Site icon News Continuous Bureau | Mumbai

Central Government: ખાનગી નોકરી કરતા લોકો માટે મોટા સમાચાર; વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી આ ‘યોજના’ ની શરૂઆત કરી

Central Government: ખાનગી નોકરી કરતા લોકો માટે મોટા સમાચાર; વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી આ ‘યોજના’ ની શરૂઆત કરી

Central Government ખાનગી નોકરી કરતા લોકો માટે મોટા સમાચાર

Central Government ખાનગી નોકરી કરતા લોકો માટે મોટા સમાચાર

News Continuous Bureau | Mumbai

Central Government: ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લાખો લોકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ૭૯મા સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના’ની શરૂઆત કરી છે. કેન્દ્ર સરકારની આ યોજના માટે કુલ ₹૯૯,૪૪૬ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ યોજનાના અમલીકરણની જવાબદારી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ને સોંપવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી બે વર્ષમાં લગભગ ૩.૫ કરોડ લોકોને લાભ પહોંચાડવાનો છે, જેમાંથી ૧.૯૨ કરોડ લોકો પહેલીવાર નોકરી કરતા હશે.

Join Our WhatsApp Channel

યોજનાના મુખ્ય ફાયદા

આ યોજના ૧૫ ઓગસ્ટ ૨૦૨૫થી લાગુ થઈ છે અને તે ૩૧ જુલાઈ ૨૦૨૭ સુધી ચાલુ રહેશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) તેમજ ઉત્પાદન, સેવા અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં રોજગારને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના અંતર્ગત, ખાનગી ક્ષેત્રમાં પહેલીવાર નોકરી મેળવતા યુવાનોને ₹૧૫,૦૦૦ સુધીની સહાયતા આપવામાં આવશે. ઉપરાંત, નવા કર્મચારીઓને નોકરી આપતી કંપનીઓને પણ આર્થિક મદદ આપવામાં આવશે. આ મદદ દર મહિને પ્રતિ કર્મચારી ₹૩,૦૦૦ ના દરે આપવામાં આવશે. આ યોજના અગાઉ ‘રોજગાર પ્રોત્સાહન’ તરીકે ઓળખાતી હતી.

પાત્રતાના માપદંડ

આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના માપદંડો પૂર્ણ કરવા જરૂરી છે:
ઇપીએફઓ (EPFO) માં પહેલીવાર નોંધણી કરાવનાર યુવાનો.
૧ ઓગસ્ટ ૨૦૨૫ પહેલા ઇપીએફઓ અથવા અન્ય કોઈ ટ્રસ્ટ સાથે જોડાયેલા ન હોવા જોઈએ.
કર્મચારીનો માસિક પગાર ₹૧,૦૦,૦૦૦ અથવા તેનાથી ઓછો હોવો જોઈએ.
ઇપીએફ (EPF) માં યોગદાન ઓગસ્ટ ૨૦૨૫ અથવા ત્યારબાદ શરૂ થયું હોવું જોઈએ.
કર્મચારીએ તે જ કંપનીમાં ઓછામાં ઓછા ૬ મહિના નોકરી કરવી ફરજિયાત છે.

આ સમાચાર પણ વાંચો : Trump-Putin Meeting: ટ્રમ્પ-પુતિન બેઠક માં થશે ભારતને ફાયદો? જાણો શું પરિણામ આવી શકે છે

માસિક આવકના આધારે સહાયનું વિતરણ

આ યોજના હેઠળ મળતી સહાય માસિક આવકના આધારે નક્કી કરવામાં આવશે.
જો માસિક આવક ₹૧૦,૦૦૦ સુધી હોય, તો કર્મચારીને વધુમાં વધુ ₹૧,૦૦૦ મળશે.
જો પગાર ₹૧૦,૦૦૦ થી ₹૨૦,૦૦૦ ની વચ્ચે હોય, તો ₹૨,૦૦૦ મળશે.
જો આવક ₹૨૦,૦૦૦ થી ₹૧,૦૦,૦૦૦ ની વચ્ચે હોય, તો ₹૩,૦૦૦ મળશે.

 

CJP Ends Agitation Following Pradhan’s Resignation સરકાર સાથેની મંત્રણા સફળ, કોકરોચ જનતા પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલન સત્તાવાર રીતે સમેટાયું..
CJP Protest Ends સરકાર સાથે વાતચીત સફળ, તમામ માંગણીઓ મંજૂર, સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આંદોલન સમેટવાની કરી જાહેરાત
Dharmendra Pradhan’s Resignation As BJP’s Biggest Defeat ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું ભાજપ માટે સૌથી મોટી રાજકીય હાર કેમ? વાંચો ઊંડાણપૂર્વક વિશ્લેષણ
Rahul Gandhi Reacts To Dharmendra Pradhan’s Resignation ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર રાહુલ ગાંધીનો પ્રહાર, કહ્યું ‘આ સરકારને હટાવવાનો સમય…’
Exit mobile version