Site icon News Continuous Bureau | Mumbai

Assam Polygamy Bill: કોઈ પણ ધર્મ કે જાતિનાં વ્યક્તિ નહીં રાખી શકે એકથી વધારે પત્ની..આ રાજ્યમાં લાગુ થશે કાયદો.. જાણો શું છે આ સંપુર્ણ મુદ્દો…

Assam Polygamy Bill: સરકાર આસામમાં બહુપત્નીત્વની પ્રથાને ખતમ કરવા માટે એક બિલ લાવવા જઈ રહ્યા છે. આ માટે રચાયેલી સમિતિએ પોતાનો અહેવાલ મુખ્યમંત્રીને સુપરત કર્યો છે.

- Assam Polygamy Bill: Polygamy practice to end in Assam soon, Govt to legislate; Report submitted by the committee to the Chief Minister

- Assam Polygamy Bill: Polygamy practice to end in Assam soon, Govt to legislate; Report submitted by the committee to the Chief Minister

News Continuous Bureau | Mumbai 

Assam Polygamy Bill: સરકાર આસામ (Assam) માં બહુપત્નીત્વ (Polygamy) સમાપ્ત કરવા માટે પગલાં લઈ રહી છે. આસામમાં બહુપત્નીત્વ ખતમ કરવા માટે સરકાર કાયદો બનાવવા જઈ રહી છે. બહુપત્નીત્વનો અભ્યાસ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલી નિષ્ણાત સમિતિએ રવિવારે મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા (Himanta Biswa) સરમાને પોતાનો અહેવાલ સુપરત કર્યો છે. આ અહેવાલ મળ્યાના કલાકોમાં જ મુખ્યમંત્રીએ વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ કરીને બહુપત્નીત્વ સમાપ્ત કરવા માટે કાયદો પસાર કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે.

Join Our WhatsApp Channel

આસામમાં બહુપત્નીત્વને સમાપ્ત કરવા માટે સરકારનાં પગલાં

આસામમાં બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવાની શક્યતાઓ અને પાસાઓની શોધ કરવા માટે આસામ સરકાર દ્વારા રચવામાં આવેલી નિષ્ણાત સમિતિએ રવિવારે મુખ્ય પ્રધાન હિમંતા સરમાને પોતાનો અહેવાલ સુપરત કર્યો છે. 12 મેના રોજ, મુખ્યમંત્રીએ નિવૃત્ત જસ્ટિસ રૂમી કુમારી ફુકનની અધ્યક્ષતામાં ચાર સભ્યોની નિષ્ણાંત સમિતિની રચનાની જાહેરાત કરી હતી. ફૂકનની સાથે, સમિતિમાં એડવોકેટ જનરલ દેવજીત સૈકિયા, વરિષ્ઠ એડિશનલ એડવોકેટ જનરલ નલિન કોહલી અને વરિષ્ઠ એડવોકેટ નેકીબુર ઝમાનનો સમાવેશ થાય છે. 18 જુલાઈના રોજ આસામ સરકારે આ સમિતિની મુદત વધારી દીધી હતી. હવે આ નિષ્ણાત સમિતિએ રિપોર્ટ આપ્યો છે.

આ સમાચાર પણ વાંચો : TMKOC : અસિત મોદી સામે શૈલેષ લોઢા ની મોટી જીત, નિર્માતાઓએ અભિનેતા ને ચૂકવવા પડશે અધધ આટલા રૂપિયા

બહુપત્નીત્વની પ્રથાને પ્રતિબંધિત કરવા માટેનો કાયદો

નિષ્ણાંત સમિતિને તેનો અહેવાલ આપવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. અહેવાલ હવે મુખ્ય પ્રધાન સમક્ષ મૂકવામાં આવ્યો હોવાથી, રાજ્ય સરકાર આગામી વિધાનસભા સત્રમાં આસામમાં બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકતો કાયદો લાવવા માટે પગલાં લઈ શકે છે. સમિતિએ સર્વાનુમતે સંમતિ આપી છે. રાજ્યો બહુપત્નીત્વ નાબૂદ કરવા માટે પોતાના કાયદા બનાવી શકે છે. તેમણે કહ્યું કે રિપોર્ટમાં સર્વસંમતિથી કહેવામાં આવ્યું છે, કે રાજ્ય સરકાર બહુપત્નીત્વ પર કાયદો બનાવી શકે છે.

નિષ્ણાત સમિતિનો અહેવાલ મુખ્યમંત્રીને સુપરત કરો

આસામના મુખ્યમંત્રી હિમંતા સરમાએ એક ટ્વીટમાં કહ્યું છે કે, “આસામમાં બહુપત્નીત્વને ખતમ કરવાના કાયદાની તપાસ કરવા માટે રચાયેલી નિષ્ણાત સમિતિએ આજે ​​પોતાનો રિપોર્ટ સોંપ્યો છે. આસામ હવે જાતિ, સંપ્રદાય અથવા ધર્મને ધ્યાનમાં લીધા વિના મહિલા સશક્તિકરણ માટે હકારાત્મક વાતાવરણ બનાવવાની નજીક છે.

બહુપત્નીત્વ શું છે?

એક કરતાં વધુ સ્ત્રીઓ સાથે લગ્ન કરનાર પુરુષને બહુપત્નીત્વ કહેવાય છે. મુસ્લિમ લૉ શરિયાની કલમ 2 હેઠળ મુસ્લિમ પુરુષોને કાયદેસર રીતે આમ કરવાની પરવાનગી છે. જો કે, ભારતીય દંડ સંહિતાની કલમ 494 અને 495 હેઠળ, તે ધર્મપ્રેમી મુસ્લિમો સિવાયની વ્યક્તિઓ માટે ગુનો ગણવામાં આવે છે.
આસામાં બહુપત્નીત્વની પ્રથા
આસામના બરાક ખીણ જિલ્લાઓમાં અને હોજાઈ અને જમુનામુખના મધ્ય વિસ્તારોમાં બહુપત્નીત્વ પ્રથા છે. દરમિયાન, શિક્ષિત જૂથોમાં બહુપત્નીત્વની પ્રથા ઓછી છે. આસામમાં, મુસ્લિમો સિવાય, હિન્દુઓ, ખ્રિસ્તીઓ અને અન્ય ધર્મો દ્વારા બહુપત્નીત્વ પ્રથા છે, મુખ્યત્વે આદિવાસી વિસ્તારોમાં.

 

Mahakal Mandir Viral Ring Ceremony| બાબા મહાકાલના દરબારમાં નિયમોના ધજાગરા ગર્ભગૃહ પાસે કપલે એકબીજાને પહેરાવી વીંટી; સિક્યોરિટી એજન્સીને ફટકારાયો મોટો દંડ!
Tiffany Trump Akshardham Temple Delhi।ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી પર ચઢ્યો ભારતીય સંસ્કૃતિનો રંગ પતિ સાથે પહોંચી અક્ષરધામ મંદિર, ભવ્યતા જોઈ કહી દીધી આ મોટી વાત!
Bank Holidays June 2026 List। જૂન મહિનાની શરૂઆત સાથે જ બેંકોમાં રજાઓનો ભડાકો, શનિવારરવિવાર સહિત આટલા દિવસો સામેલ
India Secret Plan Strait of Hormuz| હોર્મુઝની કટોકટી વચ્ચે ભારતે એક્ટિવ કર્યો ‘સીક્રેટ પ્લાન’! ખાડી દેશોમાં ફસાયેલા ૧૩ ભારતીય જહાજોને બહાર કાઢવા મોટું ઓપરેશન
Exit mobile version