Site icon News Continuous Bureau | Mumbai

Ayodhya : શ્રી રામની નગરી ગુજરાતની સુવાસથી સુગંધિત થઈ, મહંત નૃત્ય ગોપાલદાસજી મહારાજની ઉપસ્થિતિમાં 108 ફૂટ લાંબી ધૂપ સળી પ્રગટાવવામાં આવી.. જુઓ વિડીયો

Ayodhya : રામલલાના અભિષેકનો કાર્યક્રમ 22 જાન્યુઆરીએ 84 સેકન્ડની અતિ સૂક્ષ્મ ક્ષણમાં પૂર્ણ થશે. આવી સ્થિતિમાં કાર્યક્રમની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. અયોધ્યા સહિત ભારતના ખૂણે-ખૂણેથી લોકો ભગવાન શ્રી રામની ભક્તિમાં ડૂબેલા છે અને રામના નામનો જાપ કરી રહ્યા છે.

Ayodhya 108-Feet Long Incense Stick got Lit in Ayodhya

Ayodhya 108-Feet Long Incense Stick got Lit in Ayodhya

News Continuous Bureau | Mumbai

 Ayodhya : અયોધ્યામાં તે શુભ સમય નજીક આવી ગયો છે. નવા રામ મંદિર ( Ram Mandir ) માં રામલલાની મૂર્તિના અભિષેક માટેની ધાર્મિક વિધિ આજથી શરૂ થઈ ગઈ છે. આજે તપસ્યા અને કર્મકુટી પૂજા વિધિ કરવામાં આવી રહી છે.

Join Our WhatsApp Channel

અગરબત્તી જન્મભૂમિના પરિસરને સુગંધિત કરશે

આ દરમિયાન અયોધ્યા Ayodhya ) માં ગુજરાતમાંથી લાવવામાં આવેલી 108 ફૂટની અગરબત્તી (Incense stick ) સળગાવવામાં આવી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલદાસજી મહારાજની ઉપસ્થિતિમાં ગુજરાતમાંથી પહોંચેલી 108 ફૂટની અગરબત્તી   ‘જય શ્રી રામ’ ના નારાઓ વચ્ચે પ્રગટાવવામાં આવી છે. આ અગરબત્તી જન્મભૂમિના પરિસરને સુગંધિત કરશે.તેને  

જુઓ વિડીયો 

  વડોદરાના એક રામ ભક્ત એ બનાવી છે આ ધૂપ સળી 

જણાવી દઈએ કે આ ધૂપ સળી વડોદરાના એક રામ ભક્ત વિહાભાઈ ભરવાડ દ્વારા બનાવમાં આવી છે. જેનું વજન 3500 કિલો અને 108 ફૂટ લાંબી છે.  3 ફૂટ ના ઘેરાવા વાળી ધૂપ સળી ડિસેમ્બર મહિનામાં નવલખી મેદાનથી ભવ્ય શોભાયાત્રા કાઢી અગરબત્તીને કન્ટેનર મારફતે અયોધ્યા લઇ જવામાં આવી હતી. આજથી અયોધ્યા ખાતે વિધિવત કાર્યક્રમોની શરૂઆત થઈ રહી છે. ત્યારે ગુજરાતથી અયોધ્યા પહોંચેલી અગરબત્તીને પ્રગટાવવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  Ayodhya : આજથી અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વિધિ શરૂ, તિથિ-અતિથિથી લઈને મૂર્તિ-મુહૂર્ત સુધી… જાણો 22 જાન્યુઆરી સુધીનો કાર્યક્રમ

 

Ethanol Blending Program પેટ્રોલમાં 20% ઇથેનોલ મિશ્રણનો કાર્યક્રમ એક ‘ચાલુ પ્રયોગ’ છે કેન્દ્ર સરકાર
J&K Tourism અમરનાથ યાત્રા થશે અત્યંત સરળ આગામી વર્ષથી શરૂ થશે રોપવેનું કામ; માત્ર ૪૦ મિનિટમાં કરી શકાશે બાબા બર્ફાનીના દર્શન
Ayodhya Ram Mandir રામ મંદિર ચોરી વિવાદ પર ચંપત રાયે મૌન તોડ્યું જવાબદારી સ્વીકારી પણ ભ્રષ્ટાચારના આરોપો નકાર્યા
UCC Implementation બંગાળમાં આજે આવી શકે છે UCC બિલ; જાણો તેનો ઈતિહાસ અને તે લાગુ થવાથી શું બદલાશે?
Exit mobile version