

બન્ને રાજ્યો વચ્ચેના કરાર બાદ અમિત શાહે કહ્યું કે આજે આસામ અને મેઘાલય વચ્ચેનો 50 વર્ષ જુનો સરહદીય વિવાદ ઉકેલાઈ ગયો છે. 

વિવાદના કુલ 12 પોઈન્ટમાંથી 6 પોઈન્ટ ઉકેલી દેવાયા છે જે 70 ટકા વિવાદનું મૂળ છે. બાકીના છ પોઈન્ટ પર ટૂંક સમયમાં ઉકેલ આવી જશે. 

ઉલ્લેખનીય છે કે તાજેતરના સમયમાં આસામ અને મેઘાલય વચ્ચેનો વિવાદ લોહિયાળ હિંસામાં પરિણમ્યો હતો તેમાં બન્ને પક્ષે મોટી ખુવારી થઈ હતી.

આ સમાચાર પણ વાંચો : 'રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ' બાદ નહેરુ મ્યુઝિયમનું નામ પણ બદલાયું, હવે આ નામે ઓળખાશે મ્યુઝિયમ; PM મોદી કરશે ઉદ્ઘાટન

Gen Z Outreach Team Gen Z સાથે જોડવા માટે BJPએ બનાવી ‘સૂપર ૫’ સ્પેશિયલ ટીમ, સ્મૃતિ ઈરાની ઉપરાંત કોણકોણ સામેલ? જાણો
Air Travel Update એર ટ્રેવલ થશે વધુ સરળ આ તારીખથી ભારતીય એરપોર્ટ પર બંધ થશે પાસપોર્ટ પર ફિઝિકલ સ્ટેમ્પ લગાવવાની પ્રથા.
Vande Mataram Controversy વંદે માતરમ વિવાદ પર રાજકારણ ગરમાયું કોંગ્રેસના નિર્ણય સામે ભાજપે ભડકીને પાસ કર્યો મોટો પ્રસ્તાવ!
INS Mangrool Delivery કોચીન શિપયાર્ડ દ્વારા નિર્મિત ત્રીજું એન્ટિસબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ ‘માંગરોળ’ ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું
Exit mobile version