Site icon

Ayodhya Ram Mandir : 500 વર્ષની પ્રતિક્ષાનો આજે અંત, અયોધ્યા પધારશે પ્રભુ શ્રી રામ.. શહેરને હજારો કિલો ફૂલોથી દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું.. જુઓ વિડીયો

Ayodhya Ram Mandir : પુષ્પોથી સુશોભિત અયોધ્યામાં જન્મભૂમિ પથ, રામ પથ, ભક્તિપથ અને ધર્મપથની અલૌકિક આભા વધુ વધી છે. સાંસ્કૃતિક નૃત્ય અને સંગીતનાં સાધનો દ્વારા રાજ્યની તેમજ સમગ્ર દેશની પરંપરાઓ અને કલાઓને વિવિધ સ્થળોએ જોડવામાં આવી રહી છે.

Ayodhya Ram Mandir Inauguration today, here’s how the Ayodhya Ram temple is decorated for big day

Ayodhya Ram Mandir Inauguration today, here’s how the Ayodhya Ram temple is decorated for big day

News Continuous Bureau | Mumbai 

Ayodhya Ram Mandir :  મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ 500 વર્ષના વનવાસ બાદ આજે પોતાના ઘર અયોધ્યા પરત ફરી રહ્યા છે. જ્યાં અયોધ્યા શહેરમાં તેમનું ભવ્ય સ્વાગત કરવાની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. રામ મંદિર પરિસર સહિત સમગ્ર અયોધ્યા ધામને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે ફૂલોથી સજાવવામાં આવ્યું છે. જન્મભૂમિ સ્થળને વિવિધ પ્રકારના દેશી-વિદેશી ફૂલોથી શણગારવામાં આવ્યું છે, તો જન્મભૂમિ પથ, રામ પથ, ધરમ પથ અને લતા ચોકને પણ સુંદર ફૂલોથી શણગારવામાં આવ્યા છે.

Join Our WhatsApp Community

શ્રી રામ મંદિરના અભિષેકની તૈયારીઓ

અયોધ્યામાં સ્વર્ગ જેવું લાગે છે. એવું લાગે છે કે જાણે આખું સ્વર્ગ રઘુનંદનને નમસ્કાર કરવા પૃથ્વી પર આવી ગયું છે. જાન્યુઆરીમાં જ દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સાથે અયોધ્યામાં સૂર્યાસ્ત બાદ 10 લાખ દીવાઓ સાથે રોશની પર્વની તૈયારીઓ પણ કરવામાં આવી છે. દેશ અને દુનિયાભરમાં દીપોત્સવની ઉજવણી કરવામાં આવશે. પીએમ મોદી અને સીએમ યોગીએ દેશવાસીઓને સૂર્યાસ્ત પછી 5 દીવા પ્રગટાવવાની અપીલ કરી છે.

આ સમાચાર પણ વાંચો : રામ ભક્તિ માં લીન જોવા મળી કંગના રનૌત, અયોધ્યા પહોંચી લીધા જગદગુરુ રામભદ્રાચાર્ય ના આશીર્વાદ, તસવીરો થઇ વાયરલ

જુઓ વિડીયો 

શ્રી રામ મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું

ફૂલોથી સુશોભિત અયોધ્યામાં જન્મભૂમિ પથ થી રામ પથ, ભક્તિપથ અને ધર્મપથ સુધી અલૌકિક આભા દેખાય રહી છે. સમગ્ર અયોધ્યા ધામમાં ભગવાન શ્રી રામના જીવન ચરિત્ર સાથે સંબંધિત વિવિધ પ્રકરણોને ભીંતચિત્ર અને દિવાલ પેઇન્ટિંગ દ્વારા દર્શાવવામાં આવ્યા છે.

Rajya Sabha Election 2026: મોટો પલટવાર! રાજ્યસભામાં વિપક્ષી ગઢમાં ગાબડું? લાલુ, ઉદ્ધવ અને પવાર માટે પ્રતિષ્ઠાનો જંગ; જાણો કોની ખુરશી જોખમમાં.
Jio Frames AI Glasses: સ્માર્ટફોનનો જમાનો જશે? જિયોના એઆઈ ગ્લાસમાં છુપાયેલા છે એવા ફીચર્સ જેની તમે કલ્પના પણ નહીં કરી હોય; જુઓ આ વાયરલ ગેજેટ
Cashless Toll Plaza: 1 એપ્રિલથી ટોલ પ્લાઝા સંપૂર્ણ કેશલેસ: હવે રોકડ વ્યવહાર બંધ, માત્ર ફાસ્ટેગ અથવા UPIથી જ ચૂકવણી થશે.
Jio New Plan: ₹365માં ડેટા, કોલિંગ અને ફ્રી OTT; જાણો વેલિડિટી અને ફાયદાની સંપૂર્ણ વિગત.
Exit mobile version