Site icon News Continuous Bureau | Mumbai

Bandhavgarh Tiger Deaths 2026: બાંધવગઢમાં વાઘના મોતે વધારી ચિંતા, ૨૦૨૫ માં ૫૪ અને ૨૦૨૬ ના પ્રારંભે ૧૦ મોત; હાઈકોર્ટે આપ્યો આ આદેશ .

૨૦૨૫માં રેકોર્ડબ્રેક ૫૪ વાઘના મોત બાદ તંત્રની નિષ્ફળતા સામે આવી; હાઈકોર્ટે કેન્દ્ર-રાજ્ય સરકાર અને NTCA પાસે માગ્યો ખુલાસો, ૨૫ માર્ચે આગામી સુનાવણી.

Bandhavgarh Tiger Deaths 2026 બાંધવગઢમાં વાઘના મોતે વધારી ચિંતા, ૨૦૨૫ માં ૫૪

Bandhavgarh Tiger Deaths 2026 બાંધવગઢમાં વાઘના મોતે વધારી ચિંતા, ૨૦૨૫ માં ૫૪

News Continuous Bureau | Mumbai

Bandhavgarh Tiger Deaths 2026 મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં રજૂ કરાયેલા એક રિપોર્ટમાં બાંધવગઢ અભયારણ્યમાં વાઘની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉઠ્યા છે. ૨૧ નવેમ્બર ૨૦૨૫ થી ૨ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધીના ટૂંકા ગાળામાં બાંધવગઢમાં ૮ વાઘે જીવ ગુમાવ્યા છે. વન્યજીવ કાર્યકર્તા અજય દુબે દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી દરમિયાન આ આંકડા બહાર આવ્યા છે, જેમાં વર્ષ ૨૦૨૫ ને વાઘ માટે સૌથી ઘાતક વર્ષ ગણાવવામાં આવ્યું છે.બાંધવગઢના ક્ષેત્ર નિયામક દ્વારા સોંપવામાં આવેલા રિપોર્ટમાં જણાવાયું છે કે, ૪ વાઘના મોત અભયારણ્યની અંદર કુદરતી રીતે થયા છે, જ્યારે બાકીના ૪ વાઘના મોત ‘સામાન્ય વન વિસ્તાર’માં વીજ કરંટ લાગવાને કારણે થયા છે. ૨૦૨૫માં મધ્ય પ્રદેશમાં કુલ ૫૪ વાઘના મોત થયા હતા, જે ‘પ્રોજેક્ટ ટાઈગર’ શરૂ થયા પછીના સૌથી વધુ છે.

Join Our WhatsApp Community

વીજ કરંટ અને સુરક્ષામાં ક્ષતિ

રિપોર્ટમાં સ્વીકારવામાં આવ્યું છે કે કોર અને બફર ઝોનમાં વીજ લાઈનો વાઘ માટે જોખમી સાબિત થઈ રહી છે. વન વિભાગે વીજ વિભાગને વારંવાર પત્રો લખીને વીજ વાયરોને વ્યવસ્થિત કરવા અને વન્યજીવ સંરક્ષણના માપદંડોનું પાલન કરવા જણાવ્યું હતું, તેમ છતાં કરંટ લાગવાની ઘટનાઓ અટકી નથી. હાઈકોર્ટે આ બાબતને ગંભીરતાથી લઈને હવે ૨૫ માર્ચે વધુ તપાસના આદેશ આપ્યા છે.

હાઈકોર્ટે માગ્યો જવાબ

મુખ્ય ન્યાયાધીશ ની ખંડપીઠે કેન્દ્ર અને રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગ તેમજ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) પાસેથી જવાબ માંગ્યો છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે ૫૭ ટકા વાઘના મોત અકુદરતી કારણોસર થયા છે, જે તંત્રની ગંભીર બેદરકારી દર્શાવે છે. કોર્ટે વાઘના શિકારને રોકવા માટે તાકીદે માર્ગદર્શિકા જારી કરવા નિર્દેશ આપ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.

કુનોમાં માદા ચિત્તાનું મોત

વાઘની સાથે મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાંથી પણ માદા ચિત્તાના મોતના સમાચાર આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, એક માદા ચિત્તા દીપડા સાથેની લડાઈમાં મારી ગઈ હોવાની આશંકા છે. ૨૦૨૨ માં આફ્રિકાથી ચિત્તા લાવવામાં આવ્યા બાદ દીપડા સાથેના સંઘર્ષમાં આ પ્રકારનું પ્રથમ મોત નોંધાયું છે, જે વન્યજીવ વ્યવસ્થાપન સામે નવા પડકારો ઊભા કરી રહ્યું છે.

Noida Protest LIVE: શ્રમિકોના આક્રોશથી નોઈડા ધ્રૂજ્યું: સેક્ટર 80માં પોલીસ પર પથ્થરમારો, હિંસાના પગલે દિલ્હી-NCRમાં હાઈ એલર્ટ
Noida Violence Investigation: નોઈડા હિંસા મામલે હાઈટેક ષડયંત્રનો ખુલાસો: QR કોડ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા તોફાની તત્વો, પોલીસ તપાસમાં સનસનાટી!
Heatwave Alert: ઉનાળાનું રૌદ્ર સ્વરૂપ: દેશના 8 રાજ્યોમાં હીટવેવની આગાહી, ગરમીથી બચવા મહારાષ્ટ્ર સરકારે જારી કરી નવી માર્ગદર્શિકા.
Ambedkar Jayanti 2026: ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ: રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીએ સંસદ ભવનમાં અર્પી શ્રદ્ધાંજલિ, જાણો દેશના મહાનુભાવોના સંદેશ!
Exit mobile version