Site icon News Continuous Bureau | Mumbai

Ayodhya Ram Mandir : ગર્ભગૃહમાં બિરાજમાન થયા પ્રભુ શ્રીરામ, મૂર્તિની પ્રથમ તસવીર આવી સામે.. જુઓ

Ayodhya Ram Mandir : હાલ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામલલાની મૂર્તિની પૂજાની વિધિ ચાલી રહી છે. ગુરુવારે મૂર્તિને ગર્ભગૃહના આસન પર મૂકવામાં આવી હતી. તેની પ્રથમ તસવીર સામે આવી છે. રામલલાની કાળા રંગની મૂર્તિ ઊભી મુદ્રામાં 51 ઇંચ ઊંચી છે, તેથી તેને સિંહાસન પર બેસવાને બદલે ગર્ભગૃહમાં બનેલા આસન પર સીધી બેસાડવામાં આવી છે. રામલલાની મૂર્તિની વિવિધ વિધિ 22 જાન્યુઆરી સુધી ચાલશે.

Ayodhya Ram Mandir Ram Lalla idol's first photo inside Ayodhya temple's sanctum sanctorum revealed

Ayodhya Ram Mandir Ram Lalla idol's first photo inside Ayodhya temple's sanctum sanctorum revealed

News Continuous Bureau | Mumbai

 Ayodhya Ram Mandir : આગામી 22 જાન્યુઆરી, સોમવારે,એ યોજાનારી પ્રાણપ્રતિષ્ઠા સમારોહ પહેલા અયોધ્યામાં એક પછી એક ધાર્મિક વિધિઓ કરવામાં આવી રહી છે. આ જ ક્રમમાં ગુરુવારે મંદિર પરિસરમાં શ્રી રામની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. ગુરુવારે સાંજે મંદિરના ગર્ભગૃહમાં રામલલ્લાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. લગભગ એક સદી બાદ રામલલ્લા તેમના જન્મસ્થળ પર બિરાજમાન થયા છે. પ્રાણપ્રતિષ્ઠા સમારોહ પછી, વ્યક્તિ રામલલ્લાની પવિત્ર મૂર્તિના દર્શન કરી શકે છે. દરમિયાન હવે આ મૂર્તિની પહેલી ઝલક સામે આવી છે.

Join Our WhatsApp Channel

ગર્ભગૃહમાં મૂર્તિની સ્થાપના –

ગુરુવારે મૂર્તિની સ્થાપના માં કુલ 4 કલાકથી વધુનો સમય લાગ્યો હતો. ભગવાન રામની આ મૂર્તિને મંત્રોચ્ચાર અને પૂજા સાથે સ્થાપિત કરવામાં આવી હતી. આ પ્રસંગે શિલ્પકાર યોગીરાજ સહિત અનેક સંતો ઉપસ્થિત રહ્યા હતા. જો કે, પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ થશે. તેથી, હાલમાં, મંદિરના પાયામાં ગુરુવારે સ્થાપિત કરવામાં આવેલી મૂર્તિને ઢાંકી દેવામાં આવી છે.

રામલલ્લાની મૂર્તિનો ફોટો વાયરલ –

ગર્ભગૃહમાં ભગવાન રામની મૂર્તિ સ્થાપિત થયા બાદ આ મૂર્તિનો ફોટો સામે આવ્યો છે. હાલમાં આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કર્ણાટકના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજે આ મૂર્તિ કૃષ્ણશિલા ખાતે બનાવી છે. તે એક પ્રખ્યાત શિલ્પકારોના પરિવારમાંથી આવે છે. તેમની પાંચ પેઢી પ્રતિમાઓ બનાવવાનું કામ કરતી આવી છે. તે દેશના સૌથી પ્રખ્યાત શિલ્પકારોમાંના એક છે. દેશના વિવિધ રાજ્યોમાં અરુણની બનાવેલી મૂર્તિઓની ભારે માંગ છે. ખુદ PM મોદી અરુણની પ્રતિભાના વખાણ કરી ચૂક્યા છે.  

વડાપ્રધાન મોદીની ધાર્મિક વિધિઓ –

બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કડક વિધિનું પાલન કરી રહ્યા છે. તેમની 11 દિવસીય અનુષ્ઠાન ચાલી રહી છે. 11 દિવસની આ ધાર્મિક વિધિમાં વડાપ્રધાન મોદી જમીન પર મેટ પર સૂઈ રહ્યા છે. તેથી તેઓ માત્ર નારિયેળ પાણી પી રહ્યા છે.

 

Air India Pilot Drug Test ગાંજો પીને એર ઈન્ડિયાનું વિમાન ઉડાવી રહ્યો હતો પાઈલટ? AAIBની તપાસમાં હચમચાવી દેતો ખુલાસો
Driving Licence New Rules ટ્રાફિક નિયમો તોડ્યા તો સીધું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થશે! નીતિન ગડકરીની મોટી જાહેરાત; જાણો શું છે નવી પોઇન્ટ સિસ્ટમ?
Railway passengers ઓનલાઇન જનરલ ટિકિટ લીધી હોય તો આ ભૂલ ન કરતા, સીધો લાગશે 500 રૂપિયા દંડ
TMC rebel MPs લોકસભા અધ્યક્ષે 20 બાગી સાંસદોને અયોગ્યતા કેસમાં જવાબ આપવા આ તારીખ સુધી વધારાનો સમય આપ્યો, મહુઆ મોઇત્રાએ વ્યક્ત કર્યું આશ્ચર્ય
Exit mobile version