Site icon

મોટી જાહેરાત : કેન્દ્ર સરકાર તમામ ભારતવાસીઓને મફત વેક્સિન આપશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૭ જૂન, ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કરેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં મોટી જાહેરાત કરી છે. એ અનુસાર હવે આગામી ૨૧ જૂનથી એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસથી ૧૮ વર્ષથી ઉપરના લોકોને નિ:શુલ્ક વેક્સિન અપાશે.

આ જાહેરાત કરતાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે “આજથી બે અઠવાડિયાં બાદ એટલે કે ૨૧ જૂનથી કેન્દ્ર સરકાર રાજ્યોને ૧૮ વર્ષથી ઉપરના લોકો માટે નિ:શુલ્ક વેક્સિનનો પુરવઠો પૂરો પાડશે.” આ માટે કેન્દ્ર સરકાર વેક્સિન ઉત્પાદકો પાસેથી ૭૫% રસી લઈ અને રાજ્યોને આપશે. એથી હવે દેશની કોઈપણ રાજ્ય સરકારે રસીનો ખર્ચ ઉઠાવવો પડશે નહિ. આ બદલ આગામી સમયમાં કેન્દ્ર રાજ્ય સરકારો સાથે મળીને કામ કરશે.

પીએમ મોદી આજે સાંજે 5 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે, કોરોના સ્થિતિ અને વેક્સિનને લઈને કરી શકે છે મોટી જાહેરાત

ઉલ્લેખનીય છે કે વડા પ્રધાને ઉમેર્યું હતું કે “અત્યાર સુધીમાં કરોડો લોકોને મફત વેક્સિન મળી છે અને હવે ૧૮ વર્ષથી ઉપરના લોકોને પણ આનો લાભ મળશે.” આ નિર્ણય અનુસાર હવે ભારત સરકાર જ તમામ દેશવાસીઓ માટે મફત રસી ઉપલબ્ધ કરાવી આપશે. જોકે, જે લોકો પ્રાઇવેટ હોસ્પિટલમાં પૈસા ચૂકવી વેક્સિન લેવા માગે છે તેમને પણ છૂટ આપવામાં આવી છે. વેક્સિનનો બાકીનો ૨૫% જથ્થો પ્રાઇવેટ હોસ્પિટલ ખરીદી રસીકરણ કરી શકશે. સર્વિસ ચાર્જ રૂપે હવે મહત્તમ ૧૫૦ રૂપિયા જ લઈ શકાશે.

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Rajnath Singh Statement: દેશની સુરક્ષા પર સવાલ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને પાઠ ભણાવવાની ખાતરી આપી.
Exit mobile version