Site icon News Continuous Bureau | Mumbai

અયોધ્યા બનશે રામમય. સાત ચોરા પર લાગશે રામના વિવિધ સ્વરૂપની 7 મૂર્તિઓ..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

31 ઓગસ્ટ 2020

અયોધ્યા નગરી સંપૂર્ણપણે રામમય બનવા જઈ રહી છે. દરેક ચોરા પર એક એક રામની પ્રતિમા મુકવામાં આવશે. આ પ્રતિમા એટલી ઊંચી હશે કે દૂરથી પણ ભક્તો અને પ્રવાસીઓ જોઈ શકશે. દરેક મૂર્તિમાં ભગવાન રામના અલગ અલગ સ્વરૂપ જોઇ શકાશે. આ મૂર્તિઓમાં રામલલ્લા નો  દેશનિકાલ, ધનુષધારી,  રાજારામ, શિકારી રામ,  ઉપદેશ રામ જેવા રૂપો કંડારવામાં આવશે. આ મૂર્તિઓ પર લગભગ 1 કરોડથી વધુ રૂપિયા નો ખર્ચ આવશે. આમ અયોધ્યામાં મંદિર નિર્માણ પહેલા અયોધ્યા નગરી પ્રભુ રામમય થઈ જશે.

અયોધ્યામાં રામમંદિર નિર્માણની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મંદિરના નિર્માણ માટે 70 એકર જમીનનો નકશો બનાવીને શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા 'અયોધ્યા વિકાસ ઓથોરિટીને' મોકલવામાં આવ્યો છે. આ નકશા પર આગામી એક-બે દિવસમાં મહોર લાગી જવાની સંભાવના છે. ત્યારબાદ રામ મંદિરનો પાયો ખોદવાનું કામ સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયા થી શરૂ થશે એવું આયોજન કરવામાં આવ્યું છે..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Indian Weapon Demand બ્રહ્મોસથી લઈને આકાશતીર સુધી, દુનિયામાં વધી ભારતીય હથિયારોની ધાક, શું ડિફેન્સ સેક્ટરમાં કિંગ બનશે ભારત?
Global Crude Oil Stock યુએસઈરાન તણાવથી ક્રૂડ ઓઈલ 6% મોંઘું જાણો વૈશ્વિક તેલ સંકટ વચ્ચે ભારત પાસે કેટલા દિવસનો સ્ટોક?
Amit Shah Devendra Fadnavis Meeting અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે દિલ્હીમાં બંધ બારણે બેઠક, ૩ કલાક સુધી વિવિધ મુદ્દાઓ પર થયું મંથન
West Bengal Baruipur police encounter પ. બંગાળમાં પોલીસ કસ્ટડીમાંથી ભાગવા જતાં રેપમર્ડરના આરોપીનું એન્કાઉન્ટર, માનવાધિકાર સંગઠનોએ ઉઠાવ્યા સવાલ
Exit mobile version