Site icon News Continuous Bureau | Mumbai

Ayodhya Ram Mandir : અયોધ્યામાં રામ મંદિરની સુરક્ષા માટે તૈનાત SSF જવાનનું મોત, માથા ઉપર ગોળી વાગી.. પોલીસે થઈ દોડતી..

Ayodhya Ram Mandir : અયોધ્યામાં રામ મંદિરની સુરક્ષા માટે તૈનાત એક જવાનનું ગોળી લાગવાથી મોત થયું છે. આ ઘટના બુધવારે સવારે 5.25 કલાકે બની હતી. આ જવાનનું નામ શત્રુઘ્ન વિશ્વકર્મા છે અને તેની ઉંમર 25 વર્ષ છે. તે આંબેડકર નગરનો રહેવાસી હતો.

Ayodhya Ram Mandir SSF personnel found dead at Ayodhya's Ram Mandir, suicide suspected

Ayodhya Ram Mandir SSF personnel found dead at Ayodhya's Ram Mandir, suicide suspected

News Continuous Bureau | Mumbai

Ayodhya Ram Mandir : ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ જન્મભૂમિ રામ મંદિરની અંદર એક SSF જવાનનું શંકાસ્પદ ગોળી વાગવાથી મોત થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના સવારે 5.25 વાગ્યે બની હતી. રામ મંદિર વિસ્તારમાં ગોળીબારનો અવાજ સંભળાતા જ સુરક્ષાકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, ઘાયલ જવાનને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ડોક્ટરોએ જવાનને મૃત જાહેર કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ જવાનનું નામ 25 વર્ષીય શત્રુઘ્ન વિશ્વકર્મા છે.

Join Our WhatsApp Channel

Ayodhya Ram Mandir : મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો 

આ ઘટના પ્રકાશમાં આવતાં જ રામજન્મભૂમિ સંકુલમાં સનસનાટી મચી ગઈ હતી. આ મામલો રામજન્મભૂમિ પોલીસ સ્ટેશન હેઠળના રામજન્મભૂમિ સંકુલનો છે. પ્રાથમિક તપાસમાં પોલીસને શંકા છે કે આ આત્મહત્યા અથવા અકસ્માત હોઈ શકે છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.

Ayodhya Ram Mandir : ઘટનાસ્થળની ઝીણવટભરી તપાસ

શત્રુઘ્ન વિશ્વકર્મા 2019 બેચના હતા. તે આંબેડકર નગરના સન્માનપુર પોલીસ સ્ટેશનના કાજપુરા ગામનો રહેવાસી હતો. તેઓ SSFમાં પોસ્ટેડ હતા. અયોધ્યામાં રામ મંદિરની સુરક્ષા માટે SSF ફોર્સની રચના કરવામાં આવી છે. શત્રુઘ્નનાં મિત્રોએ જણાવ્યું કે ઘટના પહેલા શત્રુઘ્ન ફોન તરફ જોઈ રહ્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી તે થોડો ચિંતિત હતો. પોલીસે આ ઘટના અંગે જવાનના પરિવારને જાણ કરી છે.

આ સમાચાર પણ વાંચો : ભારતીય રેલ્વેએ અકસ્માતો ટાળવા માટે છેલ્લા પાંચ વર્ષમાં અધધતન આટલા લાખ કરોડથી વધુ ખર્ચ કર્યા છે; જાણો શું પગલાં લેવામાં આવ્યા?

Ayodhya Ram Mandir : ત્રણ મહિના પહેલા પણ ગોળી મારવાની ઘટના –

મહત્વનું છે કે ત્રણ મહિના પહેલા પણ રામ મંદિરની સુરક્ષા માટે તૈનાત એક જવાનને ગોળી મારી દેવામાં આવી હતી. બંદૂક સાફ કરતી વખતે આ ઘટના બની હતી. એવું કહેવાય છે કે જ્યારે બંદૂક સાફ કરવામાં આવી રહી હતી ત્યારે અચાનક ટ્રિગર ખેંચાઈ ગયું અને ગોળી વાગી. ગોળી સીધી યુવકની છાતીમાં વાગી હતી.

જણાવી દઈએ કે SSF એટલે કે સ્પેશિયલ સિક્યુરિટી ફોર્સની સ્થાપના યોગી સરકાર દ્વારા ચાર વર્ષ પહેલા કરવામાં આવી હતી. SSF પાસે વોરંટ વિના કોઈપણની ધરપકડ કરવાની સત્તા છે. આ દળનું નેતૃત્વ એડીજી સ્તરના અધિકારીઓ કરે છે.

US Nuclear Strategy રશિયાચીન સાથે વધતો તણાવ કે અન્ય કારણ? અમેરિકા કેમ બદલી રહ્યું છે પોતાની પરમાણુ નીતિ
Middle East War August US Iran Conflict મિડલ ઈસ્ટ માટે અત્યંત નિર્ણાયક બનશે આ મહિનો, ઓગસ્ટમાં ઈરાનઅમેરિકા મહાયુદ્ધનો આવશે અંત?
Islamic NATO Announcement મક્કામાં રચાયું ‘ઈસ્લામિક નાટો’, પાકિસ્તાનનું પરમાણુ કવચ હવે આ દેશોને પણ મળશે! ત્રણ મુસ્લિમ દેશોની ‘ત્રિપુટી’ એ સહી કર્યા દસ્તાવેજ!
RBI Sovereign Gold Bond Redemption Price ગોલ્ડ બોન્ડ રોકાણકારોની બલ્લેબલ્લે! RBI આપશે આટલા ટકા સુધીનું જબરદસ્ત વળતર!
Exit mobile version