Site icon News Continuous Bureau | Mumbai

Ayodhya: સ્પાઈજેટ એરલાઈન્સની મોટી જાહેરાત.. હવે આ આઠ શહેરોમાંથી શરુ કરાશે અયોધ્યા માટે સીધી ફ્લાઈટ સેવા..

Ayodhya: 22 જાન્યુઆરીની દેશભરમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ભક્તોને અયોધ્યામાં જવા માટે સરળતા રહે તે માટે વિવિધ એરલાઈન્સે આ રુટ પર ફલાઈટોની શરુઆત કરી છે.

Ayodhya Big announcement of Spicejet Airlines.. Now direct flight service to Ayodhya will be started from these eight cities.. Know

Ayodhya Big announcement of Spicejet Airlines.. Now direct flight service to Ayodhya will be started from these eight cities.. Know

News Continuous Bureau | Mumbai 

Ayodhya: ઘણી એરલાઈન્સે દેશના અલગ-અલગ શહેરોમાંથી અયોધ્યા માટે ફ્લાઈટની ( flights ) જાહેરાત કરી છે. હવે આ યાદીમાં સ્પાઈસ જેટનું ( SpiceJet ) નામ પણ જોડાઈ ગયું છે. શુક્રવારે સારા સમાચાર આપતા, કંપનીએ કુલ આઠ રૂટ પર ફ્લાઇટ સેવાઓ ( Flight services ) શરૂ કરવાની જાહેરાત કરી છે. દિલ્હી, અમદાવાદ, જયપુર, પટના, દરભંગાથી અયોધ્યા વચ્ચે ફ્લાઈટ્સ ઓપરેટ થશે. અગાઉ, એરલાઈન્સે ચેન્નાઈ, મુંબઈ અને બેંગલુરુથી સીધી ફ્લાઈટ સેવાઓની જાહેરાત કરી હતી. તમામ ફ્લાઈટ્સ 1 ફેબ્રુઆરી 2024ના રોજ ઓપરેટ થશે. 

Join Our WhatsApp Channel

22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ( Ram Mandir Pran Pratistha ) કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સ્પાઈસ જેટે 21 જાન્યુઆરીએ દિલ્હી અને અયોધ્યા વચ્ચે વિશેષ ફ્લાઈટ ચલાવવાની જાહેરાત કરી દીધી હતી. 21 જાન્યુઆરીએ રામ મંદિરના કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહેલા ભક્તો માટે સ્પાઈસ જેટની વિશેષ ફ્લાઈટ ( Special flights )  દિલ્હી અને અયોધ્યા વચ્ચે ઉડાન ભરશે .

 ઈન્ડિગો ( Indigo ) અને એર ઈન્ડિયા એક્સપ્રેસે પણ અયોધ્યા માટે ફ્લાઈટ સેવા શરૂ કરવાની જાહેરાત કરી..

દેશની સૌથી મોટી એરલાઈન્સ ઈન્ડિગો અને એર ઈન્ડિયા એક્સપ્રેસે પણ અલગ-અલગ શહેરોમાંથી અયોધ્યા માટે ફ્લાઈટ સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. ઈન્ડિગોએ દિલ્હી, અમદાવાદ અને મુંબઈથી અયોધ્યા માટે ફ્લાઈટ ચલાવવાની જાહેરાત કરી છે. એર ઈન્ડિયા એક્સપ્રેસે પણ દિલ્હી, મુંબઈ અને અમદાવાદથી અયોધ્યા વચ્ચે ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી છે.

આ સમાચાર પણ વાંચો : China Kabutar: જાસુસ હોવાની શંકામાં અટકાયત કરેલ આ ચાઈનીઝ કબૂતર મૂક્તિની આશમાં આટલા મહિનાથી છે પાંજરામાં કેદ.

દરમિયાન અકાસા એરલાઈન્સે પણ અયોધ્યા માટે ફ્લાઈટ ચલાવવાની જાહેરાત કરી છે. આ એરલાઈન્સ પુણેથી અયોધ્યા વાયા દિલ્હી વચ્ચે ફ્લાઈટનું સંચાલન શરૂ કરવા જઈ રહી છે. પૂણે અને અયોધ્યા વચ્ચેની આ ફ્લાઈટ 15 ફેબ્રુઆરી 2024થી શરૂ થશે. એક અહેવાલ મુજબ, ફ્લાઈટ પૂણેથી સવારે 8.50 વાગ્યે ઉપડશે અને 12.55 વાગ્યે અયોધ્યા પહોંચશે.

Women’s Reservation Bill Defeated અંતરાત્માનો અવાજ કે રાજકીય રમત? મહિલા અનામત બિલ પડતા જ મચ્યો હંગામો, જાણો સરકારની હારના મુખ્ય કારણો
India China Delhi Meeting ભારતચીન મિત્રતા કે નવો ખેલ? પહેલીવાર સીધી વાતચીતથી વિશ્વભરમાં હલચલ, અમેરિકા કેમ છે પરેશાન?
TCS Nashik Case Update ‘TCS નું નિવેદન કે બચાવ? નાસિક કાંડમાં ફસાયેલી નિદા ખાન મુદ્દે કંપનીએ કર્યો મોટો દાવો!
Women’s Reservation Bill Parliament અમિત શાહનો વિપક્ષ પર મોટો હુમલો! મહિલા અનામત બિલની ચર્ચા વચ્ચે સંસદમાં શું થયું? જાણો અંદરની વાત.
Exit mobile version