કોરોનાની બીજી લહેર એ દેશભરમાં કાળો કેર વર્તાવ્યો છે.
દેશમાં કોરોનાના સૌથી વધારે સક્રિય કેસ બેંગલુરુ માં છે અહીં લગભગ 1.5 લાખ સક્રિય કેસ છે.
બેંગલુરુ પછી, પુણે શહેર બીજા ક્રમે છે, જ્યાં કોરોનાના 1.16 લાખથી વધુ સક્રિય કેસ છે.
તે જ સમયે, દેશની રાજધાની(દિલ્હી)માં લગભગ એક લાખ સક્રિય કેસ છે. જ્યારે દેશની આર્થિક રાજધાની (મુંબઈ)માં 81 હજાર 174 સક્રિય કેસ છે.
મુંબઈમાં પ્રાણવાયુની અછતને ટાળવા બાર હોસ્પિટલમાં 16 ઓક્સિજન પ્લાન્ટ મુકવામાં આવશે.
