Site icon News Continuous Bureau | Mumbai

Vande Bharat: શિવ ભક્તોને મોટી ભેટ, આ બંને તીર્થ સ્થાનો વચ્ચે ચલાવવામાં આવશે વંદે ભારત ; PM મોદી બતાવશે લીલી ઝંડી..

Vande Bharat: કાશી વિશ્વનાથ ધામ અને બાબા બૈદ્યનાથ ધામ વચ્ચે મુસાફરી હવે સરળ બનશે. વંદે ભારત એક્સપ્રેસ ચોમાસા પહેલા આ બંને તીર્થ સ્થાનો વચ્ચે ચલાવવામાં આવશે. એવી અપેક્ષા છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ ટ્રેનને વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી બતાવશે.

Big gift before Monsoon, Vande Bharat will run between Baidyanath Dham to Kashi Vishwanath Dham, Bihar will also benefit..

Big gift before Monsoon, Vande Bharat will run between Baidyanath Dham to Kashi Vishwanath Dham, Bihar will also benefit..

News Continuous Bureau | Mumbai 

Vande Bharat: ચોમાસુ શરૂ થતા પહેલા સાંથલ પરગણાના લોકોને વધુ એક ભેટ મળવા જઈ રહી છે. એક તીર્થસ્થળને બીજા તીર્થસ્થાન સાથે જોડવા માટે હવે વંદે ભારત ટ્રેન ( Vande Bharat Express ) શરૂ થવાની છે. વાસ્તવમાં બાબા બૈદ્યનાથ ધામથી કાશી વિશ્વનાથ ધામ સુધી વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવશે. આ ટ્રેન દેવઘરથી ઉપડશે અને ગયા થઈને બનારસ જશે. આ ટ્રેન ચોમાસા પહેલા શરૂ થાય તેવી શક્યતા છે. 

Join Our WhatsApp Channel

કાશી વિશ્વનાથ ધામ અને બાબા બૈદ્યનાથ ધામ ( Baba Baidyanath Dham ) વચ્ચે મુસાફરી હવે સરળ બનશે. વંદે ભારત એક્સપ્રેસ ચોમાસા પહેલા આ બંને તીર્થ સ્થાનો વચ્ચે ચલાવવામાં આવશે. એવી અપેક્ષા છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (  Narendra Modi ) આ ટ્રેનને વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી બતાવશે.

Vande Bharat: આ ટ્રેન દેવઘરથી બનારસ વાયા ગયા રેલવે સ્ટેશન સુધી ચલાવવામાં આવશે….

આ ટ્રેન દેવઘરથી બનારસ વાયા ગયા રેલવે સ્ટેશન સુધી ચલાવવામાં આવશે. નોર્થ ઈસ્ટર્ન રેલવેના અધિકારીઓના એક નિવેદમનાં જણાવ્યા અનુસાર આ ટ્રેન માટેનો પ્રસ્તાવ રેલવે બોર્ડને મોકલવામાં આવ્યો છે. ચોમાસા માં, બાબા બૈદ્યનાથ અને કાશી વિશ્વનાથ ધામ (  Kashi Vishwanath Dham )  વચ્ચે ભક્તોની ભારે ભીડ હોય છે, પરંતુ વારાણસી અને દેવઘર વચ્ચે કોઈ સીધી ટ્રેન સેવા ન હોવાથી. દેવઘર જવા માટે મુસાફરોને જસીડીહ સ્ટેશન પર ઉતરવું પડે છે. જેથીભક્તોને ભારે સમસ્યા સહન કરવી પડે છે. તેથી હવે આ ટ્રેનથી તેમની સમસ્યાનો ઉકેલ લાવવાનો ઉદ્દેશ્ય રહેશે.જો કે, આ ટ્રેનનું ભાડું, રૂટ અને સમય અંગે અંતિમ નિર્ણય લેવાનો હજુ બાકી છે.

આ સમાચાર   પણ વાંચો :  PM Narendra Modi: PM મોદી 21 જૂને કાશ્મીરની મુલાકાતે, આતંકવાદી હુમલા વચ્ચે PM મોદી જમ્મુ-કાશ્મીરના આ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવશે…

આ ટ્રેન દ્વારા ત્રણ તીર્થસ્થળોને જોડવામાં આવી રહ્યા છે. આ ટ્રેન શરૂ થવાથી યાત્રાળુઓને ( pilgrims ) ઘણો ફાયદો થવાનો છે. લોકો હવે બાબા બૈદ્યનાથ ધામથી સરળતાથી કાશી વિશ્વનાથની યાત્રા કરી શકશે.

Maharashtra Motor Vehicle Aggregator Rules મહારાષ્ટ્ર મોટર વાહન એગ્રીગેટર નિયમાવલી ખોરંભે મુસાફરોની લૂંટ અને ॲપઆધારિત ટૅક્સીઓની મનમાની યથાવત
Ethanol Blending Program પેટ્રોલમાં 20% ઇથેનોલ મિશ્રણનો કાર્યક્રમ એક ‘ચાલુ પ્રયોગ’ છે કેન્દ્ર સરકાર
Maharashtra TET Exam પેપર લીક રોકવા સરકારનો મોટો સપાટો TET પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર, હવે ઓનલાઇન આપવી પડશે એક્ઝામ
J&K Tourism અમરનાથ યાત્રા થશે અત્યંત સરળ આગામી વર્ષથી શરૂ થશે રોપવેનું કામ; માત્ર ૪૦ મિનિટમાં કરી શકાશે બાબા બર્ફાનીના દર્શન
Exit mobile version