Biparjoy Cyclone : દ્વારકા – વાવાઝોડા પહેલા કાંઠા વિસ્તારમાં 60 કિમીની ઝડપે પવન, ઉંચા મોજા ઉછળ્યા, મંદિર આજે બંધ રહેશે

Biparjoy Cyclone : વહેલી સવારથી જ પવનની ગતિ દ્વારકા વધી રહી છે. 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોના છાપરાઓ ઉંચી બિલ્ડીંગ પર ચડી ગયા હતા.

Biparjoy Cyclone : Dwarka is the worst affected area

Biparjoy Cyclone : Dwarka is the worst affected area

News Continuous Bureau | Mumbai

Biparjoy Cyclone : દ્વારકામાં (Dwarka) ચક્રવાતની ( Biparjoy Cyclone) અસર જોવા મળી રહી છે. વહેલી સવારથી વરસાદ અને દરીયાઈ વિસ્તારમાં ધૂધળું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે દ્વારકા જગતમંદિર પણ બંધ રાખવામાં આવ્યું છે.

Join Our WhatsApp Community

જેમ જેમ ગુજરાત તરફ વાવાઝોડું (cyclone) આગળ વધી રહ્યું છે તેના કારણે અસર સમુદ્રી વિસ્તારોમાં જોવા મળી રહી છે. તેમાં પણ વહેલી સવારથી જ પવનની ગતિ દ્વારકા વધી રહી છે. 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોના છાપરાઓ ઉંચી બિલ્ડીંગ પર ચડી ગયા હતા. કાંઠા વિસ્તારમાં પવનની ગતિ અતિ તીવ્ર જોવા મળી રહી છે. ગોમતીઘાટ ખાતે પાણીનું સ્તર વધ્યું છે. દરીયામાં ઉંજા મોજાઓ ઉછળી રહ્યા છે.

Biparjoy Cyclone : વાવાઝોડાને કારણે દ્વારકામાં શું થયું.

દ્વારકામાં પવનના કારણે બે જેટલા ટાવર પડી ગયા છે. સૌરાષ્ટ્રના મોટાભાગના તીર્થસ્થળો બંધ છે. જગતમંદિર દ્વારકા પણ એક દિવસ માટે આજે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના બાદ બીજીવાર આ પ્રકારે કુદરતી આફતના કારણે મંદિર ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું છે. લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વાવાઝોડાની અસર સતત વર્તાઈ રહી છે. વિઝિબિલીટી પણ દરિયાઈ વિસ્તારમાં ઓછી થઈ છે. કાંઠા પર પવન ખૂબ તીવ્રતાથી ફૂંકાઈ રહ્યો છે.

આ ઉપરાંત ઈમરજન્સી જેવી સ્થિતિમાં બીએસએફ, એસડીઆરએફ, આર્મી, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે. સૌથી વધુ પવવની ગતિ જો વધે છે તો ઓખા આસપાસના ગામોને અસર વધુ થઈ શકે છે. દરીયામાં પણ ઉંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે. મંદિરમાં પણ પાણી ઘુસી રહ્યા છે. સૌરાષ્ટ્ર ઉપરાંત કચ્છમાંમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ વાવાઝોડું ગુજરાતમાં (Gujarat) આજે લેન્ડ થતા આવતીકાલે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં પણ ખાસ કરીને વધુ વરસાદ ઉત્તર ગુજરાતમાં થાય તેવી શક્યતા છે. જેથી વાવાઝોડા બાદ વધુ વરસાદની સ્થિતિ ગુજરાતમાં જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો:યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની તૈયારી? કાયદા પંચે 30 દિવસમાં જાહેર-ધાર્મિક સંગઠનો પાસેથી સૂચનો માંગ્યા

બિપરજોય News

આ પણ વાંચોઃ ચક્રવાત બિપરજોય: ચક્રવાતનું નામ કેવી રીતે આપવામાં આવે છે?
આ પણ વાંચોઃ બિપરજોય Viral Video : ટીવી એન્કરે હદ કરી નાખી, બિપરજોય મામલે સ્ટુડિયોમાં એવી એક્ટિંગ કરી કે બધા…
આ પણ વાંચોઃ Biparjoy Cyclone : 74 હજાર લોકોનું સ્થળાંતર, 442 ગામોમાં એલર્ટ, ચક્રવાત બિપરજોય આજે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે

આ પણ વાંચોઃ Western Railway : પશ્ચિમ રેલ્વે, ચક્રવાત ‘બિપરજોય’ને કારણે પશ્ચિમ રેલવેની કેટલીક વધુ ટ્રેનો પ્રભાવિત

આ પણ વાંચોઃ Biparjoy Cyclone :બિપરજોય ચક્રવાત આવતીકાલે ગુજરાતમાં ટકરાશે; 30k થી વધુ સ્થળાંતર.
આ પણ વાંચોઃ Cyclone ‘Biparjoy’ :16 જૂનથી બંધ થતી ગીર-ગિરનાર જંગલ સફારી આજથી બંધ, ‘બિપરજોય’ વાવાઝોડાને લઈ લેવાયો નિર્ણય

આ પણ વાંચોઃ Biporjoy Cyclone : બિપરજોય ચક્રવાતની અસર, ડરથી આ રાજ્યમાં તોડવામાં આવી જર્જરિત ઈમારતો, 67 ટ્રેનો કરાઈ રદ..

આ પણ વાંચોઃ ગુજરાત પર ચક્રવાત ‘બિપરજોય’નું તોળાતું સંકટ, NCMCએ યોજી સમીક્ષા બેઠક.. અપાયા આ આદેશ..
આ પણ વાંચોઃ Cyclone Biporjoy : બિપરજોયને પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 15 જૂન સુધી 50 કિમીથી વધુની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે. તમામ હોર્ડિંગ અને બેનરો ઉતારવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ Cyclone Biporjoy : ચક્રવાત બિપરજોય: બિપરજોયની કેટેગરી ડાઉનગ્રેડ પરંતુ હજુ પણ ખતરનાક, ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, બંદરો બંધ, NDRF તૈનાત
Ram Sutar passes away: કલા જગતનો સૂર્ય અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન, દેશભરમાં શોકનું મોજું
India Oman Trade Deal: ગલ્ફ દેશોમાં ભારતની મોટી એન્ટ્રી: ઓમાન સાથેની ડીલથી ખુલશે આરબ દેશોના વેપારના દરવાજા, જાણો ભારતને શું થશે ફાયદો?
Delhi Pollution: યા તો BS6 અથવા U-Turn: દિલ્હી પોલીસે બોર્ડર પરથી હજારો ગાડીઓ પાછી વાળી, VIP કાર સામે પણ કડક કાર્યવાહી
Fog Hits Delhi-NCR:દિલ્હી-NCRમાં ધુમ્મસનો કહેર: વિઝિબિલિટી ઝીરો થતા 22 ટ્રેનોના પૈડાં થંભ્યા, ફ્લાઈટના શિડ્યુલ ખોરવાતા મુસાફરો અટવાયા
Exit mobile version